Quotes

Divinity is at the root of life and truth is oneness; the heart can feel the oneness when mind becomes selfless.

Spiritual Essays

Read the following articles and find out the meaning of your life.

book img
હવે ચરણમાં રાખજો પ્રભુ...

હું જીવંત છું કે જીવું છું એની પ્રત્યક્ષ સાબિતી એટલે જ શ્વાસની પાન-અપાનની ક્રિયા. આ અનન્ય અણમોલ ક્રિયા કરવાની સમર્થતા માનવી અથવા કોઈ પણ દેહધારી જીવ પાસે નથી. એ ક્રિયા તો પ્રભુની આત્મીય ચેતનાનાં ઊર્જા પ્રસરણથી સ્વયંભૂ થતી રહે છે. શ્વાસની દિવ્ય ક્રિયાને પ્રણામ કરવા એટલે જ પ્રાણાયમમાં મનને સ્થિત કરવું. પરંતુ પ્રાણાયમ કોઈ શારીરિક કસરતની પ્રક્રિયાની જેમ ન થાય. પરંતુ જ્ઞાન-ભક્તિનું પ્રાણાયમ જો થાય, તો સાત્ત્વિકભાવની જાગૃતિથી મન છલકાતું જાય. એવી સાત્ત્વિકભાવની છાલકથી અંગેઅંગની પ્રક્રિયાઓને નિરોગી આરોગ્યનું પોષણ મળતું જાય. એટલે શ્વાસને પ્રણામ બે આંખો બંધ કરીને હાથ જોડવાથી ન થાય. પ્રણામ સ્વરૂપે અહોભાવની પૂજનીયતા, કે શરણભાવની નમ્રતા જાગૃત થવી જોઈએ. ભાવની એવી જાગૃતિમાં વિચારોની આવનજાવન ઘટતી જાય અને શાંતિની પ્રસન્નતાનાં તરંગો પ્રકાશિત થતાં, મનનો સાત્ત્વિકભાવનો પ્રભાવ અંતરધ્યાનસ્થ થાય.

 

શ્વાસ સ્વરૂપે પ્રભુની સાક્ષાત્ હાજરીનો અનુભવ જિજ્ઞાસુ ભક્ત કરે, તે છે ભક્તિભાવનું આચરણ. એવી ભક્તિની ધારામાં સ્નાન કરતાં રહેવાંથી વિવેકી દ્રષ્ટાભાવથી મનોમંથન થતું જાય કે, જે અનન્ય ક્રિયાના લીધે મારી જીવંત સ્થિતિની જ્યોત પ્રગટેલી રહે છે, જે અદશ્ય ક્રિયાના લીધે અતૃપ્ત ઈચ્છાઓના કર્મસંસ્કારોને તૃપ્ત કરાવતું જીવન જીવી શકાય છે, જે અમૂલ્ય ક્રિયાના લીધે મગજ-ઈન્દ્રિયોના સહારે ઉપભોગી જીવનનો આનંદ માણી શકાય છે, જે અલંઘનીય(ઉલ્લંઘન ન થઈ શકે એવી) ક્રિયાના લીધે વૃદ્ધિ-વિકાસની ગતિથી નવું નવું સર્જાતું રહે છે, જે અવિચ્છિન્ન(સતત) ક્રિયાનાં લીધે સર્જાયેલી કૃતિઓ સ્વયંની મહત્તાને જાણી શકે છે તથા સ્વયંની ગુણિયલતાને સાત્ત્વિક વર્તન રૂપે પ્રગટાવી શકે છે; જે અનુપમ ક્રિયાના લીધે માનવી એકબીજા સાથેના સંબંધોને પ્રેમભાવથી માણી શકે છે તથા પ્રેમભાવથી સંબંધ રૂપી પુષ્પોની સુગંધને પ્રસરાવી શકે છે, જે અદ્વિતીય(અજોડ) ક્રિયાના લીધે પ્રકૃતિ જગત સાથે હળીમળીને જીવી શકાય છે અને હવા, પાણી, સૂર્ય-ચન્દ્ર પ્રકાશ, ધરતી પર ઉછરતી વનસ્પતિ-વૃક્ષો, ધરતીની ભીતરમાં સૂતેલી ધાતુઓ વગેરે સાથેનાં પરસ્પર સંબંધનું સુખ ભોગવી શકાયછે.

 

જે અમૂર્ત(નિરાકાર) ક્રિયાનાં લીધે અત્યારે આ ક્ષણે ‘જન્મભૂમિ પ્રવાસી’ની મધુવન પૂર્તિને હાથમાં

 

પકડી શકાય છે, છપાયેલાં શબ્દોનાં જુદાં જુદાં લેખ વાંચી શકાય છે, શબ્દોનાં અર્થ સમજી શકાય છે,

 

તે સમજ અનુસાર વર્તન કરવાનો નિર્ણય પણ થાય છે, તો એવી અતુલ્ય ક્રિયાના સંગમાં રહીએ છીએ

 

છતાં પણ તે સાત્ત્વિક સમર્પણભાવથી થતી પાન-અપાનની ક્રિયાને પ્રણામ કરવાનું મન કેમ થતું નથી?

