Quotes

Divinity is at the root of life and truth is oneness; the heart can feel the oneness when mind becomes selfless.

Spiritual Essays

Read the following articles and find out the meaning of your life.

book img
પ્રભુ કઈ પળે તું મળે મને...

દેહધારી જીવન પ્રભુની દિવ્ય ચેતનાના આધારે જીવી શકાય છે. તે દિવ્ય ચેતનાની ઊર્જા શક્તિનો સાત્ત્વિક ગુણોનો પ્રભાવ વિચાર-વર્તન રૂપે પ્રગટે, તેને કહેવાય જ્ઞાન-ભક્તિનું સદાચરણ, જિજ્ઞાસુ ભક્ત શાન-ભક્તિના સદાચરણમાં સ્થિત થવા માટે સાત્ત્વિક વિચારોનું અધ્યયન કરે અને અધ્યયન રૂપે સૂક્ષ્મ ભાવાર્થ ગ્રહણ કરતો રહે. અધ્યયનની નિષ્ઠાના લીધે તન-મનની એકબીજાને આધારિત કિયાઓનો સંદર્ભ અને સમજાતો જાય.એવી સમજ રૂપે કે સ્વીકાર થાય, કે તન-મનની જીવંત સ્થિતિનો સંબંધ પ્રભુની આત્મીય ચેતના સાથે છે. તેથી જિજ્ઞાસુ ભક્ત આત્મીય સંબંધની દિવ્યતાને માણવા માટે, આત્મીય સ્વાનુભૂતિનો આનંદ માણવા માટે, જ્ઞાન-ભકિતના સદ્ભાવથી જીવન જીવવાનો પુરુષાર્થ કરતો રહે. એવાં પુરુષાર્થ રૂપે તે અનુભવે કે, “પળે પળે બદલાતી પળ સ્વરૂપે આવિષ્કાર થાય છે પ્રભુની ચેતનાનો અને પ્રભુની ચેતનાનું ઊર્જા સ્વરૂપનું પ્રસરણ છે, એટલે તો હું છું અને જગતની વિવિધ કૃતિઓ છે.’’ આવી પ્રતીતિના લીધે જગતની દેહધારી આકૃતિઓની, કે પ્રકૃતિની વિવિધ કૃતિઓની મહત્તાનો સ્વીકાર થતો જાય.

 

પ્રકૃતિની મહત્તાના સ્વીકારમાં પ્રભુ સાથેની એકયતાનો સ્વીકાર હોય, અર્થાત્ સર્વે આકૃતિની હસ્તી પ્રભુની આત્મીય ચેતનાના લીધે જીવે છે એવાં વિશુદ્ધભાવની મનોદષ્ટિ જાગૃત થાય. જાગૃતિની પ્રસન્નતાને ભક્ત માણતો જાય અને અંતરાત્મા સાથેની સમીપતાને અનુભવતો જાય. એવી સમીપતામાં પ્રભુને વિનંતિ હોય તથા કરેલી, કે અજાણતાં થતી ભૂલોનો એકરાર હોય અને પ્રેમભાવથી સંવાદ પણ થતો હોય કે, “હે પ્રભુ! આપની ભગવત્ ભાવની શક્તિનું સંવેદન જ્ઞાન-ભક્તિના સદાચરણ રૂપે જ્યારે જ્યારે અનુભવું છું, ત્યારે દેશમાં ઊર્જા તરંગોની શીતળતા પ્રસરી જાય છે. આપની ઊર્જા શક્તિની ચેતના પળે પળે શ્વાસ રૂપે અર્પણ થતી રહે છે. તે સંસારી રાગ-દ્વેષના વર્તનમાં વેડફાઇ ન જાય તે માટે સર્તક રહીને આત્મ નિરીક્ષણ કરતો રહું છું. જેથી મનના કોઈક ખૂણામાં સુષુપ્ત રહેલી અહંકારી વૃત્તિનો અંધકાર ન પ્રસરે, પણ આપના સાત્ત્વિકભાવની વિશુદ્ધતાનો ઉજાસ પ્રસરતો રહે. આપનો ભાવ એટલે જ નિઃસ્વાર્થી પ્રીતની ચેતના. તે દિવ્ય ચેતના મનના રાગ-દ્વેષાત્મક અહંકારી વૃત્તિ-વિચારોના લીધે પ્રસરી શકતી નથી. તેથી જ પળે પળે બદલાતી પરિસ્થિતિમાં જ્ઞાન-ભક્તિના સદ્ભાવથી જીવવાનો પુરુષાર્થ કરું છું. એવો પુરુષાર્થ પણ આપની સાક્ષાત્ હાજરીના લીધે થાય છે તે સત્ય મનમાં અંકિત થયું છે..

 

હે નાથ! આપની દિવ્ય પ્રીતનું સંવેદન પરમ સંતોષની શાંતિનો અનુભવ ધરે છે. અદશ્યને દૃશ્યમાન કરનારી આપની દિવ્ય ચેતના જ અભિાવની જાગૃતિનો ઉજાસ ધરે છે. તે ઉજાસમાં કર્મસંસ્કારોનું આવરણ વિલીન થાય છે કે નથી થતું એવા વિચારોમાં મન ફરતું નથી, કારણ હવે ભેદ નથી રહ્યો દશ્ય-અદશ્યનો. હવે સમજાયું કે અદશ્ય દશ્યમાન થાય છે અને જે દૃશ્યમાન છે એમાં અદશ્ય ચેતનાનું જ પ્રસરણ હોવાંથી દેહધારી કૃતિઓ, કે પદાર્થો દશ્યમાન રૂપે અનુભવાય છે, એટલે દૃશ્યમાન કૃતિઓ અદશ્ય થાય તેનું દુઃખ કે અજંપો નથી, પણ પળે પળે બદલાતી પરિસ્થિતિ રૂપે આપની દિવ્ય ચેતનાનું પ્રસરણ છે એવો જ્ઞાતાભાવ જાગૃત થાય છે. તે જ્ઞાતાભાવની સ્વાનુભૂતિ રૂપી કૃપાની મહેર સદા વરસતી રહે એવી યાચના કરું છું. હરક્ષેત્રે બદલાતી પરિસ્થિતિ રૂપે દિવ્ય ચેતનાનું પ્રભુત્વ પ્રગટ થાય છે, જે ઇન્દ્રિયોથી ભલે અનુભવી ન શકાય, પણ તે સાત્ત્વિકભાવની જાગૃતિમાં, સમર્પણભાવની સમતોલનામાં પ્રકાશિત થતું રહે છે. એટલે ભાવની જાગૃતિમાં સ્થિત રાખજો, જેથી મનની મૌન સ્થિતિનો પ્રકાશ પ્રસરતો રહે. તેથી જ અંતરભક્તિમાં આપની કૃપા ધ્યાનસ્થ કરે છે, ત્યારે સ્વાનુભૂતિનો આનંદ માણી શકાય છે.—

 

…અંતર ભક્તિની પ્રસન્નતા માણવા માટે જ મનુષ્ય દેહનું દાન અર્પણ થયું છે. એ જાણીને તે દાનનો આશય પૂરો થાય એવી જાગૃતિનું જીવન આપની કૃપાથી જિવાય છે. હવે કાંટા અને ગુલાબની ભિન્નતા નથી જણાતી. કારણ કાંટા અને ગુલાબની એકરૂપતા હોવાથી ગુલાબના ફુલનું રંગીન, સુગંધી સૌંદર્ય પ્રગટે છે. એવી સત્ બોધની ધારામાં આપ તરાવો છો, એટલે તો હું તુંજમાં ઓગળતો જાઉ છું, સમાતો જાઉં છું. આપનો જ આધાર છે અને આપના આધારના લીધે આ જગતમાં કોઈ નિરાધાર નથી. એવા અહોભાવમાં ચિંતા, ભય, અસુરક્ષાના નકારાત્મક વિચારો વિલીન થઈ જાય છે. આપની સાક્ષાત્ પ્રતીતિ પાસની ક્રિયા રૂપે, પાસના સંગમાં થયાં કરે છે. ઘાસની ચેતના રૂપે આપની દિવ્ય પ્રીતની ધારા અર્પણ થાય છે. પરંતુ મનુષ્ય કર્મસંસ્કારોનું આવરણ આ પ્રીતની ધારાને પૂર્ણતાથી ઝીલી શકતું નથી...

 

..કર્મસંસ્કારોનું આવરણ એટલે જ અહંકારી રાગ-દ્વેષના વિચાર-વર્તનનો અવરોધ. તે આવરણનો પહાડ જેવો અવરોધ નિઃસ્વાર્થ પ્રેમના સદાચરણથી દૂર થઈ શકે છે. તેનું માર્ગદર્શન તમે શ્રીકૃષ્ણ લીલા દ્વારા ગોવર્ધન પહાડને આંગળી પર ઊંચકીને દર્શાવ્યું હતું. એ કૃષ્ણ લીલાનો સત્ બોધ હવે સમજાય છે, કે મનુષ્યના કર્મસંસ્કારોના પહાડનો ભાર એક આંગળી જેટલો ત્યારે ગણાય, જ્યારે ગોકુળવાસીઓની જેમ જ્ઞાન-ભક્તિના સદાચરણથી, નિઃસ્વાર્થ પ્રેમભાવથી માનવી જીવન જીવે. કૃષ્ણલીલાના બોધથી નચિંત થઈને ભક્તિભાવમાં ધ્યાનસ્થ થવાય છે અને આપના દિવ્ય ભાવનું સંવેદન પ્રકાશિત થતાં રોમેરોમ નિખાલસ આનંદથી ઊભરાઈ જાય છે. આમ છતાં પૂર્ણતાની આ અંતરયાત્રામાં પળે પળે બદલાતી પળમાં એવું લાગે છે, કે તું છે છતાં નથી. તુજના દર્શનનો આનંદ માણનાર હું છું તે પણ ભુલાતું જાય છે. જેમ જળના પ્રવાહને સ્પર્શીને નાવ આગળ વધે છે. કારણ જળ અને નાવનો અલિમભાવનો સ્પર્શ હોવાંથી, જળના પ્રવાહમાં નાવ સતત આગળ પ્રયાણ કરતી રહે છે; તેમ આ દેહધારી જીવન રૂપી નાવ આપનાં દિવ્ય ચેતનાના પ્રવાહમાં જ્ઞાન-ભક્તિના સદાચરણના લીધે આગળ પ્રયાણ કરે છે.

 

પળે પળે બદલાતી આ પળમાં, કહોને પ્રભુ કઈ પળે તું મળે મુજને;

પળે પળે શ્વાસ રૂપે મળે મુજને અને લાગે કે તુજને મેં પકડ્યો

 પકડ્યો એમાં જ છૂટી જતો તું અને લાગતું કે તુજમાં સમાતો હું;

 આવી પકડદાવમાં તે તો છોડાવ્યો અને અને પકડાયો હવે હું તુંજમાં!”

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

 

Read More
book img
મૂકી દે ને તારું બધું પ્રભુના શરણે...

સુખ ભરી હોડી કિનારે આવી, છતાં દુઃખ ભરીને કિનારે જ કરતી રહી; કપરાં સમયની યાદો એમાં ભરાતી રહી અને સાગરમાં તરવાનું ભુલાઈ ગયું; હું મન! મૂકી દેને તારું બધું પ્રભુના શરણે અને જાણ પ્રભુ સાથેનાં સંબંધને સમાઈ જા નિઃસ્વાર્થ પ્રેમના આત્મીય સંબંધથી, પછી તરશે તું પ્રભુભાવની સાત્ત્વિકતામાં.