 

શ્વાસ રૂપે પ્રભુનું સાક્ષાત્ આલિંગન થતું હોય છે. છતાં મંદિરની મૂર્તિમાં કે છબીમાં જ પ્રભુને શોધવું,

 

તે છે મનની અજ્ઞાનતા. જિજ્ઞાસુ ભક્તની જેમ દ્રષ્ટાભાવથી શ્વાસ રૂપે પ્રભુના આલિંગનને માણવાનું મન

 

થાય, ત્યારે સાત્ત્વિકભાવની જાગૃતિને ધારણ કરવાની તત્પરતા જાગે. જિજ્ઞાસુ ભક્ત સાત્ત્વિકભાવની જાગૃતિ

 

માટે જ્ઞાની ભક્તનાં પૂજનીય સાંનિધ્યમાં જ્ઞાન-ભક્તિની પાવન સરિતામાં તરતો રહે અને અહંકારી વૃત્તિ-

 

વિચારોનાં વર્તનથી પરિચિત થતો જાય. પરિચિત રૂપે મનોમંથનથી પ્રગટેલી સૂક્ષ્મ સમજનો ભાવાર્થ ગ્રહણ ઘતો જાય. ભાવાર્થ જેમ જેમ ગ્રહણ થતો જાય, તેમ તેમ સાત્ત્વિકભાવની જાગૃતિના દ્વારને ખોલાવતી હૃદયભાવની પારદર્શકતા પ્રગટતી જાય. જિજ્ઞાસુ ભક્ત પછી આત્મનિરીક્ષણથી સ્વમય ચિંતનમાં સ્થિત થતો જાય. ચિંતનની ભાવભીની ધારામાં સ્વ ઓળખનો ઉજાગર થાય ત્યારે અનુભવાય, કે અવિરત થતી શ્વાસની પાન-અપાનની ક્રિયા દ્વારા પ્રભુ તો નિઃસ્વાર્થ પ્રેમભાવથી મહોર મારે છે અને સર્વે દેહધારી કૃતિઓને જણાવે છે કે, “હું જીવ તું એકલો નથી, હું સતત તારી સાથે જ છું અને શ્વાસ રૂપે મારી દિવ્ય ગુણોની પૂર્ણતાની સંપત્તિ તને અર્પણ કરવા માંગુ છું. પરંતુ તું માત્ર તારી લૌકિક ઈચ્છાપૂર્તિના વિચારોમાં ઓતપ્રોત રહીને જીવે છે. તેથી મારી પૂર્ણતાની સંપત્તિનું પ્રભુત્વ શ્વાસ રૂપે તું ધારણ કરી શકતો નથી. તે પ્રભુત્વ પ્રસ્તુતિને તું કોઈક ક્ષણે ભક્તિભાવથી સ્વીકારશે, નિઃસ્વાર્થ પ્રેમભાવથી ઝીલશે એવી મારી અમર આશા, એટલે જ શ્વાસની પાન-અપાનની અવિરત ક્રિયાની સેવા. એ સેવાની સંપત્તિને તું ભોગવી શકે જો અજ્ઞાની તું સંકુચિત માનસથી મુક્ત થવાનો પુરુષાર્થ કરે..  ક…હું જાણું છું કે તું ઘણીવાર તારા કર્મસંસ્કારોના આવરણથી અકળાય છે. ન ગમતી પરિસ્થિતિનો સ્વીકાર કરીને પણ વ્યવહારિક કાર્યો તને કરવાં પડે છે, ત્યારે તું ભક્તિભાવની નિર્મળતામાં સહજતાથી તરી શકતો નથી. આમ છતાં એક હકીકતનો સદા સ્વીકાર કરજે, કે તે કરેલાં કર્મોના પરિણામ રૂપે વર્તમાનની અણગમતી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. પરંતુ ભક્તિભાવથી તું પસાર થતો રહેશે તો કર્મસંસ્કારોનો ભાર હળવો થતો જશે. કર્મસંસ્કારોનો સામાન પોતે જ ઊચકવો પડે. છતાં ઘણીવાર તું બીજાના સામાનનો ભાર ઊંચકીને જીવે છે. તે છે બીજાના દોષ જોવાં, ઈર્ષ્યા કરવી, બીજાની ભૂલોને સુધારવા સલાહસૂચનો આપવા. અર્થાત્ તને જેટલી સમજ પડે છે તેટલી બીજી વ્યક્તિને પડતી નથી એવાં બુદ્ધિ ચાતુર્યના અભિમાનમાં તું બીજાનો સામાન તારા મનમાં ભરી રાખે છે. જો બાળકનું મન હોય તો એને માતા, પિતા, કે શિક્ષકનો સહારો મળે છે. બાકી દરેકના મનમાં સમજ શક્તિના બીજ છે. તે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ સમજવાથી ખીલે છે. જેમ નાનું બાળક ચાલવાનું, દોડવાનું, ધીમે ધીમે શીખે છે, તેમ જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાનું તું શીખી જશે. પછી સમજ શક્તિના બીજ આપમેળે ખીલશે.'' આમ શ્વાસ રૂપે પ્રભુની સેવાનું જેમ જેમ સેવન થતું જાય, તેમ તેમ અંતર કર્ણેન્દ્રિય પાસે શ્વાસે સોહમ્(તે હું છું) સૂરને ઝીલે, ત્યારે અંતરના ઊંડાણથી એકરાર થાય કે....  આ સૃષ્ટિમાં અમે શ્વાસ લઈએ આપના થકી, અરે! હર ઘડી અમે જીવીએ પ્રભુ આપના થકી... અમે જન્મ લીધો શ્વાસ મૂક્યો કૃપા એ આપની, હવે જીવન જીવતાં શીખવો પ્રભુ કૃપા વરસાવો આપની... અમે આવીને તને ભૂલી ગયાં પ્રભુ માફી માંગીએ આપની, હવે અમી દૃષ્ટિ અમ પર રાખો પ્રભુ સહારો છે આપનો... અમે આવીને ઘણાં પાપો કર્યાં પ્રભુ વહાલથી સ્વીકારજો, t હવે ચરણમાં અમને રાખજો પ્રભુ વિનંતિ છે બસ આટલી…

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
જ્ઞાન-ભક્તિની સરિતામાં શ્રવણ, અધ્યયન, ચિંતનથી તરતાં રહેવાય

માનવ જીવનની કાર્ય કુશળતા એટલે વિચારવાની કે અનુભવવાની કૌશલ્યતા. મન જો પોતે પોતાના કૌશલ્યથી વાકેફ(જાણકાર) થાય, તો જણાય કે પ્રભુની આત્મીય ચેતના સાથે મન જોડાયેલું છે. એવી જાણ સ્વરૂપે વિચારોની માળા ગૂંથવાનું ઊર્જા બળ અર્પણ કરનાર પ્રભુની આત્મીય ચેતનાની સર્વવ્યાપકતાનો સ્વીકાર થાય. આપણે સૌ પ્રભુની ચેતના સાથે જોડાયેલાં છીએ જ. પરંતુ તે જોડાણથી અજાણ રહીએ છીએ એટલે પોતાનું આત્મ સ્વરૂપ અજાણ્યું(અગમ્ય) લાગે છે. પરંતુ પ્રભુ કૃપા સ્વરૂપે માનવીને મનની વિશેષતા પ્રાપ્ત થઈ છે. જે પોતાના આત્મ સ્વરૂપની પ્રતીતિ કરી શકે છે અને સ્વમય પ્રતીતિ રૂપે સ્વયંની દિવ્યતાને અનુભવી શકે છે. પગ જેમ ચાલે છે, તેમ વિચારોથી મન સતત ચાલતું રહે છે અને વિચારોથી ચાલવાની મનની ક્રિયામાં મગજ સહાયરૂપ થાય છે. પ્રભુએ માનવીને મગજનાં જ્ઞાનતંતુઓનું(ન્યૂરોન્સ) સામર્થ્ય અર્પણ કરીને, બીજા પ્રાણીઓ કરતાં ઉચ્ચ સ્થિતિનું કૌશલ્ય થયું છે. વિચારો રૂપી પગથી માનવી સૂર્યમાળાની પેલી પાર બીજી ગેલેક્ષીઓમાં પણ જઈ શકે છે. શરીર-ઈન્દ્રિયોની કાર્ય કરવાની સીમિત સ્થિતિ હોય છે. અમુક હદની સીમા સુધી જ કોઈ પણ આકારની ક્રિયાઓનું હલનચલન થઈ શકે છે. પરંતુ મન જે પ્રભુની આત્મીય ચેતનાનો અભિન્ન અંશ છે, તે જો જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતું રહે, તો સાત્ત્વિકભાવની દિવ્યતા જાગૃત થઈ શકે.

 

સાત્ત્વિકભાવની જાગૃતિથી મન પોતાના આત્મા રૂપી ઘરની સાત્ત્વિક ગુણોની સંપત્તિને ભોગવી શકે. એવું સ્વમય સાત્ત્વિક મન, પ્રભુ સાથેની એક્યતાની પ્રતીતિ કરાવતું ભક્તિમય જીવન જીવે છે. માનવી જો મનની સાત્ત્વિકભાવની ગુણિયલતાને જાણે તો કર્મસંસ્કારોને, એટલે કે અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓના આવરણને ઓગાળતી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતું રહે. મોટેભાગે માનવીને જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવાનું મુશ્કેલ લાગે છે અથવા સમય નથી એવી ગરીબી છે. કારણ તે મન રૂપી પગથી દુન્યવી વિચારોમાં સતત ફરતું રહે છે. એવાં વિચારોનું ભ્રમણ તે રાગ-દ્વેષાત્મક અહંકારી વર્તનથી કરતું રહે છે. અહંકારી વર્તનનો કચરો મન રૂપી પગ પર એટલો બધો જામી જાય(એકઠો થવો) છે, કે જ્ઞાન-ભક્તિનું સાત્ત્વિક આચરણ મનને અગમ્ય લાગે છે. વાસ્તવમાં સાત્ત્વિક આચરણ મન માટે અગમ્ય નથી. કારણ મન રૂપી ચરણ(પગ) જે પણ વિચારો કરે, તેના વર્તનનું આચરણ ધારણ કરી શકે એવું કૌશલ્ય મનનું છે.