 

મન રૂપી હોડીનો સંબંધ દેહધારી જીવન રૂપી કિનારા સાથે થાય અને શરૂ થાય મનુષ્ય જીવનની લૌકિક ગાથા. અતૃમ ઈચ્છાવૃત્તિઓના કર્મસંસ્કારો છે મનનું અથવા જીવનું સ્વરૂપ. એટલે મન રૂપી હોડીમાં ઈન્દ્રિગમ્ય ભોગ ભોગવવાની ઈચ્છાઓ ભરેલી હોય છે. તે ઈચ્છાઓની તૃપ્તિ માટે જ મનુષ્ય દેહનો આધાર જીવન(મનને) લેવો પડે છે. મનુષ્ય દેહ રૂપે દસ ઈન્દ્રિયો અને મગજના જ્ઞાનતંતુઓની કૌશલ્યભરી સુવિધા પ્રાપ્ત થવાથી, સંસારી વિષયોને ભોગવવાની ઇચ્છાઓ તો પૂરી થાય, પણ સાથે સાથે બીજી નવી ઈચ્છાઓ પણ જનમતી જાય. એટલે મન રૂપી હોડીમાં કર્મસંસ્કારોનો સામાન ભરાતો રહે છે અને હોડી લૌકિક જીવન રૂપી કિનારે જ ફરતી રહે છે. કિનારે કરતાં કરતાં તે બીજી મન રૂપી હોડીનાં સંગમાં રહે છે, એટલે કે પરિવારના વ્યવહારિક કાર્યોમાં, કે આજીવિકા રળવાના કાર્યોમાં, કે સામાજિક કાર્યો કરવામાં માનવી વ્યસ્ત રહે છે અને ઇચ્છિત વસ્તુઓની કે વ્યક્તિગત સંબંધોની આસક્તિમાં બંધાઈને જીવે છે. લોકિક પદાર્થો કે સંબંધોની આસક્તિમાં બંધાયેલું મન સંસારી વિચારોમાં જ ફરતું રહે છે. તેથી તે પ્રભુ રૂપી સાગરમાં તરવાનું ભૂલી જાય છે. એટલે સાગર સાથેના આત્મીય સંબંધનું સ્મરણ થતું નથી, કે સાગરના પાણીની મહત્તા સમજાતી નથી.

 

મન રૂપી હોડીને પ્રભુ રૂપી સાગરની અથવા સાગરના પાણી રૂપી આત્મીય ચેતનાની મહત્તા જણાતી નથી. એટલે એ ભૂલી જાય છે, કે હોડી કિનારે પણ સાગરના પાણીના લીધે જ તરી શકે છે. હોડી કદી રેતી કે માટીમાં તરી ન શકે. કિનારાના છીછરાં પાણીમાં તરતી હોડીને સાગરના ઊંડાણનો કે વિશાળતાનો ખ્યાલ નથી, કે વાસ્તવિકતા એને નથી સમજાતી કે કિનારો છોડીને સાગરમાં તરવા માટે જ મનુષ્ય શરીરની સુવિધા પ્રાપ્ત થઈ છે. જેમ લખવા માટે બોલપેનનો ઉપયોગ થાય. બોલપેનને કાન ખોતરવા માટે નથી બનાવી; તેમ મનનાં કર્મસંસ્કારોનો સામાન ઓછો કરવા માટે પ્રભુ રૂપી સાગરમાં તરાવતું માનવ દેહધારી જીવન સર્જાયું છે. સાગરના લીધે કિનારો છે, સાગરના આધારે કિનારાની રચના થાય છે, જેથી કિનારે તરતી હોડીઓ સાગરમાં સહજ તરી શકે. આ વાસ્તવિક સત્યનો સ્વીકાર કરીને જીવન જીવીએ, તો પ્રારબ્ધગત કપરાં(મુશ્કેલ) સંજોગોમાંથી પસાર થવાનું અઘરું નહિ લાગે, કિનારે તરતી મન રૂપી હોડીને જેમ જેમ સાગરના પાણીની મહત્તા સમજાતી જાય, તેમ તેમ તે કિનારાની રેતી કે માટીમાં સ્થગિત થઈને(થંભીને) નહિ રહે, એટલેકે સંસારી વિષયોના આકર્ષણથી મુક્ત થવા માટે, સાગરમાં તરવાની તત્પરતા પછી વધતી જાય.

 

જેના આધારે જીવીએ છીએ તેનો સંગ હર ક્ષણે પાસ રૂપે થાય છે. એવી અનુભૂતિથી મન રૂપી હોડી કિનારો છોડીને સાગરમાં તરવાની કેળવણી ધારણ કરે, તે છે જ્ઞાન-ભક્તિના સદાચરણ તરફ ઢળવું. પછી સ્વાનુભૂતિ રૂપે અનુભવાય, કે પ્રભુની આત્મીય ચેતનાના વહેણ શ્વાસ રૂપે સતત પ્રાપ્ત થાય છે, એમાં મનથી કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી અને તે ચેતનાની ઊર્જાના લીધે જ મગજના જ્ઞાનતંતુઓ સક્રિય રહે છે. મગજની સક્રિયતા એટલે જ વિચારવાની, સમજવાની, ક્રિયા-પ્રતિક્રિયા કરવાની, કે પરિણામને અનુભવવાની સહજતા. મગજની સહજ સક્રિય સ્થિતિનો સથવારો શરીરની વૃદ્ધ અવસ્થામાં નથી મળતો. કારણ મન રૂપી હોડીનું માત્ર કિનારે જ તરતાં રહેવાંથી, કિનારાની બીજી હોડીઓનાં સંગમાં, સંબંધોને સાચવવાના સંઘર્ષમાં, અહંકારી સ્વભાવની અથડામણમાં મગજનું રચનાત્મક વિચારોનું અને સ્મરણ શક્તિનું કૌશલ્ય ઓછું થતું જાય છે. મગજની એવી શ્રીણ થયેલી સ્થિતિના લીધે મનને પ્રભુ રૂપી સાગરમાં તરવાનું, એટલે કે જ્ઞાન-ભક્તિની અંતરયાત્રામાં ધ્યાનસ્થ થવું મુશ્કેલ લાગે છે. જ્ઞાન- ભક્તિની અંતર યાત્રા રૂપે પોતે આકારિત શરીર છે એવાં અજ્ઞાનથી મુક્ત કરાવતાં, સાત્ત્વિક વિચારોના ચિંતનમાં મન જો તરબોળ થતું જાય, તો ચિંતનની નિષ્ઠામાં રાગ-દ્વેષાત્મક વિચાર-વર્તનનો પરિચય થાય. એવા વર્તનનો પછી પસ્તાવો થાય, ત્યારે જે જ્ઞાન સ્વરૂપ આત્મીય ચેતના છે તેની પ્રતીતિ કરાવતો સાત્ત્વિકભાવ જાગૃત થતો જાય.

 

પ્રભુની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ જ્યારે દરરોજના કાર્ય કે પ્રવૃત્તિ રૂપે થાય, ત્યારે આકાર અને નિરાકારના સંબંધમાં પ્રભુનું આત્મીય ચેતનાનું સંવેદન અનુભવાય. જેમકે ભોગ્ય પદાર્થના આકારને જોઈએ, ત્યારે જોતી વખતે પ્રતીતિ થાય કે આંખોની સૃષ્ટિનો કોઈ આકાર નથી અને દૃષ્ટિનો જ્ઞાતાભાવ પ્રભુની આત્મીય ચેતનાના લીધે છે. આમ આકાર-નિરાકારના જોડાણનું, તનમનનાં જોડાણનું રહસ્ય સમજાય કે દરેક સ્તરના જોડાણ રૂપે પ્રભુની ચેતનાનો યોગ છે. ઊર્જાની ચેતનાને મેળવવાનો કે પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કોઈને કરવો પડતો નથી. એ તો દરેક દેહધારી જીવને સર્વકાળે પ્રાપ્ત જ હોય છે. તે ઊર્જાની ચેતનાને ઝીલનાર મન તથા તેની અભિવ્યક્તિને ઝીલનાર મગજની અને ઇન્દ્રિયોની ક્રિયાનું સ્વરૂપ પણ નિરાકારિત છે. તે ક્વિાને આંખોથી જોઈ ન શકાય, પણ તે ક્રિયાના પરિણામ રૂપે આકારિત પદાર્થોના ભોગને ભોગવી શકાય છે. આવો આકાર-નિરાકારના જોડાણનો મર્મ સમજીને જે જિજ્ઞાસુ ભક્ત જીવે, તે જ્ઞાન-ભક્તિના સાગરમાં તરતો જાય. મન રૂપી હોડીને જો જ્ઞાની ભકત રૂપી નાવિકનો સહારો મળી જાય, તો કિનારાના વળગણથી, આર્ષણથી છૂટવાની, એટલે કે સાગરમાં તરવાની લગની પ્રબળ થતી જાય. જેમ જેમ દેહધારી જીવન રૂપી કિનારાના મોહથી મુક્ત થતાં જવાય, તેમ તેમ જ્ઞાન-ભક્તિના સદાચરણથી પ્રભુ રૂપી આત્મીય સાગરમાં સહજતાથી સહેલ પતી જાય. એવી સહેલ રૂપે કર્મસંસ્કારોનો સામાન ઓછો થતો જાય અને અંતર ભક્તિમાં ધ્યાનસ્થ થતાં પ્રભુના સાગરનું, દિવ્ય ગુણોની સાત્ત્વિકતાનું ધન ધારણ થતું જાય. આવું દિવ્ય જીવન જીવવા માટે જ આપણે મનુષ્ય શરીર ધારણ કર્યું છે, તો પ્રભુમય જીવનની દિવ્યતા કેમ ન માણીએ ??

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

Read More
book img
મોહન તારી પ્રીતથી મિત થવું

આ જગતમાં મહાભૂતોની ઊર્જાથી સર્જાયેલી અનેક પ્રકારની આકૃતિઓ છે અને ઉપભોગી પદાર્થોની વિવિધતા છે. એમાં માનવી સિવાયની બીજી બધી કૃતિઓ પોતાની દેહધારી પ્રકૃતિ અનુસારનું જીવન જીવે છે. પરંતુ માનવી મોટેભાગે પોતે ધારણ કરેલી પ્રકૃતિને ભૂલી જાય છે. કારણ તન-મન-ઈન્દ્રિયોના સહારે માત્ર ઉપભોગી પદાર્થોને ભોગવવામાં તે વ્યસ્ત રહે છે. એટલે પોતાની મૂળભૂત પ્રકૃતિને જાણવાનો સમય મળતો નથી, કે જાણવાની ઈચ્છા પણ થતી નથી. મન-બુદ્ધિ-ચિત્તનું વિશેષ પ્રકારનું કૌશલ્ય પ્રાપ્ત થયું હોવાં છતાં, માનવી મારું-તારુંની ભેદભાવની પ્રકૃતિમાં બંધાયેલું તુચ્છ જીવન જીવે છે. મારું-તારું-પરાયું એવી ભેદભાવની પ્રકૃતિ, કે રાગ-દ્વેષાત્મક વિચાર-વર્તનની પ્રકૃતિ માનવીને અર્પણ નથી થઈ. મન-બુદ્ધિને સાત્ત્વિકભાવનું કોશલ્પ અર્પણ થયું છે, જેથી તે પોતાના સ્વ સ્વરૂપની દિવ્યતાને અનુભવી શકે. અર્થાત્ પ્રભુની આત્મીય ચેતનાના અવિભાજિત અંશ રૂપે મન રૂપી વાહનની વિશેષ પ્રાપ્તિ થઇ છે. પરંતુ રાગ- દ્વેષાત્મક વર્તનના કર્મસંસ્કારોનું આવરણ મન પર પથરાઈ જતાં, પોતાના સ્વ સ્વરૂપની દિવ્યતાનું, એટલે કે પ્રભુ સાથેના અાત્મીય સંબંધનું સ્મરણ મનને થતું નથી!