 

મન રૂપી ચરણની(પગની) કોઈ પણ કાર્ય કરવાના વિચારોની, સમજવાના વિચારોની, ક્રિયા- પ્રતિક્રિયાના વિચારોની, સુખ-દુઃખ અનુભવવાનાં વિચારોની, પ્રેમ-લાગણી પ્રદર્શિત કરવાના વિચારોની, કે રાગ, દ્વેષ, ક્રોધ, દંભ, ઈર્ષ્યા કરવાના વિચારોની ગતિ સતત ચાલુ રહે છે. અર્થાત્ મન રૂપી ચરણથી માનવી પૃથ્વીની જેમ સતત ભ્રમણ કરતો રહે છે. મન રૂપી ચરણ જે પણ ગ્રહણ કરે, તે છે મનની આચરણ(વર્તણૂક-બીહેવીઅર) સ્થિતિ. મનના ચરણોનું આવું કૌશલ્ય હોવાંથી, તે બાહ્ય સ્થૂળ જગતમાં અથવા અંતરની સૂક્ષ્મ સૃષ્ટિમાં વિહાર કરી શકે છે. સ્થૂળ આકારિત કૃતિઓનાં જગતમાં, એટલે કે સંસારી સંબંધોના વ્યવહારમાં મનનાં ચરણો જે ગ્રહણ કરે, તે આચરણ રૂપે માનવીનો સ્વભાવ ઘડાતો જાય. અજ્ઞાની મન પોતાના આત્માથી અજાણ હોવાથી, આત્મીય સાત્ત્વિક ગુણોનું આચરણ ધારણ થતું નથી. અર્થાત્ મન રૂપી ચરણનો મેળ(મિલન) સ્વ સાથે ન હોવાંથી, રાગ-દ્વેષના અહંકારી વર્તનથી તે જગતમાં ફર્યા કરે છે. એટલે અહંકારી વૃત્તિ-વિચારોનો કર્મસંસ્કારો રૂપી કચરો વધતો જાય છે, જે મનનાં ચરણો પર આવરણની જેમ અવરોધક બની, સાત્ત્વિક આચરણની પ્રતિભાને પ્રગટવા નથી દેતો.  મન શોધે પ્રભુને મંદિરની મૂર્તિમાં અને તર્ક-વિતર્કના વિચારોથી પ્રભુને જાણવા માંગે; તર્ક-વિર્તકનાં અહંકારી વિચારોનો કચરો લઈને ફરે, તેને સાક્ષાત્ પ્રભુ અગમ્ય લાગે; ન થાય તે ગમ્ય માત્ર પૂજાપાઠ, ભજન-કીર્તન કે જપમાળાથી, એટલે મન માને કે નથી પ્રભુની કૃપા; પ્રભુ તો છે કૃપાનો મહાસાગર, તે સાગરના તરવૈયા બનવા તરતાં રહો જ્ઞાન-ભક્તિની સરિતામાં.  જ્ઞાન-ભક્તિની સરિતામાં શ્રવણ, અઘ્યયન, ચિંતન રૂપે તરતાં રહેવાય, તો સાત્ત્વિક આચરણના પગલાં સહજતાથી મંડાતા જાય. જ્યાં સુધી મન પર રાગ-દ્વેષાત્મક વૃત્તિ-વિચારોનો કચરો જમા થતો રહે છે, ત્યાં સુધી તર્ક-વિતર્કના સીમિત વિચારોથી પ્રભુની અવિનાશી સર્વવ્યાપકતાનો અણસારો પણ મળતો નથી. એટલે એવું મન પૂજાપાઠ વગેરે પ્રવૃત્તિ દરરોજ કરે, તો પણ સાત્ત્વિક આચરણના પગલાં મંડાતા નથી. તેથી પ્રથમ સ્વથી જાણકાર થવું, એટલે કે અજ્ઞાની સ્વભાવની ભૂલોથી જાણકાર થવું આવશ્યક છે. જ્ઞાની-ભક્તના સાંનિધ્યમાં જાણકારી રૂપે પોતાની ભૂલો પરખાતી જાય કે,“જેવા કર્મસંસ્કારોની અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓ છે, તેવાં વિચાર-વર્તનથી હું વ્યવહાર કરું છું. પરંતુ તે વ્યવહાર પ્રભુની આત્મીય ચેતનાની સાક્ષાત્ હાજરીના લીધે થઈ શકે છે. તેથી જો પ્રભુના સ્મરણથી વ્યવહાર થાય તો અતૃપ્ત ઇચ્છાઓને તૃપ્તિનો રાહ મળે અને અંતરની સૂક્ષ્મ સૃષ્ટિના સાત્ત્વિક વિચારો ધારણ થઈ શકે...  ...પ્રભુની આત્મીય ચેતનાની ઊર્જાના વહેણ સર્વત્ર પ્રસરતાં રહે છે. તે દિવ્ય ચેતના રૂપી મહાસાગરમાં જ આ દૃશ્યમાન આકારિત જગતની કૃતિઓ તરે છે. અનેક જીવ રૂપી જળ બિંદુનું તે મહાસાગર સાથેનું અતૂટ જોડાણ છે. અર્થાત્ પ્રભુ સાથે ઐક્યતા હોવાં છતાં, તેને ભૂલીને હું રાગ-દ્વેષના અહંકારી વિચાર વર્તનથી તે આત્મીય પ્રીતની એક્યતાને તરછોડી, તેની મહાસાગર જેવી ગરિમાને ભૂલી, એક ખાબોચિયા જેવી સ્થિતિનું, ભેદભાવની ગંદકીનું જીવન જીવું છું.!!'' આવું મનોમંથન થાય તો સમજાય કે અજ્ઞાનતાના અથવા અજાણતાના ખાબોચિયામાં ફરતાં રહેવાથી નાશવંત, સીમિત પદાર્થોને ભોગવતાં રહેવાનું આકર્ષણ છૂટતું નથી. પ્રભુએ આપણને બે આંખ બે કાન વગેરે આપ્યાં છે. આવા બે સ્થાનનો ભાવાર્થ ગ્રહણ થાય તો સમજાય કે પ્રારબ્ધગત કર્મસંસ્કારોનાં બાહ્ય જીવન સાથે પ્રભુ સંસ્કારોનું અંતર જીવન પણ જીવી શકાય છે. તે માટે સ્વમય ચિંતનથી વૃત્તિ-વિચારોની શુદ્ધિ જરૂરી છે. એવી શુદ્ધિથી સમર્પણભાવની વિશુદ્ધતા જાગૃત થાય, ત્યારે મન રૂપી ચરણો પ્રભુની આત્મીય ચેતનાની ગતિને ધારણ કરે. એવી દિવ્ય ગતિના ચરણકમળ રૂપી પુષ્પોની હારમાળા પ્રભુને પહેરાવવા માટે જ્ઞાન-ભક્તિના સદ્ભાવથી જીવન જીવીએ.