 

આત્મીય સંબંધના વિસ્મરણને લીધે માનવી પશુ જેવું જીવન નથી જીવતો, પણ પશુ જેવી સીમિત વૃત્તિથી તે માત્ર અળ, ઘર, વસ્ત્ર વગેરે ભોગ્ય પદાર્થોને મેળવવાની મહેનતનું જીવન જીવે છે, એવું જીવન તે એટલે મન રૂપી મર્સીડીસ ગાડીને માલ સામાનની હેરાફેરી કરતી હાથગાડીની જેમ વાપરવી, મન રૂપી શ્રેષ્ઠ વાહનના હેરાફેરી જેવા વપરાશથી એનું સાત્ત્વિકભાવનું કૌશલ્ય રૂંધાઈ જાય છે. એટલે પરભવ પુણ્યના પ્રભાવથી જ્યારે સ્વયંને જાણવાની જિશાસા જાગે છે અને સત્સંગની આધ્યાત્મિક પ્રવૃત્તિ તરફ માનવી ઢળે છે, ત્યારે પોતાના મનને સાત્ત્વિક વિચાર-વર્તનમાં સ્થિત રાખવાનું મુશ્કેલ લાગે છે. મનની એવી મુશ્કેલી પણ દૂર થઈ શકે, જો સ્વમય અંતરયાત્રાનો સંકલ્પ દૃઢ હોય. સંકલ્પની દઢતાને જો વાસ્તવિક સત્ દર્શનની પુષ્ટિ મળતી રહે, તો રૂંધાયેલો મનનો સાત્ત્વિક પ્રભાવ જાગૃત થઈ શકે. સત્ દર્શનની પુષ્ટિ ઘારણ થાય જ્યારે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં, ત્યારે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ કરાવતી જ્ઞાન-ભક્તિમાં મન સ્થિત થતું જાય, પછી જીવંત જીવનનો આશય સ્પષ્ટ થતો જાય, કે પ્રેમભાવથી જીવવાનું છે અને એકબીજા સાથેના ઋણાનુબંધને લીધે વસ્તુ, વ્યક્તિ, કે પરિસ્થિતિ સાથેનું અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોનું જીવન જીવવું પડે છે.

 

સામાન્ય રૂપે માનવી મનમાં લોકિક પદાર્થોને ભોગવવાની ઈચ્છાઓ હોય, તથા અમુક વ્યક્તિગત સંબંધોની મનગમતી પરિસ્થિતિને ભોગવવાની ઈચ્છાઓ હોય. ઈચ્છાઓની અતૃપ્તિમાં ભોગ રૂપે પ્રેમની પ્રસન્નતાને માણવાની જ ઈચ્છા હોય છે. એટલે સત્ દર્શન રૂપે મનોમન જો સમજણપૂર્વક સ્વીકાર કરીએ, કે એકબીજા સાથેના સંબંધમાં પ્રેમની પૂર્તિ થાય એવું વર્તન જરૂરી છે, તો ભોગ રૂપે ઈચ્છાઓ શાંત થતી જાય અને અતૃપ્ત ઈચ્છાઓનું આવરણ ઘટતું જાય. સત્સંગી મન આ સમજણને સ્વીકાર્યા પછી પણ પ્રેમની નિઃસ્વાર્થતા ભૂલીને પ્રેમાળ વર્તનના મહોરાં પહેરે છે. કારણ માનવીને પોતાની બુદ્ધિનો, પદવીનો, આર્થિક સમૃદ્ધિનો એટલો બધો અહંકાર હોય છે, કે સરખામણી કરવાના ભેદભાવમાં પ્રેમની નિર્મળતા જાગૃત થઈ શકતી નથી. માનવી પાસ રૂપે નિઃસ્વાર્થ પ્રેમનો સ્પર્શ ક્ષણે ક્ષણે કરે છે, પણ અહંકારી વર્તનના લીધે માત્ર જીવંત જીવનનું સત્ત્વ મેળવે છે. તેથી નિઃસ્વાર્થ પ્રેમની સાત્ત્વિકતાને ગ્રહણ કરી શકતો નથી. એટલે રાગ-દ્વેષાત્મક અહંકારી સ્વભાવના લીધે પ્રભુની પાસની ચેતનાનો અનાદર થયાં કરે છે.

અનાદર કરતું અજ્ઞાની માનસ શ્વાસની નિઃસ્વાર્થ પ્રેમની સાત્ત્વિકતાને ઝીલી શકતું નથી. એટલે પ્રભુની સમીપતાની અનુભૂતિ અહંકારી માનસને પતી નથી, એવું અજ્ઞાની મન સર્વવ્યાપક પ્રભુની હાજરીને માત્ર મંદિરની મૂર્તિમાં જુએ છે. પ્રભુની ચેતનાનો સંગ સતત થતો રહે છે. તેની સમીપતાને જો અનુભવી ન શકાય તો સમજી જવું કે મન રૂપી હોડીમાં અજ્ઞાની, અહંકારી રાગ-દ્વેષાત્મક વૃત્તિ-વિચારોના છિદ્રો છે. એવી હોડી પ્રભુના મહાસાગરમાં તરી ન શકે. એવી હોડીને સાગરમાં તરવું છે પણ ભીના નથી થવું. અર્થાત્ સંસારી રાગ દ્વેષના વિચાર-વર્તન રૂપી કિનારાને છોડવા નથી, કિનારાનું વળગણ ન છૂટે તો સાગરમાં તરવાનું અશક્ય છે. જ્યાં સુધી બુદ્ધિ ચાતુર્યનો અહંકાર છે, ત્યાં સુધી અહમ વૃત્તિઓનું સમર્પણ થતું નથી. કિનારાની રેતી કે માટી તો સાગરના પાણીથી જેમ ભીની થયાં કરે, તેમ જીવંત જીવનનું સત્ત્વ માનવીને મળી રહે છે. પરંતુ પ્રભુના સાત્ત્વિક ગુણો રૂપી નિઃસ્વાર્થ પ્રેમની ચેતનાના વહેણમાં તરવા માટે કિનારાના મોહથી મુક્ત થવું પડે.

 

જિજ્ઞાસુ ભક્ત ચેતનાના વહેણમાં તરવા માટે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં રહે છે. જેથી લૌકિક કિનારાની માટીના મોહથી મુક્ત કરાવતાં જ્ઞાન-ભક્તિના સદાચરણમાં સ્થિત થઈ શકાય. સાંનિષ્પ રૂપે મનનો શરણભાવ જાગૃત થાય અને જ્ઞાન-ભક્તિ રૂપે મોહનું નિવારણ થતું જાય, મોહ છોડવો મુશ્કેલ તેને લાગે જેને પ્રભુ રૂપી સાગરનો પરિચય નથી. સાગરની વિશાળતાનો, ઊંડાણનો એના નિઃસ્વાર્થ પ્રેમના વહેણનો, એની શાશ્વત અમૃત ધારાનો જેને ખ્યાલ નથી, તેને માટે કિનારા સિવાય બીજું કંઈ નથી. એવાં અજ્ઞાની માનસને લીધે તેઓ કિનારાને જ મહત્તા આપે છે. તેઓ એવી માન્યતાથી જીવે છે, કે બધી ઈન્દ્રિયોથી કિનારા રૂપી લૌકિક સંસારને અનુભવી શકાય છે અને પ્રભુ સાગર તો અદશ્ય છે. એવું મન દશ્યમાન પદાર્થોના ભોગમાં જે અદશ્ય છે એવાં સૂર-સ્વરનો, કે સ્વાદનો જ્યારે અનુભવ કરે, ત્યારે અદૃશ્ય દશ્યના સંબંધનો ભેદ જો સમજાય તો કિનારાનો મોહ છૂટતો જાય. પછી પ્રભુને વિનંતિ થાય કે

 

મોહન તારી પ્રીતથી મિત થવું છે, માટીના મોહને ઓગાળી દેજો

ભક્તિ ભાવનો રંગ લગાડ્યો તમે, અનન્ય કૃપાની મહેર વરસાવી તમે;

શ્વાસની મહેકમાં મારું-તારું ના રહ્યું, અંતર ધન પ્રગટે તારા ભાવથી;

ચક્ષુ દાનથી તારા દર્શન થાય રે, મોહન તારા તેજમાં આવરી લેજે.

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

Read More
book img
જ્ઞાન ભક્તિની સરિતામાં મનની નાવ વહેતી રહે

જીવંત જીવનની મહત્તાથી જેમ જેમ મન જાણકાર થતું જાય, તેમ તેમ નકારાત્મક સ્વાર્થી સ્વભાવનું પરિવર્તન થતું જાય. માનવ આકારના શરીરની રચના વિશે જેટલું પણ જાણીએ તેટલું ઓછું છે. કારણ આકારિત શરીર સાથે જોડાયેલાં નિરાકારિત મનની વિચારવાની, કે અનુભવ કરવાની ક્રિયા વિશે પૂર્ણતાથી જાણી શકાય એમ નથી. એટલે જિજ્ઞાસુ ભક્ત દેહધારી જીવનની વાસ્તવિકતાને સ્વીકારી, ગુણિયલ સ્વભાવની સાત્ત્વિકતાનો ઉજાગર થાય એવાં જ્ઞાન-ભક્તિના સદાચરણથી જીવવાનો પુરુષાર્થ કરતો રહે છે. પોતાના શરીરની પ્રકૃતિ કે મનના સ્વભાવ વિશે જાણવાનો કે વિશ્વલેષણ કરવાનો માત્ર પ્રયત્ન કરવાનો ન હોય. પરંતુ એવાં પ્રયત્નથી જાણ્યાં પછી માનવતાનું સંસ્કારી વર્તન જાગૃત થવું જોઈએ. સંસ્કારી વર્તન રૂપે અહંકારી માનસનું મિથ્યાભિમાન ઓછું ન થાય તો દેહધારી જીવનની મહત્તાને જાણી નથી, પણ માત્ર વિચારોને ભેગાં કર્યા છે. જાણવું એટલે જ જાગૃત થવું. જે મન પોતાના સ્વ સ્વરૂપથી જાણકાર થાય, અજ્ઞાનની નિદ્રામાંથી જાગી જાય, એવું જાણ સ્વરૂપે જાગેલું મન સાવચેત થાય. જેમ અગ્નિ વિશે જાણ્યું કે ચામડીને અગ્નિનો સ્પર્શ થાય તો બળી જાય. એટલે જાણ્યાં પછી દાઝી ન જવાય એની સાવચેતી રાખીએ, તેમ માનવ જીવનની મહત્તા જાણ્યાં પછી અહંકારી વિચારોમાં મન મટકે નહિ તેની સાવચેતી રાખવી જોઈએ.

 

સાત્ત્વિક ગુણોની મન રૂપી જાજમ(બેસવા માટેનું પાથરણું) પ્રભુએ માનવીને અર્પણ કરી છે. એનાં પર જો ક્રોધ કે ઇર્ષ્યા જેવી વૃત્તિ-વિચારોના ડાઘા હોય, વેર કે બદલો લેવાના તિરસ્કારી વિચારોના કાણાં હોય, રૂપિયાની સમૃદ્ધિથી સંબંધોને તોલવાનો તથા નીચલા વર્ગને નકામા માનવાનો ભેદભાવનો કચરો હોય, તો તે સાત્ત્વિક ગુણોના દોરાથી ગૂંથાયેલી જાજમ ગૂણપાટના થેલામાં ફેરવાઈ જાય છે. એવાં ગુણપાટના ઘેલામાં માનવતાના સંસ્કારોને બદલે દુન્યવી કર્મસંસ્કારોનો સામાન વધતો જાય છે. ગુણપાટ જેવા કર્મસંસ્કારોની અશુદ્ધિ મન પર આવરણની જેમ પથરાયેલી રહે છે. એવી અશુદ્ધિનું આવરણ પણ વિલીન થઈ શકે જો જ્ઞાન-ભક્તિના સદાચરણ તરફ ઢળવાનો પુરુષાર્થ થાય. વાસ્તવમાં માનવી જીવન રૂપે આપણને કર્મસંસ્કારોનું શુદ્ધિકરણ કરવાની તક મળી છે. અર્થાત્ જન્મથી મૃત્યુ વચ્ચેનો સમય એટલે માનવ જીવન રૂપે સ્વયંથી પરિચિત કરાવતો અવસર. જિજ્ઞાસુ ભક્ત માટે એ અવસર એટલે જ પ્રભુ સાથેની એક્યતાને માણવાનો અનેરો પ્રસંગ. તેથી જ્ઞાન મક્તિથી જીવવાનો પુરુષાર્થ તે કરતો રહે છે. એવાં પુરુષાર્થ રૂપે મનની જાજમ પર પથરાયેલો કચરો દૂર થતો જાય અને સાત્ત્વિક ગુણોના દોરાનું ભરતકામ સદાચરણ રૂપે વ્યકત થતું જાય.

 

સદાચરણનું ભરતકામ વ્યક્ત ત્યારે થાય, જ્યારે મનનો હૃદયભાવ જાગૃત થાય. હૃદયભાવની સાત્ત્વિકતાથી, મન જે પ્રભુની આત્મીય ચેતનાનો અંશ છે તેની પ્રતીતિ થાય. પ્રતીતિ રૂપે જ્ઞાતાભાવનું સંવેદન ધારણ થતું જાય. ભક્તનું અસ્તિત્વ તે પ્રતીતિમાં ભક્તિભાવથી તરબોળ જેમ જેમ થાય, તેમ તેમ કર્મસંસ્કારોનું આવરણ છેદાતું જાય. ભક્ત પછી દિવ્ય પ્રીતના સ્પંદનોને, પ્રકાશિત જ્યોતના સંવેદનને માણે. આત્મીય ચેતનાની દિવ્યતાને મનુષ્ય જીવન રૂપે માણવાની છે. તેથી મનુષ્ય જન્મની શ્રેષ્ઠતાનો, મહત્તાનો નિર્દેશ પ્રાચીન કાળથી ઋષિઓએ અક્ષર શબ્દોના કહેણથી દર્શાવ્યો છે. ઋષિવાણી એટલે જ સ્વાનુભૂતિની વાણી. ઋષિ મતિનું સૌમ્ય સમતોલ ગતિનું આચરણ, એટલે મનની જાજમ પર થયેલું દિવ્ય ગુણોનું ભરતકામ, જે બીજા જિજ્ઞાસુ ભક્તોને અર્પણ કરે નિઃસ્વાર્થ પ્રેમભાવની સુંવાળપ, કે સમર્પણભાવ રૂપી સુવર્ણ રંગની નમ્રતા. તેથી જ્ઞાની ભકતની ઋષિ મતિના સાંનિધ્યમાં જિજ્ઞાસુ ભકતના વિચારો અંતરયાત્રાથી પરિચિત થતાં જાય અને સાત્ત્વિકભાવની જાગૃતિનું પોષણ અનાયાસે ધારણ થતું જાય,

 

અંતરયાત્રા વિચારોથી ન થાય પણ ભાવથી થાય. ભક્તના ભાવની નિષ્કામ નિરપેક્ષતા જ અંતરની સૂક્ષ્મતામાં- વિશાળતામાં ઓતપ્રોત થતી જાય. એ ભક્તનું અસ્તિત્વ પછી ભાવની વિશુદ્ધ ધારા બની જાય અને આત્મીય ચેતનાની ગતિમાં ગતિમાન થતું જાય. તેથી જ જિજ્ઞાસુ ભકત સાત્ત્વિકભાવની જાગૃતિ માટેનું પોપણ જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં આદરભાવની નમ્રતાથી ગ્રહણ કરતો રહે. જેથી સાત્ત્વિક વિચારોમાં સમાયેલી સૂક્ષ્મ સમજ આત્મમંથન રૂપે ધારણ થઈ શકે. આત્મમંથન રૂપે મનને સૂક્ષ્મ-સ્થૂળ, નિરાકાર-આકાર વગેરે બે સ્થિતિના જોડાણમાં સમાયેલી પ્રભુની ચેતનાના અણસારા મળતાં જાય. એવાં અણસારા રૂપે સ્થૂળ આકારિત કૃતિઓની આસક્તિથી મુક્ત કરાવતી જ્ઞાન- ભક્તિમાં મન વધુ દઢતાથી લીન થતું જાય.

 

આમ આધ્યાત્મિક પ્રવૃત્તિ સ્વરૂપે જો સાત્ત્વિક વિચારોનું પોષણ ધારણ થતું જાય તો આત્મમંથન સહજ થતું જાય. સહજ એટલે રોજિંદા જીવનની ક્રિયાઓમાં સ્વાભાવિક રીતે સૂક્ષ્મ સમજની બુદ્ધિથી સમજાતું જાય, કે જેમ મનુષ્ય આકારની રચના પ્રભુએ કરી છે, તેમ પ્રભુએ બીજા વિવિધ પ્રાણીઓના આકારની રચના પણ કરી છે. તે દરેક માકારની રચના રૂપે પ્રભુના દિવ્ય ગુણોનું પ્રભુત્વ જ પ્રદર્શિત થાય છે, તેથી પ્રકૃતિની દરેક આકૃતિ કે પદાર્થની વિવિઘતાનો જો મહિમા સમજાય તો પ્રભુની ગુણિયલ ચેતનાનું દર્શન થાય. એવાં દર્શનની જાગૃતિમાં મનની ગુણિયલતા જાગૃત થતી જાય. અર્થાત્ ગુણિયલ સ્થિતિને ધારણ કરાવતું અધ્યયન કે આત્મમંધન કરવું, તે જ છે ભક્તિભાવનું આચરણ, તેથી જિજ્ઞાસુ ભક્ત અશાની વૃત્તિઓનું આવરણ, જે ભવોના કર્મસંસ્કારોનું છે, તેની નિવૃત્તિ માટે પ્રભુ કૃપાની યાચના કરતો રહે અને વિનંતિભાવથી એકરાર કરતો રહે કે

 

“હે પ્રભુ! ખૂલતાં ગયાં મનનાં દરવાજા ભક્તિભાવથી અને અંતરગમનનો રાહ સુદર્શિત થયો;

સમજાયું કે સંકુચિત માનસથી, મારું-તારુંના વ્યવહારમાં મનની ગુણિયલતા ષુપ્ત રહી;

 આપનો સંગ માણવાની તક મળી અને જ્ઞાન ભક્તિની સરિતામાં મનની નાવ વહેતી રહી;

 અંતર ઊંડાણમાં ભાવની ધારામાં ઓતપ્રોત થવાય, એવી અનન્ય કૃપાનો ધોધ વરસાવતાં રહેજો.’’

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

Read More
૨૯-૦૪-૨૦2૩

 

 

હું વિચારી શકું છું, હું બુદ્ધિપૂર્વક સચોટ નિર્ણય કરી શકું છું, હું મારા કુટુંબની જવાબદારી નિભાવી શકું છું. હું મારી પોતાની મહેનતથી કમાણી કરી શકું છું એટલે ભોગ્ય પદાર્થોને મેળવી શકું છું, આવી કર્તાભાવ રૂપી વાડમાં સામાન્ય રૂપે માનવીનું મન બંધાયેલું રહે છે. કર્તાભાવની વાડમાં બંધાઈને અહંકારી રાગ-દ્વેપના વર્તનથી માનવી જીવે છે. મારું-તારુંના લોભથી, કે માલિકીભાવનાં સ્વાર્થી વર્તનના લીધે તૃપ્તિનાં અનુભવમાં પણ મન અસ્થિર રહે છે. એટલે તુમ કરતી પરિસ્થિતિમાં ઘણીવાર અતૃપ્તિની નિરાશાને મન અનુભવે છે. કારણ રાગ-દ્વેષની વિરોધી વૃત્તિના વિચારોમાં જ મન બંધાયેલું રહે છે. એવું મન કર્તાભાવની અહંકારી સ્વભાવ રૂપી વાડમાંથી મુક્ત થવાનું ત્યારે વિચારે, જ્યારે તે કોઈ સંત કે પોગી જેવાં મહાત્માના મુક્ત જીવનને નિકાળે, મુક્ત જીવન જીવતાં મહાત્માઓના સાંનિધ્યમાં જો રહેવાં મળે, તો મુક્ત સ્વરૂપના શાંત સ્પંદનો અનુભવાય, ત્યારે મુક્ત જીવન જીવવાની ઈચ્છા જાગે. એવી ઈચ્છા જો પ્રભુ કૃપા રૂપે પ્રબળ થાય, તો અંતર જીવનની મુક્ત ગતિ તરફ પ્રયાણ કરાવતાં સાત્ત્વિક વિચારોના અધ્યયનમાં મન સ્થિત થાય અને જ્ઞાન-ભક્તિના સદાચરણની મહત્તા સમજાતી જાય.

 

અંતર જીવનની મુક્ત ગતિમાં નથી ભવિષ્યની ચિંતા, કે ભૂતકાળની ઘટનાઓનું સ્મરણ. એટલે મન વર્તમાનની ક્ષણમાં ભક્તિભાવથી જીવે અને પ્રભુની પ્રતીતિ કરે. કર્મ કરાવનાર પ્રભુની ઊર્જા શક્તિની ચેતના છે એ સત્યના સ્વીકારથી જીવન જિવાય, ત્યારે પ્રભુના સ્મરણથી થતાં કાર્યોમાં રાગ-દ્વેપના વિચારો ઓગળતાં જાય અને પ્રેમભાવની સુમેળતાના વિચારો ઉદ્ભવતાં જાય. રાગ-દ્વેષના ભેદભાવનો સંઘર્ષ ન હોય, ત્યારે શાંત સ્થિતિને મન અનુભવે છે. ભેદભાવના અભાવનું શાંત સ્થિતિનું જીવન આપણે બધાએ બાળપણમાં મોટેભાગે માણ્યું છે. જ્યારે નાના હતાં ત્યારે ભૂખ લાગે તે વખતે મા ખવડાવતી હતી. ભૂખ લાગી છે અને મા ખવડાવશે એવી શ્રદ્ધ પણ રાખવી ન્હોતી પડતી, કે મા ખાવાનું નિહ ખવડાવે તો શું થશે એવા ચિંતાજનક વિચારો પણ હોતાં. કારણ મા સાથેનો બાળકનો જે પ્રેમાળ વહાલભર્યો સંબંધ હોય, એમાં માત્ર નિઃસ્વાર્થ પ્રેમ હોય. નિઃસ્વાર્થ પ્રેમમાં મારું-તારુંના ભેદભાવ ન હોય, કે સારું-ખરાબ છે એવી સરખામણીના વિચારો ન હોય, કે મેળવેલું છીનવાઈ જશે એવી ચિંતાના નિરાશાજનક વિચારો ન ન હોય, કે જે મારી પાસે છે એવું બીજા પાસે નથી એવાં અહંકારનો નશો ન હોય, કે મારી માલિકીનું કોઈ ઝૂંટવી લેશે એવા ભય પ્રેરિત વિચારોનો અંધકાર પણ ન હોય.