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

Read More
book img
હરિ દીસે મને ચારે તરફ...

આગલાં વરસનો અંત થયો અને નવાં વરસનો આરંભ થયો. આવી આરંભ-અંતની ક્રિયાઓના જગતમાં આપણે રહીએ છીએ. આ જગતમાં કોઈ પણ કૃતિ હોય કે આકૃતિ હોય, તે નિશ્ચિત સમયે જન્મે છે અને જન્મેલી કૃતિઓનો અંત મૃત્યુ રૂપે થાય છે. આમ જગતમાં જે પણ વસ્તુ, કે પરિસ્થિતિ, કે આકૃતિનો આરંભ હોય, જન્મ હોય, શરૂઆત હોય, કે પ્રાગટ્ય હોય, તેનો અંત પણ નિશ્ચિત હોય છે. આ વાસ્તવિકતાનો મર્મ (તાત્પર્ય) જો ગ્રહણ થાય, તો સમજાય કે જગત એટલે સતત પરિવર્તનની ક્રિયા અને તે ક્રિયાઓ પ્રભુની આત્મીય ચેતનાના આધારે થયાં કરે છે. જેનાં આધારે પરિવર્તનની વિકાસશીલ ક્રિયાઓ થાય, તે સ્વયં અપરિવર્તનશીલ હોય છે. તે અપરિવર્તનશીલ આત્મીય ચેતનાનો નથી આરંભ કે અંત, નથી ભૂતકાળ કે ભવિષ્યકાળ. આ દિવ્ય ચેતનાની ઊર્જાના વહેણ સર્વત્ર પ્રસરતાં રહે છે. આપણાં સૌના કણકણની ભીતરમાં તે વહે છે અને દેહની બહાર પણ તે જ વ્યાપ્ત છે. અર્થાત્ પ્રભુની આત્મીય ચેતનાના ઊર્જા રૂપી સાગરમાં આપણે સૌ તરીએ છીએ.

 

આ વાસ્તવિક સત્ય જો આત્મસાત્ થાય, તો જિજ્ઞાસુ ભક્તની જેમ પ્રભુની ચેતનાની પ્રતીતિ અહોભાવથી થાય, ત્યારે અનુભવાય કે ભક્તિનો ભાવ એટલે જ આત્મીય ચેતનાનો પ્રકાશિત ભાવ. સ્વયંના પરિચય રૂપે જેમ જેમ જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાય, તેમ તેમ ભક્તિભાવ સ્વરૂપે આત્મીય ચેતનાનાં વિદ્યુતિ સ્પંદનોની દિવ્યતામાં મનોભાવ ઓતપ્રોત થાય અને મનોમન આત્મીય ચેતનાનો સાત્ત્વિકભાવ ધારણ થતો જાય. ભક્તિભાવની દિવ્યતામાં ઓતપ્રોત થવા માટે ‘હું કોણ છું’ એવી ઓળખ રૂપે પોતાની જાતને પોતાની મેળે જ મળવું પડે. પોતાની જાતની ઓળખ શરૂઆતમાં સત્સંગની પ્રવૃત્તિઓથી થાય. પરંતુ એવી ઓળખની માહિતી મેળવ્યા પછી આચરણનું આરોહણ થવું જરૂરી છે. પોતાની જાતને પોતે મળવું, તે છે સ્વયંની અનુભૂતિમાં મનને એકરૂપ કરાવતી અંતર ભક્તિ. અંતર ભક્તિમાં ધ્યાનસ્થ થવા માટે, એટલે કે પોતાની જાતને મળવા માટે અમુક ચોક્કસ સમયની મર્યાદા ન હોય. જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં ગ્રહણ કરેલી બોધ ધારામાં જો વારંવાર સ્નાન થતું રહે, તો જાતને મળવાની સહજતા વધતી જાય. અંતર ભક્તિમાં પછી ધ્યાનસ્થ થવાની સહજતા જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાંથી ધારણ થાય. તેથી જિજ્ઞાસુ ભક્ત પોતાની જાત વિશે જાણવાનો પુરુષાર્થ કરતો રહે છે.