 

પ્રેમની નિઃસ્વાર્થતામાં એકબીજા સાથે હળીમળીને, એકબીજાનું શ્રેય થાય એવાં પરોપકારીભાવથી જવન જિવાય, એમાં પ્રેમની પ્રસન્નતા જ પ્રસરતી હોય. એટલે મા નો પ્રેમ અધીર બની વહેતો હોય. મા ને એવું થાય કે પોતાના બાળક માટે શું કરું અને શું ના કરું! મા તો પ્રેમની ધારા બની વરસતી રહે અને બાળક એ ધારામાં ઝબોળાતો રહે. બાળકનો સર્વાંગી વિકાસ પ્રેમની નિઃસ્વાર્થ ધારાથી થતો હોય છે. અર્થાત્ પ્રભુની ચેતના જ પ્રેમની ધારા રૂપે પ્રગટે છે. તે પ્રેમની ધારાનું દાન પ્રભુની પ્રાણ શક્તિ સૌ દેહધારી કૃતિઓને પાસ રૂપે અર્પણ કરે છે. સંસારી લોકિક મન જેવાં શંકા-સંદેહથી શ્વાસની ધારાનું દાન અર્પણ નથી થતું. પ્રભુ કદી ભેદભાવથી શ્વાસના અમૂલ્ય ધનને અર્પણ નથી કરતાં. જ્યાં પ્રેમભાવની નિઃસ્વાર્થતા હોય, ત્યાં નિરપેક્ષભાવની નિર્મળતા જ વહેતી હોય અને સમર્પણભાવની નિષ્ઠા હોવાથી ત્યાં આપ-લે કરવાની વિનિમય પ્રવૃત્તિનો વ્યવહાર ન હોય. સારું અથવા સફળ પરિણામની પ્રાપ્તિ થાય તો જ પ્રેમનું ધન પ્રાપ્ત થાય એવાં કારણ-કાર્યની ક્રિયા-પ્રતિક્રિયાથી જેમ નિઃસ્વાર્થ પ્રેમની ધારા વહેતી નથી, તેમ શ્વાસ અકારણ અનાયાસે સહજ અર્પણ થયાં કરે છે.

 

પ્રભુની ઊર્જા શક્તિના નિઃસ્વાર્થ વહેણ, કે શ્વાસની પ્રેમાળ ધારાનાં વહેણ કદી એવાં ધ્યેયથી કે વિચારોથી નથી વહેતાં કે, “મારા વહેણથી દેહધારી સર્વે જીવોને જીવંત જીવન જીવવાનું સત્ત્વ મળે છે, એટલે મારે ક્ષણે ક્ષણે ગતિમાન રહેવાનું છે, મારું સર્વસ્વ અર્પણ કરવાનું છે. મારા આધાર વગર સૌ નિરાધાર થઈ જશે, એટલે સોને શ્વાસની ચેતનાનું અમૂલ્ય દાન સમર્પિત કરતાં રહેવાનું છે. જેથી સર્જન- વિસર્જનની ક્રિયાઓ થઈ શકે અને જગતમાં સર્વત્ર ઉન્નતિની, વિકાસ-વૃદ્ધિની સમૃદ્ધિ પ્રસરી શકે.’’ પ્રભુની ચેતનાનું દાન આવાં ભાવથી અર્પણ નથી થતું. એ તો શૂન્યભાવનું અવકાશ સ્વયંભૂ શ્વાસની ચેતના રૂપે પ્રગટતું રહે છે.

 

જેમ સૂર્યદેવ કદી અંધકારને ઓગાળવા માટે પ્રકાશિત કિરણો નથી પ્રસરાવતાં, પણ પ્રકાશના પ્રસરણમાં અંધકારનું અસ્તિત્વ ટકી શકતું નથી, તેમ પ્રભુની પ્રાણ શક્તિની ઊર્જા, એટલે કે નિઃસ્વાર્થ પ્રેમની શ્વાસની ધારાનાં પ્રસરણમાં દેહધારી કૃતિઓ અમૃત સ્થિતિમાં તરે છે. તેથી દરેક દેહધારી કૃતિઓએ નિઃસ્વાર્થ પ્રેમનાં આચરણથી જીવવાનું હોય અને પ્રેમનું પ્રસરણ કરતાં રહેવું, તે છે જીવંત દેહધારી દરેક જીવનો યથાર્થ સ્વ ધર્મ. સાંપ્રદાયિક વિચારોના સ્વીકારથી ધાર્મિક આચરણ ન થાય. પરંતુ સાંપ્રદાયિક વિચારોનાં આચરણથી સ્વ ધર્મ ધારણ થઈ શકે. સ્વ ધર્મ એટલે જે આત્મીય ચેતનાનું સ્વ સ્વરૂપ છે, તે ચેતનાનાં સાત્ત્વિક ગુણો ખચરણ રૂપે ધારણ થાય, તેને કહેવાય સ્વ ધર્મનું સદાચરણ. જે દરેક જીવનો ધર્મ કહેવાય. એવાં ધાર્મિક આચરણ માટે જ સાંપ્રદાયિક વિચારોનાં આચરણથી રાગ-દ્વેષનાં ભેદભાવ જેમ જેમ ઓગળતાં જાય, તેમ તેમ મનની શુદ્ધતામાં પ્રેમભાવની નિઃસ્વાર્થતા જાગૃત થતી જાય. પછી સોહમ્ ભાવની જાગૃતિથી અંતર ભક્તિમાં ઓતપ્રોત થવાય અને પ્રભુ મિલનની, એકાકાર થવાની અંતર યાત્રા થતી જાય.

 

દેહધારી જીવનમાં જો પ્રેમની નિઃસ્વાર્થ ધારા વહે, તો પ્રભુ મિલનનો રાહ મળી સાત્ત્વિક વિચારો સ્વયં રાહબર બને અને સ્વમય ચિંતનની સહજતા ઘારણ થાય સ્વમય ચિંતનની ધારામાં સ્વ સ્વરૂપની સાત્ત્વિકતા, આચરણ રૂપે ધારણ થાય; જીવંત જીવનનો આશય સિદ્ધ કરાવતું ધાર્મિક જીવન પછી ભક્તિભાવથી જિવાય

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

Read More
૨૩-૦૪-૨૦૨૩

 

 

જીવંત જીવન જિવાડે પ્રભુ અને શ્વાસની પૂર્તિમાં છે પ્રભુની દિવ્ય ચેતનાનું વહાલ; પ્રભુ તો દરેક જીવ રૂપી બાળકને, શ્વાસની ચેતનાથી માતૃત્વભાવનું ધરે છે વહાલ; માતૃત્વભાવનું પોષણ મળે એમાં જડતાનું દૂષણ ન રહે, પણ ચેતનવંત સ્થિતિ રહે; પ્રભુના વહાલને ભક્ત તો માણે ભક્તિભાવથી અને ચેતનવંત જીવનને સાત્ત્વિકભાવથી શણગારે.

 

પ્રભુ ક્ષણે ક્ષણે શ્વાસનું અમૃત ધન અર્પણ કરવાની સેવા કરે છે અને માતાની જેમ વહાલથી ઉછેરે છે, જે મન પ્રભુના હર ક્ષણના સંગાથને અનુભવે, તે છે ભક્તનું મન. તે પ્રભુના સેવાભાવને, માતૃત્વભાવને અનુભવી સમર્પણભાવમાં સ્થિત રહે છે. સમર્પણ રૂપે અહમ્ વૃત્તિઓ અર્પણ થાય, ત્યારે પ્રભુના સંગાથની પ્રતીતિ થતી જાય. જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાથી સમર્પણભાવની જાગૃતિ આપમેળે થાય છે. પ્રભુના અંગત સંગાથની પ્રતીતિ જેમ જેમ થતી જાય, તેમ તેમ શ્વાસનો મહિમા સમજાતો જાય, કે પ્રભુનો શ્વાસ રૂપે જો સહવાસ નથી, તો દેહની જીવંત સ્થિતિ નથી. જીવંત સ્વરૂપની ચેતનવંત પરિસ્થિતિ જ્યાં નથી, ત્યાં છે નશ્વરતાની, કે જડતાની સ્થિતિ અને જડ સ્થિતિ વિકાસ વગર ક્ષીણ થતાં નાશ પામે છે. માનવી જીવન નથી જડતાનું, કે વિકાસ વગરનું કે નશ્વર સ્થિતિનું. એ તો પળે પળે નવીન શ્વાસની ચેતનાના સહારે વિકાસશીલ વૃદ્ધિની ક્રિયાઓથી પાંગરતું રહે છે. એવું વૃદ્ધિની ક્રિયાઓનું સાત્ત્વિક જીવન એટલે જ ભક્તિભાવનું સદાચરણ. ભક્તિભાવ સ્વરૂપે ભક્ત તો પ્રકૃતિના પાંદડે પાંદડે સાત્ત્વિક ગુણોનું સૌંદર્ય નિહાળે અને આસપાસની સર્વે જીવંત કૃતિઓમાં પ્રભુની ચેતનાનાં દર્શન કરે.

 

ભક્તિભાવની સાત્ત્વિકતા વિચાર-વર્તન રૂપે પ્રગટતી હોય, ત્યારે ભક્તના મનમાં હંકારી રાગ-દ્વેષાત્મક વર્તનનાં ખાડાંઓ ન હોય. એનાં મન રૂપી રસ્તા પરથી નવાં નવાં સાત્ત્વિક વિચારો રૂપી વાહનો ગતિમાન રહે છે અને સાત્ત્વિક વિચારોનું ગુણિયલ સત્ત્વ વર્તન રૂપે પ્રગટતું રહે છે. સામાન્ય માનવીના મન રૂપી રસ્તા પર સાત્ત્વિક વિચાર રૂપી વાહન ગતિમાન થઈ શકતું નથી. કારણ રાગ, દ્વેષ, ઈર્ષ્યા, ક્રોધ, લોભ, મોહ વગેરે અહંકારી વૃત્તિઓનાં ખાડાંઓના લીધે સાત્ત્વિક વિચારો ગતિમાન થઈ શકતાં નથી, એટલે કે સાત્ત્વિક વિચારોનું ચિંતન થઈ શકતું નથી અથવા સાત્ત્વિક ભાવાર્થ ગ્રહણ થતો નથી. જેવી વૃત્તિ તેવાં વિચારોનું વર્તન. અહંકારી વૃત્તિના વિચારોનું માનસ સંકુચિત ભેદભાવવાળું હોય. મારું-તારું-પરાયું એવા ભેદભાવમાં ફરતાં અજ્ઞાની મનને પ્રભુના અમૃત ધનની સાત્ત્વિકતાનો સ્પર્શ થતો નથી. તેઓને જીવંત જીવન જીવવાં જેટલું શ્વાસનું ધન મળે, પણ શ્વાસમાં સમાયેલું સાત્ત્વિક ગુણોનું પ્રભુત્વ અજ્ઞાનતાના લીધે પ્રગટતું નથી. અજ્ઞાની વૃત્તિ-વિચારોના આવરણને લીધે શ્વાસમાં સમાયેલું પ્રભુત્વ પ્રકાશિત થતું નથી. જેમ ગાઢ વાદળોના આવરણને લીધે સૂર્ય પ્રકાશને જોઈ ન શકાય તેમ અજ્ઞાની વૃત્તિ- વિચારોનાં આવરણને લીધે પ્રભુત્વનું ગુણિયલ ધન સુષુપ્ત રહે છે.

 

પ્રભુનું અમૃત ધન શ્વાસ રૂપે અર્પણ કરે છે. છતાં અજ્ઞાની મન તેને સાત્ત્વિક વર્તન રૂપે ભોગવી શકતું નથી. એટલે ક્ષણે ક્ષણે અર્પણ થતી પ્રભુની શ્વાસની નિર્મળતાનો, નિરપેક્ષતાનો કે પ્રીતની દિવ્યતાનો સ્વીકાર થતો નથી. પ્રભુ ધનનો અસ્વીકાર થવાથી આજુબાજુના વાતાવરણમાં, વાયુ-જળની પ્રકૃતિમાં અશુદ્ધિનું પ્રદૂષણ વધે છે અને એકબીજા સાથેના સંબંધોમાં નિઃસ્વાર્થ પ્રેમની ખોટ વધતી જાય છે. અજ્ઞાની મન જો પાસની મહત્તાને જાણે, તો ભક્તિભાવથી જીવવાનો રાહ મળી શકે. પોતાના મિત્રો, સ્વજનો, કે અંગત કુટુંબીજનોની ખોટ જ્યારે શરીરના મૃત્યુ રૂપે અનુભવાય, ત્યારે શ્વાસની મહત્તા જો પરખાય, તો જ્ઞાન ભક્તિના માર્ગે પ્રયાણ કરવાની ઈચ્છા પ્રબળ થઈ શકે.