 

જાત એટલે શું? એને કેવી રીતે મળવું? જાત એટલે આકારિત દેહની વાત નથી. એટલે ધાર્મિક જાતિની પણ વાત નથી. બ્રાહ્મણ, વૈશ્ય વગેરે જાતિ કે કુળ અથવા હિંદુ, મુસ્લિમ વગેરે ધાર્મિક સમુદાયના લેબલ તો આકારિત દેહ સાથે જોડાયેલા છે. જો હું દેહ નથી તો શરીરનો આકાર પણ નથી. એટલે શરીરમાં વસવાટ કરનારો સૂક્ષ્મ અંશ છું. એવાં પ્રશ્નો મનમાં જન્મે ત્યારે જાણવાની જિજ્ઞાસા જાગૃત થતી જાય. પછી સમજાય કે અજ્ઞાનવશ હું પોતાને દેહનો શારીરિક આકાર માનું છું અને એની માવજત પણ કરું છું. સવારે ઊઠીને બ્રશ કરવું, કસરત કરવી, ચા-નાસ્તો કરવા, રૂપિયાની કમાણી કરવાના કાર્યો કરવાં, બપોરે જમવું, સાંજે ઘરે આવી ટી.વી. જોવું અને જમીને રાતે સૂઈ જવું વગેરે કાર્યો કરવામાં શું મારી જાતને મળું છું? ખાવું, પીવું, ઊંઘવું એ તો પશુ-પંખી પણ કરે છે. પરંતુ એવાં રોજિંદા કાર્યો કરતી વખતે જો મન, વાણી, કે ઇન્દ્રિયોની ક્રિયાથી બીજાને દુઃખ પહોંચે એવું વર્તન ન કરવાનો નિશ્ચય થાય, તો પોતાની જાત સાથે સંવાદ થઈ શકે. સાત્ત્વિક વિચારોની બોધ ધારામાં પછી સ્નાન થતું જાય અને હું કોણ છુંનો પરિચય મળતો જાય.

 

આમ મારી જાત એટલે પાંચ કે છ ફૂટના મનુષ્ય શરીરનો આકાર હું નથી. હું તો આકાશ કરતાં પણ વિશાળ છું અને અણુ કરતાં પણ સૂક્ષ્મ છું એવી સ્વયંની ભાળમાં ભક્તનું મન ખોવાઈ જાય. મનનું સ્વયંમાં ખોવાઈ જવું એટલે રાગ-દ્વેષાત્મક વૃત્તિ-વિચારોથી મુક્ત થવું, મારું-તારુંના ભેદભાવની સીમાથી પર થવું. મનની એવી મુક્ત સ્થિતિ જ અંતરની સૂક્ષ્મ-વિશાળતામાં ધ્યાનસ્થ થાય. પછી પોતાની જાતને, પોતાની આત્મજ્યોતિને જોવાના અંતર ચક્ષુની જાગૃતિ ધારણ કરાવતી અંતર ભક્તિમાં તલ્લીન થવાય. અંતર ભક્તિ સ્વરૂપે અંતર ઊંડાણમાં વિહાર થતો જાય અને ૐકાર નાદના સ્પંદનોમાં અસ્તિત્વ વીંટળાતું જાય ત્યારે સોહમ્ ભાવની(તે હું છું) જાગૃતિ થાય. અર્થાત્ હું એટલે કે મારું અસ્તિત્વ, મારી જાત ૐકાર નાદમાં વીંટળાઈને એકરૂપ થાય. કાર નાદ છે આત્મીય ચેતનાનો ધ્વનિ સ્વરૂપનો આવિર્ભાવ(પ્રાગટ્ય). એટલે જ સ્વ સ્મરણમાં મન હરાઈ જાય-ખોવાઈ જાય એવાં હરિ સ્મરણમાં ભક્ત તલ્લીન રહે છે.  હું તો હરિ હરિ કરતી હરિ સ્મરણમાં હરતી ફરતી’તી, હું તો હરતી ફરતી કિંર સ્મરણમાં હરિ હરિ કરતી'તી... હું તો હરિ હરિ કરતી લીન થઈ, પ્રભુ ચરણમાં રમતી'તી, મને સાદ સંભળાય ને ભાન ભૂલું શોધું ચારે દિશા, હર દીસે મને ચારે તરફ, એનો સાદ સંભળાય વારંવાર... હું તો સૌને કહ્યું જુઓ બધે દિર દીસે મુજને, હું તો ધૂન લગાવું હરિ હરિની, ન દીસે હરિ કોઈને... હું તો ભમતી ભમતી નમી પડી, પ્રભુ ચરણમાં ઢળતી'તી,  બડભાગી જિજ્ઞાસુ ભક્તને જ્ઞાની ભક્ત જેવી વિભૂતિનું સાંનિધ્ય મળે અને અંતર આરોહણ થાય, ત્યારે ૐકાર નાદનો સાદ સંભળાય એવી કનક કર્મેન્દ્રિયની જાગૃતિ ધારણ થાય. સ્વ સ્મરણમાં વૃત્તિ-વિચારો હરતાં ફરતાં રહે, તો કર્મસંસ્કારોનું આવરણ ઓગળતું જાય. પછી અંતર ચક્ષુની જાગૃતિ પ્રકાશિત ગતિને ધારણ કરે અને આત્મજ્યોતિના પ્રકાશમાં અસ્તિત્વ એકરૂપ થાય. આવી સ્વાનુભૂતિની દિવ્યતામાં ઓતપ્રોત થવા માટે જિજ્ઞાસુ ભક્ત જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતો રહે છે. એ તો રોજિંદા કાર્યોની પ્રવૃત્તિ કરતી વખતે જ તરવાનો પુરુષાર્થ કરે. પ્રભુના જ દિવ્ય ગુણોનો આવિર્ભાવ કાર્યોની પ્રવૃત્તિ રૂપે અનુભવાય પછી ભક્ત સ્મરણ ન કરે, પણ હું તે ચેતનાનો અંશ છું એવાં એકમભાવથી પોતાનું કર્તવ્ય કરે. આવી સ્વયંની પ્રતીતિનું જીવન જીવવાનો દઢ સંકલ્પ આજે કરીએ અને પ્રારબ્ધગત જીવનની પ્રતિકૂળતામાં પણ હરિ સ્મરણમાં તરવાનું ન ભૂલીએ.

 

કલનકર્તા – મનસ્વિની કોટવાલા

Read More
book img
હું શું હતો અને શું થઈશ એ તો તારે હાથ...

આજે ઈસુ ખ્રિસ્તના જન્મ દિવસની ઉજવણી કરવા માટે દયા, પ્રેમ, કરુણા વગેરે ગુણિયલ ભાવને વિચાર વર્તન દ્વારા પ્રસરાવીએ. એવું પ્રસરણ ભક્તિભાવની નિર્મળનાથી જ થઈ શકે. ભક્તિભાવની નિર્મળતાથી જિજ્ઞાસુ ભક્ત જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતો રહે છે. જેથી સ્વયંના સચ્ચિદાનંદ સ્વરૂપની ઓળખથી માનવ જન્મના આશયને હેતુને) સિદ્ધ કરાવતું જીવન જીવી શકાય. જેમ સંસારી વિચાર-વર્તનમાં તરવાનું માનવીને સરળ લાગે છે, તેમ ભક્તને જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાનું સરળ લાગે છે. અર્થાત્ અતૃપ્ત ઈચ્છાવૃત્તિ મુજબ મનનું ગમન થતું રહે છે. મનુષ્ય જીવન એટલે ઈચ્છાઓનું વિચાર-વર્તનની ક્રિયા રૂપે તરતાં રહેવું. સંસારી તળાવમાં રાગ-દ્વેષાત્મક કાદવમાં તરતાં તરતાં જ્યારે મન રૂપી તરવૈયાને શુદ્ધ જળમાં તરવાની પ્રબળ ઇચ્છા થાય, ત્યારે શ્રવણ-અભ્યાસની સત્સંગની પ્રવૃત્તિમાં મન તરતું જાય. સત્સંગ એટલે સત્યનો સંગ કરાવતી દિશામાં મનનું ગમન થયું. પોતાને આકારિત શરીર માનવાની ભૂલ જ્યારે મનને સમજાય, ત્યારે અસત્ય અથવા અજ્ઞાન એટલે શું તે જાણવાની જિજ્ઞાસા જાગૃત થાય.

 

જિજ્ઞાસુ મનને સમજાય કે, ‘હું આકારિત શરીર છું, જનમવાવાળો અને મરવવાળો છું, એવા અજ્ઞાની વિચારોના સંગમાં રહેવાથી અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓનું આવરણ ગાઢ થતું ગયું. જેનાં લીધે આત્મીય ચેતનાનો સતત સંગ છે અથવા આત્મીય ચેતનાની ઊર્જાથી જીવંત જીવન જિવાય છે તેનું વિસ્મરણ થઈ ગયું. વિસ્મરણના લીધે મન માત્ર સંસારી સીમિત પદાર્થોને ભોગવવામાં, રાગ-દ્વેષના કાદવમાં ગૂંગળાતું રહે છે. ઘાંચીનો બળદ જેમ એકની એક પ્રવૃત્તિથી ક્યારેક કંટાળી જાય છે; તેમ મારું-તારું-પરાયુંના ભેદભાવથી મન ક્યારેક ગૂંગળામણ અનુભવે, તે છે સાત્ત્વિક કર્મોના ફળનો ઉદય થવો, જે મનને સત્યની દિશાનું દર્શન કરાવતાં સાત્ત્વિક વિચારોનો સંગ કરાવે અને અજ્ઞાની વર્તનથી પરિચિત કરાવે. મન જેમ જેમ પરિચિત થતું જાય, તેમ તેમ સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ થતો જાય અને સ્વભાવનું પરિવર્તન થતું જાય. સ્વભાવનું પરિવર્તન થવું એટલું સરળ નથી. પરંતુ માતા-પિતાની છત્રછાયામાં મેળવેલા સુસંસ્કારોના લીધે, તથા શિક્ષકોએ આપેલી સુયોગ્ય કેળવણીના લીધે જિજ્ઞાસુ ભક્તમાં સાત્ત્વિક આચરણની તરસ જાગૃત રહે છે. એવી તરસના લીધે સ્વયંની ઓળખાણ રૂપી ખાણની સંપત્તિ મનને પ્રામ પતી જાય અને સાત્ત્વિકભાવનો ઉજાગર કરાવતાં આચરણને મહત્તા મન આપતું જાય,