જ્ઞાન-ભક્તિના માર્ગનું દર્શન જ્યારે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં ધારણ થાય, ત્યારે જીવંત જીવનનો પથાર્થ મહિમા સમજાય અને દેહધારી જીવનનો આશય પરખાય.

 

જ્ઞાની ભક્તનું સાંનિધ્ય એટલે જ્ઞાન-ભક્તિની સાત્ત્વિકતાનું ધામ. જ્ઞાન-ભક્તિના સદાચરણ રૂપે પ્રભુની દિવ્ય ચેતનાનું ગુણિયલ પ્રભુત્વ ભક્ત દ્વારા પ્રકાશિત થતું રહે, જે બીજા જિજ્ઞાસુ ભક્તોને ઊર્ધ્વગતિની ઉન્નતિનું માર્ગદર્શન ધરે છે, એવા માર્ગદર્શન રૂપે અજ્ઞાની વૃત્તિ-વિચારોનું આવરણ ઓગળતું જાય અને સદુપયોગી જીવંત જીવનનો મહિમા ગ્રહણ થાય કે,“ પ્રભુનું શ્વાસનું ધન છે, તો મારું તન-મનનું જીવન છે. હું એટલે કે મન રહે છે માનવ આકારના શરીરમાં. એટલે હું જીવું છું પ્રભુના સહારે. મારા દેહને અર્પણ થતું પાસનું ધન એટલે જ માનવી જીવન રૂપે પ્રભુને સાક્ષાત્ મળવાનો મોકો. પ્રભુને મળવાનો મોકો ખુદ પ્રભુ પોતે શ્વાસના સેવાધનથી અર્પે છે. તેની અજ્ઞાનવશ મેં અવગણના કરી. પરંતુ જ્ઞાની ભક્તનાં સાંનિધ્યથી પરખાતું ગયું, કે હું જે પણ ક્રિયા કે પ્રતિક્રિયા કરું છું, જે પણ વિચાર વર્તન કરી શકું છું તથા અનુભવી શકું છું, કે સાર અસારનો ભેદ જાણી શકું છું, વિદ્યા મેળવી શકું છું, રૂપિયાની કમાણી કરાવતાં આજીવિકાના કાર્યો કરી શકું છું, કે શરીરની દરેક અવસ્થાનું સંસારી જીવન ભોગવી શકું છું, કે જ્ઞાન-ભક્તિના સદ્ભાવથી અંતરધ્યાનસ્થ થઈ શકું છું, વગેરે સર્વે ક્રિયાઓનું જીવન જેનાં સહારે જિવાય છે તેને જ ભૂલીને ક્રિયાઓ કરતો રહ્યો!!’ આ ભૂલી જવાની ભૂલોની માફી માંગીએ અને પ્રભુના અંગત સંગાથને માણી શકાય એવું ભક્તિભાવની જાગૃતિનું જીવન જીવીએ. He

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

Read More
book img
પ્રીતની ઊર્જા છે સર્વત્ર

દિવ્ય પ્રીતનો આનંદ પ્રગટે નિઃસ્વાર્થ પ્રેમના સદાચરણથી અને તે પ્રીતની ઊર્જા છે સર્વત્ર; પ્રીતની ઊર્જાથી થાય છે સર્જન-વિર્સજનની ક્રિયા અને ઊર્જા છે પ્રભુભાવની આત્મીય ચેતના; તે દિવ્ય ચેતનાની પ્રતીતિમાં ભક્ત તરે નિઃસ્વાર્થ પ્રેમનાં સદાચરણથી, ત્યારે પ્રગટે અંતર કહેણની ધારા; અંતર કહેણના સાત્ત્વિક વિચારો રૂપે પ્રસરે આત્મીય પ્રીતની ચેતના, જે ધરે મનને જાગૃતિનું પોષણ,

 

વર્તમાન સમયની સ્પર્ધાત્મક જીવનની દોડધામમાં ઘણાને નિઃસ્વાર્થ પ્રેમનો અનુભવ અશક્ય લાગે છે. પરંતુ માનવીને પોતાની શિશુ અવસ્થાનું સ્મરણ જો થાય, તો નિઃસ્વાર્થ પ્રેમની નિર્દોષતાના અણસારા મળે, શિશુ અવસ્થામાં નિઃસ્વાર્થ પ્રેમની ધારામાં આપણે ઝૂલતાં હતાં. જેમ જેમ મોટા થતાં ગયાં, તેમ તેમ પ્રેમની નિઃસ્વાર્થતા ઘટતી ગઈ અને મારું-તારું-પરાયું એવાં સ્વાર્થી ભેદભાવમાં મન વીંટળાતું ગયું. તરુણવયની બુદ્ધિથી વિદ્યા અભ્યાસથી મન કેળવાતું ગયું, પણ યુવાનીમાં બુદ્ધિ પ્રતિભાનું ઘમંડ વધતાં પ્રેમની નિખાલસતા ખોવાઈ ગઈ. આમ છતાં દરેક માનવી જ્યારે માતા- પિતાનું પાત્ર ભજવે છે, ત્યારે પોતાના બાળકના ઉછેર રૂપે નિઃસ્વાર્થ પ્રેમને અનુભવે છે. પરંતુ જોઈએ એટલાં પ્રમાણમાં સ્વાર્થ વૃત્તિનું આવરણ વિલીન થતું નથી. તેથી પ્રભુએ રચના એવી કરી છે કે પૌઢ અવસ્થામાં અને વૃદ્ધ અવસ્થામાં માનવી પોતાના પૌત્ર કે પૌત્રી સાથે નિઃસ્વાર્થ પ્રેમની પ્રસન્નતાને માણી શકે. મનને જો નિઃસ્વાર્થ પ્રેમની પ્રસન્નતાનો અણસારો મળે, તો આત્મ સ્વરૂપની દિવ્ય પ્રીતનો આનંદ માણવાની જિજ્ઞાસા જાગી શકે,

 

મનુષ્ય જન્મ એટલે પ્રેમની નિઃસ્વાર્થતાનો અનુભવ કરવાનો અવસર. પોતાના આત્મ સ્વરૂપની દિવ્ય પ્રીતની ગુણિયલતાને નિખાલસ પ્રેમ રૂપે અનુભવવા માટે, આપણને મનુષ્ય દેહની સુવિધા પ્રાપ્ત થઈ છે. વિચાર-વર્તન રૂપે જો નિખાલસ પ્રેમનું નિવેદન થતું રહે, તો પ્રભુની દિવ્ય પ્રીતનું સંવેદન ધારણ થઈ શકે. જેમ એક ધાતુના તારમાંથી પ્રભુની ઊર્જા શક્તિનો વિદ્યુત પ્રવાહ(ઈલેકટ્રીસીટી) પસાર થાય છે, ત્યારે તે તાર વિદ્યુત પ્રવાહનું સંવેદન ઝીલે છે. તે તાર સંવાહક બને છે, તેથી તો વિદ્યુત શક્તિના આધારે ચાલતાં અવનવા યંત્રોની-ઉપકરણોની ઉપયોગી સુવિધાને આપણે ભોગવી શકીએ છીએ. આજનાં આધુનિક સમયમાં વિદ્યુત શક્તિના આધારે આરામદાયક સુવિધાવાળું જીવન સૌ જીવે છે, પણ તે શક્તિની હાજરીથી અજાણ રહીને માનવી જીવે છે. એટલે પોતે જ કર્તા હર્તા છે અને પોતાની બુદ્ધિથી બધુ પ્રાપ્ત થાય છે એવાં મિથ્યાભિમાનનાં સ્વાર્થી વર્તનમાં આળાટે છે. જો પ્રભુની ઊર્જા શક્તિ ક્ષણે ક્ષણે શ્વાસની ચેતના રૂપે પ્રામ ન થાય, તો મન-બુદ્ધિની ક્રિયાઓ, કે શરીરના અંગોની ક્રિયાઓ થઈ ન શકે. એ સત્યને માનવી કેમ ભૂલી જતો હશે?

 

ભૂલવાની ભૂલને સુધારી શકાય, જો જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં જ્ઞાન-ભક્તિના સદાચારથી મન કેળવાતું જાય. કેળવણી રૂપે તન-મનનાં દેહ રૂપે પ્રભુની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ થાય, ત્યારે મિથ્યાભિમાનનો અહંકાર ઘટતો જાય. સાંનિધ્ય રૂપે જિજ્ઞાસુ મન કેળવાય, ત્યારે તે દિવ્ય પ્રીતના સ્પંદનોને, અંતરાત્માની પ્રસન્નતાને જ્ઞાની ભક્તના નિઃસ્વાર્થ પ્રેમ રૂપે અનુભવે છે. એવાં અનુભવોથી જિજ્ઞાસુ મનને સત્યનું દર્શન થાય છે. સત્ય દર્શનથી દેહધારી જીવંત જીવન રૂપે પ્રભુની અણમોલ કૃપાની છત્રછાયા અનુભવાય. પાસની ચેતનાનું પ્રસરણ પૂર્ણ દેહમાં પ્રસરે છે, ત્યારે ચેતનવંત ઊર્જાના વિદ્યુતિ તરંગોને મગજના જ્ઞાનતંતુઓ ઝીલે છે. દેશની દરેક પ્રકારની ક્રિયાઓ જ્ઞાનતંતુઓનાં સહયોગથી થતી રહે છે. અર્થાત્ જ્ઞાનતંતુઓ પ્રભુની ઊર્જા શક્તિનું સંવેદન ઝીલે છે, એટલે જ દેહધારી જીવંત જીવન જિવાય છે. આ સત્યના સ્વીકારથી જિજ્ઞાસુ ભક્ત નિશ્ચય કરે છે કે,“ પ્રભુની ઊર્જા ધન ક્ષણે ક્ષણે ધારણ થાય છે, તો મારા વિચાર-વર્તનથી પ્રભુની ઊર્જાનું દિવ્ય પ્રીતનું નિવેદન થવું જોઇએ.’’ એવું નિવેદન પ્રગટે તે છે જ્ઞાની ભક્તનું નિઃસ્વાર્થભાવનું સદાચરણ. કોઈ પણ કારણ વગર બીજાને સંતોષ, આનંદ સહજ અર્પણ થાય એવું નિખાલસ પ્રેમાળ વર્તન એટલે જ નિઃસ્વાર્થભાવનું સદાચરણ.

 

દરેક મનુષ્ય નિઃસ્વાર્થ પ્રેમનું નિવેદન કરી શકે છે. પરંતુ માનવી મન મોટેભાગે સ્વયંના સ્વ સ્વરૂપથી અજાણ રહે છે. એટલે મારું-તારુંના અહંકારી રાગ-દ્વેષમાં વીંટળાયેલું રહે છે. એવું નથી કે માનવીને નિખાલસ પ્રેમની ભાળ નથી. તે જાણે છે કે સ્વાર્થી વર્તનના લીધે જ ખુદ પોતે પ્રેમની નિખાલસતાને માણી શકતો નથી. જાણવા છતાં પોતાની ભૂલોને ઢાંકવી, તે છે ઢોંગી મન. જે અહંકારી સ્વભાવથી પોતે બીજા કરતાં શ્રેષ્ઠ છે એવી સરખામણી કરતું રહે છે. કીર્તિ, સન્માન કે પદવી મેળવવાની ઈચ્છાઓમાં બંધાઈને પોતે આકારિત શરીર છે એવી અજ્ઞાનતામાં ડૂબેલું રહે છે. જ્યાં સુધી મન પ્રભુની સાક્ષાત્ હાજરીને અનુભવતું નથી, ત્યાં સુધી અહંકારી સ્વભાવનું પરિવર્તન થતું નથી. સ્વભાવનું પરિવર્તન થાય જ્ઞાન-ભક્તિના સત્સંગથી, ત્યારે કરેલી ભૂલોનો પસ્તાવો થાય અને અંતર યાત્રા તરફ પ્રયાણ થતું જાય.

 

અંતર યાત્રા રૂપે સાત્ત્વિકભાવની જાગૃતિ ધારણ થાય અને અંતર કહેણનું સંવેદન ધારણ થાય. એવાં સંવેદન રૂપે આત્મીય દિવ્ય પ્રીતની અભિવ્યક્તિ અનુભવાય, ત્યારે ‘હું ભક્તિ કરું છું’ એવાં વૃત્તિ-વિચારો ઓગળી જાય. કારણ જાણવાની જિજ્ઞાસુ વૃત્તિ પોતે જ જણાવનાર દિવ્ય મતિને ધારણ કરે, જે અંતર કહેણ રૂપે પ્રગટે. પછી જાણવાનું ન હોય, પણ જગાવનાર દિવ્ય મતિની ચેતના જે અભિવ્યક્તિ ધરે તેને માણવાની હોય. આવી સ્વયંને માણવાની એકમની સ્થિતિ સ્વયંભૂ આપમેળે પ્રગટે છે. એટલે હું પદની અહંકારી વૃત્તિ જો પ્રભુને શોધે તો પ્રભુને મળી ન શકે, અહંકારી વૃત્તિની જાગૃતિમાં પ્રભુ પ્રીતની પ્રસ્તુતિ સુષુપ્ત રહે છે. પ્રભુને વિનંતિ કરતાં રહીએ કે અહંકારી વૃત્તિ-વિચારોને ઓગાળતું જ્ઞાન-ભક્તિનું સાત્ત્વિકભાવનું પોષણ ધારણ થતું રહે, જેથી નિઃસ્વાર્થ પ્રેમનું સંવેદન માણી શકાય.

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

Read More
book img
પ્રભુ શ્વાસે શ્વાસે આપની હાજરી અનુભવું….

જ્ઞાની ભક્તનું સાંનિધ્ય જો મળી જાય, તો સંસારી વિષયોની આસક્તિથી મુક્ત થવાનો માર્ગ મળી જાય. પરંતુ સાંનિધ્યની અલભ્યતાનો સ્વીકાર મનોમન થવો જરૂરી છે. જ્યાં સુધી પોતાના મનની સીમિત જાગૃતિ અને જ્ઞાની ભક્તની આત્મ સ્થિત નિરપેક્ષભાવની વિશાળતાનો ભેદ નહિ સમજાય, ત્યાં સુધી મન માત્ર સાંનિધ્ય રૂપે સાત્ત્વિક વિચારોને સાંભળવાનો કે સમજવાનો પ્રયત્ન કરે છે. સમજીને આચરણની જિજ્ઞાસા જાગૃત થાય, તો સાંનિધ્ય રૂપે પ્રકાશિત સ્પંદનોની પૂર્તિ પ્રેમભાવથી થતી જાય. જેમ માતા પિતાના પ્રેમને બાળક અનુભવે, તેમ પ્રકાશિત ચેતનાની પૂર્તિ નિઃસ્વાર્થ પ્રેમ સ્વરૂપે થાય છે, જે આપણાં મનમાં જિજ્ઞાસુભાવનો અગ્નિ જગાડે છે. એકવાર જિજ્ઞાસુભાવનો અગ્નિ પ્રગટે, પછી સ્વયંની ઓળખ રૂપે અહંકારી સ્વભાવની ભૂલોનું દર્શન થતું જાય. તન-મનનાં દેહધારી જીવનનો આશય સમજાય અને આશષ અનુસાર જ્ઞાન-ભક્તિથી જીવન જીવવાનો સંકલ્પ દેઢ થતો જાય. જિજ્ઞાસુ મનને આકારિત વસ્તુઓનું કે પદાર્થોનું નાવંત મૂલ્ય જેમ જેમ પરખાતું જાય, તેમ તેમ સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ થતો જાય. ભાવાર્થના સ્વીકારમાં દુન્યવી પદાર્થોની આસક્તિ ઓછી થતાં, આત્મીય સાત્ત્વિક ગુણોને જાગૃત કરાવતી જ્ઞાન-ભક્તિમાં મન સહજ લીન થતું જાય.

 

જિજ્ઞાસુ ભક્ત માત્ર નામ સ્મરણના જપ કરતો નથી, પણ શ્વાસે શ્વાસે પ્રભુની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ કરાવતી સ્મરણ ભક્તિમાં લીન રહે છે. એવી સ્મરણ ભક્તિનો યજ્ઞ એના મનમાં પ્રગટ્યો હોવાથી, એ કદી સમયની મર્યાદામાં બંધાઈને પ્રભુ સ્મરણ કે ચિંતન ન કરે. એવાં સ્મરણ ભક્તિનાં યજ્ઞમાં અહમ્ વૃત્તિની આહુતિ આપમેળે અપાતી જાય અને રાગ-દ્વેષાત્મક સંકુચિત માનસનો સ્વભાવ ઓગળતો જાય. આમ સ્વભાવનું પરિવર્તન જ્ઞાની ભક્તનાં સાનિધ્યમાં સરળતાથી થાય. પછી સુષુપ્ત રહેલું મનનું ભક્ત સ્વરૂપ જાગૃત થાય, ત્યારે જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાય. ભક્ત એટલે જ ભાવની નિઃસ્વાર્થતા, નિરપેક્ષ પ્રેમની સાત્ત્વિકતા, પ્રભુ સાથેની એક્યતામાં એકરૂપ થવાની તન્મયતા. નિઃસ્વાર્થભાવની તન્મયતા પ્રભુની દિવ્ય પ્રીતની આસક્તિમાં વીંટળાઈ જાય. પ્રભુ મીતની આસક્તિમાં વીંટળાયેલા ભક્તને પ્રારબ્ધગત જીવનની ઘટનાઓ આશીર્વાદ સમાન લાગે છે. કારણ પોતે કરેલાં કર્મોના પરિણામ રૂપે આપણને સૌને વર્તમાનનું જીવન મળ્યું છે. એ જીવનનો જો અનાદર કરીએ, કે સંસારી કર્તવ્યનો તિરસ્કાર કરીએ, તો કરેલાં કર્મોની ગાંઠો છૂટતી નથી અને કર્મસંસ્કારોનું આવરણ વિલીન થતું નથી.

 

આવરણ વિલીન કરવા માટે જ મનુષ્ય દેહ ધારણ કર્યો છે. જો ભક્તિભાવથી જીવન જીવીએ, તો ભક્તની જેમ અંતર ભક્તિમાં ધ્યાનસ્થ કરાવતી ભક્તિની આસક્તિ જાગૃત થઈ શકે. ભક્ત તો કર્મ-ફળની પ્રક્રિયાનું જીવન પ્રેમભાવની નિઃસ્વાર્થતાથી જીવે અને ભક્તિની આસક્તિમાં એનાં કર્મસંસ્કારોની ગાંઠો આપમેળે છૂટી જતાં અંતર ભક્તિમાં તે ધ્યાનસ્થ રહે. પ્રભુ ભક્તિની આસક્તિ એવી તીવ્ર હોય છે કે લૌકિક કર્મસંસ્કારોના વૃત્તિ-વિચારો પ્રગટે, ત્યારે ભક્તિના પ્રભાવધી કર્મસંસ્કારો ભાવ સંસ્કારમાં ફેરવાઈ જાય. આમ કર્મસંસ્કારો નિરાધાર થઈ જતાં ભાવ સંસ્કારોના વૃત્તિ-વિચારો ભક્તિમાં તલ્લીન કરાવતાં જાય. ભક્તિની તલ્લીનતામાં અંતરભાવની નિઃસ્વાર્થના પ્રગટતી જાય, જે અંતર ભક્તિ સ્વરૂપે સ્વાનુભૂતિના પ્રકાશમાં ઓતપ્રોત કરાવે. સ્વાનુભૂતિનાં પ્રકાશમાં સ્વયંભૂ એકરૂપ થવાય. એમાં ભક્તનો કોઈ પુરુષાર્થ ન હોય, પણ જ્ઞાન-ભક્તિની આસક્તિનું, નિઃસ્વાર્થ પ્રેમભાવનું, સમર્પણભાવનું પ્રેરક બળ હોય, જે વૃત્તિ-વિચારોનું માન કરાવે, ત્યારે આત્મીય ચેતનાની પ્રકાશિત ગતિમાં ગતિમાન થવાય. તેથી ભક્ત સદા પ્રભુને વિનંતિ કરતો રહે કે, ભક્તિની આસક્તિથી આપની પ્રકાશિત ચેતનામાં અનાસક્તભાવની જાગૃતિને ગતિમાન રાખજો.

“હે પ્રભુ! શ્વાસે શ્વાસે આપની હાજરી અનુભવું, એટલે સ્મરણ કરવાનું યાદ કરવું પડતું નથી; સ્મરણ ભક્તિના યજ્ઞમાં આહુતિ પદની અર્પણ થતી રહે છે અને શ્વાસનો સોહમ્ નાદ પ્રગટે છે; સોહમ્ નાદનો સૂર કાનથી નથી સંભળાતો, પણ અનાસક્ત ભાવના સ્પંદનોચી અનુભવાય છે; કૃપા કરી અંતર ભક્તિની પ્રકાશિત ગતિમાં, અનાસક્ત ભાવની સ્થિરતાથી ગતિમાન રાખજો...’

 

આસક્તિનું બળ અતિ તીવ્ર હોય છે. જેને માટે આસક્તિ જાગે, તેને પ્રાપ્ત કરવાનું કે મેળવવાનું મનને અશક્ય ન લાગે. આસક્તિનો આવો તીવ્ર પ્રભાવ હોવાંથી, દુન્યવી વસ્તુઓની, કે પદાર્થોની, કે વ્યક્તિની આસક્તિમાં માનવી તેની પ્રાપ્તિ માટે થાક્યાં વગર કે આળસ વગર મહેનત કરતો રહે છે. એવી મહેનતનું જીવન સંસારી વિચારોમાં બંધાઈને પસાર થતું રહે છે. તેથી જ્ઞાની ભક્તનું સાંનિધ્ય જો મળે, તો ભક્તિની આસક્તિ જાગૃત થાય અને જીવનનો હેતુ સાર્થક થાય. પછી અનાસક્તભાવની જાગૃતિ સ્વયંભૂ થાય, અનાસક્તભાવ એટલે આસક્તિ વગરની સ્થિતિ એવો સીમિત અર્થ નથી. પરંતુ જીવંત જીવનની વાસ્તવિકતા જણાય, ત્યારે પ્રભુની આત્મીય ચેતના સાથેની એક્યતાનો સ્વીકાર થાય. પછી જીવનની દરેક પ્રક્રિયામાં કે પ્રવૃત્તિમાં પ્રભુની ચેતનાની સાક્ષાત્ હાજરીની પ્રતીતિ થાય. ત્યારે ચેતના સાથે એકરૂપ કરાવતી જ્ઞાન-ભક્તિની આસક્તિ જાગૃત થાય. એવી જાગૃતિ છે મનનો અનાસક્તભાવ. જેને દુન્યવી સીમિત પરિસ્થિતિનું આકર્ષણ નથી, ઘર્ષણ નથી, કે તિરસ્કાર પણ નથી. એ તો ભક્તિભાવની તલ્લીનતાથી દરેક પરિસ્થિતિમાં સમાયેલી પ્રભુની ચેતનાની પ્રતીતિથી જીવન જીવે અને સ્વાનુભૂતિની ઊર્ધ્વગતિમાં ખોવાઈ જાય. સ્વયંનું અસ્તિત્વ પ્રભુની ચેતનામાં એકરૂપ થાય, એટલે કે ખોવાઈ જાય, તે છે અહમ્ વૃત્તિઓનું સમર્પણ થયું. પછી જ સ્થિતપ્રજ્ઞ મતિની સ્થિરતા જાગે, જે આત્માની વિશાળતામાં વિહાર કરતી રહે અને આત્મીય ગુણોનું પ્રભુત્વ સ્વયંભૂ વિચાર-વર્તન રૂપે પ્રકાશિત થાય, તે છે જ્ઞાની ભક્તનો નિરપેક્ષ સ્વભાવ. એવાં જ્ઞાની ભક્તોને શત શત કોટિ તે કોટિ પ્રણામ.

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

Read More
book img
મને શા કાજે લાગી આ ધૂન...

જિજ્ઞાસુ ભક્તના મનમાં જ્ઞાન-ભક્તિના રંગોથી રંગાઈ જવાની આતુરતા સહજ વધતી જાય, કારણ એનાં મનમાં સતત ઘુંટાયા કરતું હોય, કે પ્રભુની અસીમ કૃપાનાં લીધે જ ભક્તિના અલભ્ય રંગોમાં રંગાઈ જવાની ઈચ્છા જાગૃત રહે છે. એ કૃપા સ્વરૂપે જ્ઞાની ભક્તનું સાંનિધ્ય મળે છે અને સાંનિધ્યમાં રહીને સત્સંગ કરવાની અણમોલ તક મળે છે. જેમ સંસારી પ્રવૃત્તિના કાર્યો કરવા માટે, કાર્ય સંબંધિત વિચારોની માળા ગૂંથવાની મહેનત કરવી પડે છે. જેથી કાર્ય કરતાં પહેલાં અને કાર્ય કરતી વખતે વિચારોની યોગ્ય ગૂંથણી થાય, તો મનનું બુદ્ધિ સ્વરૂપ સહાય કરે અને કાર્ય કરવાનો ઉત્સાહ વધે, યોગ્ય પરિણામની પ્રાપ્તિ માટેની સકારાત્મકતા રહે તથા શ્રદ્ધાને અડગ(ડગે નહિ એવું – સ્ટેબલ) રાખી શકે; એ જ રીતે જ્ઞાન-ભક્તિના સત્સંગમાં બુદ્ધિપૂર્વક મનની અડગતા જરૂરી છે. જેથી સાત્ત્વિક વિચારોની માળા ગૂંથવાનો પુરુષાર્થ સહજતાથી થઈ શકે. જિજ્ઞાસુ ભક્તનું મન દઢ શ્રદ્ધા રૂપી દીપકની વાટ છે અને એમાં ઘી પૂરાતું રહે છે શરણભાવનું, દાસત્વભાવનું, જ્ઞાતાભાવનું, પ્રેમભાવનું. જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં રહીને આત્મ નિરીક્ષણ કરવાની, અધ્યયન કરવાની, સ્વમય ચિંતન કરવાની કળા જેમ જેમ ધારણ થતી જાય, તેમ તેમ ભાવ રૂપી ઘીની જાગૃતિ મનોમન ધારણ થતી જાય.

 

સાત્ત્વિક વિચારોની માળા ગૂંથવામાં, એનો ભાવાર્થ સમજવામાં જ્યારે સત્ દર્શનનો બોધ જિજ્ઞાસુ ભક્તના મનમાં સ્થપાતો જાય, ત્યારે મનોમન અંતરાત્મા સાથે સંવાદ થાય કે, “હે પ્રભુ! આ જગતમાં અનેક જીવ જીવે છે. પશુ, પંખી, જંતુઓ, જળચર વગેરે અનેક પ્રકારની જાતિ છે. એમાં મનુષ્યની જાતિ રૂપે શ્રેષ્ઠ સર્જન પ્રગટ થયું છે. શ્રેષ્ઠતા એટલે કે વિચારોનાં સહારે પોતાના જન્મનો આશય મનુષ્ય જાણી શકે છે, તથા આશય અનુસાર જીવવાનો પુરુષાર્થ કરી શકે છે. મુજને મનુષ્ય જન્મની ઉપલબ્ધિ(પ્રાપ્તિ) ધરી અને આપની અસીમ કૃપાની પ્રતીતિ કરાવતું જીવન ભક્તિ ભાવથી જિવાડો છો. સત્સંગથી કેળવાયેલાં મનમાં હવે સૂક્ષ્મ રહસ્યને ગ્રહણ કરાવતી સમજણ ખીલી છે, કે એક બીજમાં જેમ વટવૃક્ષ થવાનું સામર્થ્ય સમાયેલું છે; તેમ અંતર આત્મામાં સમાયેલું આપનું જે પ્રભુત્વ છે, તેને પ્રકાશિત કરવાનું સામર્થ્ય દરેક મનુષ્યમાં છે. આપનું આત્મીય પ્રભુત્વ છે અનંત તત્ત્વગુણોનું. એ તત્ત્વગુણો રૂપી બીજ જ્યારે જ્ઞાન-ભક્તિના સદાચરણથી ખીલશે, ત્યારે જ્ઞાની ભક્તની જેમ મારા મનનું ઉપવન(નાની વાડી) બની જશે આપના પ્રભુત્વને દર્શાવતું ઉદ્યાન(વિશાળ બગીચો)...

 

. પરંતુ હે પ્રભુ! જ્ઞાન-ભક્તિની અંતરયાત્રામાં હું પદના અહંકારી વૃત્તિ વિચારો રૂપી કાંટાઓ હજુ પણ પથરાયેલાં છે. જે સાત્ત્વિક ગુણોના આચરણને ખીલવામાં અવરોધક બને છે. જ્ઞાન-ભક્તિના રંગોથી પૂર્ણ રૂપે રંગાઈ જવાની તીવ્ર આકાંક્ષા છે, પણ ક્યારેક સંસારી જવાબદારીઓને નિભાવતા કાર્યો કરવામાં સમય પસાર થઈ જાય છે. સંસારી જવાબદારીનાં કાર્યો કરતી વખતે ઘણીવાર આપનું સ્મરણ તન્મયતાથી થતું નથી, એટલે કે સ્થૂળ આકારો સાથે જે પણ વ્યવહારિક કાર્યો થાય ત્યારે મનમાં આકારોની જ વાતો ઊભરાતી રહે છે. તે ક્ષણે નિરાકારની વાસ્તવિકતા ભૂલાઈ જાય છે, એટલે ખૂબ મુંઝવણ અનુભવાય છે. કે વીતી ગયેલો સમય પાછો નથી આવવાનો અને સંસારી કોયડાં ઉકેલવામાં જ સમય પસાર થઈ જાય છે. જેમ છોડ પરથી ખરી પડેલું ફૂલ કે ફળ પાછું છોડની ડાળી સાથે જોડાઈ શકતું નથી, તેમ વીતી ગયેલા સમય રૂપી ડાળીને પાછું પકડી શકાય એમ નથી. એ જાણીને ખૂબ અફસોસ થાય છે. તેથી મનની મૂંઝવણોથી, દ્વિધાઓથી મુક્ત થવા માટે ભજનોનું ગુંજન કરતો રહું છું. ભજનોનો ભાવાર્થ તથા સાત્ત્વિક સૂરનો ધ્વનિ મનમાં શ્રદ્ધા રૂપી દીપકના પ્રકાશને વધુ પ્રજ્વલિત કરે છે.

 

શ્યામની શ્યામની સ્યામની રે, મને શા કાજે લાગી આ ધૂન...

કોઈ કહેશે ઘેલછા લાગી આ માનવીને, કોઈ કહેશે પરભવનાં પુન...

જાણવું નથી કે લાગી આ ધૂન કૈમ, મારે માણવો છે આનંદ શ્યામનો રે;

સંસારી વાતોનાં કોયડા ઉકેલવામાં, ચાહ્યો જાય અણમોલ આનંદ;

આપના ચરણોમાં જીવન વિતાવવું છે, માર્ગમાં ન મૂકો વિકલ્પ,”

 

વારંવાર ભજનોનું જો ગુંજન થાય, તો ભાવિક સૂર મનને આશ્વાસન ધરી ઉત્સાહથી પ્રેરિત કરતું જાય કે જ્ઞાની ભક્તો, યોગીઓ, મહાત્માઓ, ઋષિઓ કે ફરિશ્તાઓ જો આ જગતમાં જીવતાં જ પરમાત્મા સાથેની એક્યતાનો આનંદ માણી શક્યાં છે અને માણતા રહે છે; તો અંતર ભક્તિ સ્વરૂપે મન જેમ જેમ સાત્ત્વિકભાવમાં તરતું જાય, તેમ તેમ ભીતરના દ્વાર ખૂલતાં પ્રકાશિત પ્રભુ દર્શનનો આનંદ અનુભવી શકાય. વાસ્તવમાં આ દ્વારની કોઈ દુન્યવી બારણાં જેવી સ્થિતિ નથી. દ્વાર એટલે જ દ્રવ્યની ધારા, તે દિવ્ય ચેતનાનું દ્રવ્ય ઊર્જા શક્તિ રૂપે પ્રકાશિત થાય છે. એ દિવ્ય દ્રવ્યનો ઉપભોગ અંતરધ્યાનની સ્થિરતામાં, ભક્ત નિઃસ્વાર્થભાવથી ભોગવે છે. જ્યાં સુધી મનની નિઃસ્વાર્થભાવની, કે અકર્તાભાવની, કે સમર્પણભાવની જાગૃતિ નથી, ત્યાં સુધી દિવ્ય ચેતનાના દ્રવ્યની પ્રકાશિત ગતિમાં એકરૂપ થવાતું નથી.

 

જિજ્ઞાસુ ભક્ત અંતર ભક્તિમાં ધ્યાનસ્થ થવા માટે પ્રભુને વિનંતિ કરતો રહે કે,“ મારે તો આપના ચરણોમાં જીવન વિતાવવું છે, તેથી સંસારી ઘટનાઓનો વિકલ્પ ન આપો. મારો સંકલ્પ તો વિકલ્પ રહિત છે, કે જીવતાં જ આપની દિવ્ય ચેતનામાં એકરૂપ થવું છે અને બીજા અધિકારી પાત્રો સાથે જ્ઞાન-ભક્તિનું દ્રવ્ય વહેંચતા રહેવું છે. તેથી સાત્ત્વિક બુદ્ધિની સ્થિરતા ધરો. બુદ્ધિની સ્થિરતાથી ભાવનું ઘી શ્રદ્ધા રૂપી દીપકની વાટને પ્રજ્વલિત રાખશે. જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં સાત્ત્વિક વિચારોના ચિંતનથી બુદ્ધિની સ્થિરતા વધે છે. સ્વમય ચિંતનની નિષ્ઠામાં સમજાયું કે સાત્ત્વિકભાવની જાગૃતિ થાય તો તે મનને સંસારી વાતોથી કે વિષયોને ભોગવવાના આકર્ષણથી વિચલિત કરતું નથી. કારણ સત્સંગની પળોમાં મન શ્રદ્ધાપૂર્વક એકાગ્ર રહે છે. છતાં કે નાય, આ તો હજી શરૂઆત છે, અંતર યાત્રા અનંત સ્વરૂપની છે. તેથી આપની અણમોલ કૃપાના સહારે નિઃસ્વાર્થભાવથી યાત્રા કરાવજો. ’’

 

સંકલનકર્તા -મનસ્વિની કોટવાલા

Read More