 

માનવી મનની એવી ખાસિયત(વિશિષ્ટ વૃત્તિ) છે, કે જે વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિની મહત્તા અને સમજાય, તેનાં સંગમાં રહેવાનો તે પ્રયત્ન કરે. તેથી સાત્ત્વિક આચરણની મહત્તાનો જો સ્વીકાર થાય, તો મનને પછી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાનું વારંવાર મનાવવું ન પડે. મનને જ્યાં મનાવવું ન પડે, સમજાવવું ન પડે, કે ટપારવું ન પડે, ત્યાં સ્વભાવને બદલાવતાં સાત્ત્વિક આચરણની સહજતા હોય. ઘણીવાર જિજ્ઞાસુ ભક્તના મનમાં એવી મુંઝવણ રહે, કે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ થાય છે પણ ભક્તિભાવથી સાત્ત્વિક આચરણમાં તરું છું કે નહિ?? આવી મુંઝવણોનો ઉકેલ મળે જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં. કારણ જ્ઞાની ભક્ત છે શાન-ભક્તિના સાત્ત્વિક આચરણનું પ્રત્યક્ષ ધામ. એવાં સાત્ત્વિક સાંનિધ્યમાં સમજાય કે ભક્તિ છે પ્રભુની ભગવત્ ભાવની ચેતના, જેને કોઈ આકાર કે રૂપ રંગ નથી. તેને શબ્દોથી ઓળખી શકાય એમ નથી, કારણ તે મારું પોતાનું આત્મીય સ્વરૂપ છે. પોતાના સ્વ સ્વરૂપનું સાત્ત્વિક ગુણોનું પ્રભુત્વ સદાચરણ રૂપે અનુભવવા માટે મન રૂપી વાહન સહાયભૂત થાય છે. પરંતુ મનનું વિશુદ્ધ સ્વભાવનું કૌશલ્ય અજ્ઞાની વર્તનના લીધે સુષુપ્ત રહે છે.

 

 

સ્વ સ્વરૂપની આત્મીય ચેતના સાથેની એકપતાને મન ભૂલી ગયું છે. સ્વયંની વિસ્મૃતિના લીધે મનને પોતાની ભાળ માટે સત્સંગ રૂપે સાત્ત્વિક વિચારોનો સહારો લેવો પડે છે. તેથી અજ્ઞાની મનની વિસ્મૃતિને, કે સુષુપ્તિને જાગૃત કરવા માટે જ્ઞાની ભક્તનું સાંનિધ્ય અતિ આવશ્યક છે, જેમ નકારાત્મક વૃત્તિ-વિચારો માથા પર લખેલાં દેખાતાં નથી પણ તે વર્તન રૂપે જણાય, અર્થાત્ શારીરિક ખામીને ઇન્દ્રિયોના સહારે જાણી શકાય અને માનસિક ખામીઓ વર્તન રૂપે જણાય. પરંતુ જાણનાર મન પોતે જ ખામીયુક્ત હોય, તો જે જણાયું તે પણ ખામીવાળું અધૂરું જ જણાય. તેથી જ માનસિક સ્વભાવની ત્રુટિઓને જાણવા માટે, સાત્ત્વિક આચરણની જાગૃતિ માટે જ્ઞાની ભક્તનું સાંનિધ્ય આવશ્યક છે.

 

સૂર્યદેવના સાંનિધ્યમાં જેમ પૃથ્વીવાસીઓ પ્રકૃતિ જગત સાથેનું પરસ્પર સહિયારું(મ્યુચ્યુલ) જીવન જીવી શકે છે. તેમ જ્ઞાની ભકતના સાંનિધ્યમાં સંસારી જીવનની જવાબદારીઓ નિભાવતાં, ભક્તિભાવનું અંતર જીવન જીવવાની કળા ધારણ થાય છે. એવી કળાની કળીઓ ખીલે મનની એકાંત સ્થિતિમાં, જેમ જીવલેણ રોગનાં જંતુઓ શરીરમાં હોય, તો એક રૂમમાં એકલા રહીએ(ક્વોરાઈન્ટાઈન), તેમ મનમાં રાગ-દ્વેષાત્મક અહંકારી વૃત્તિ-વિચારો રૂપી જંતુઓ હાય તો બીજાને ચેપ ન લગાડીએ, પણ તે જંતુઓનો તે ફેલાવો દૂર કરવા સાત્ત્વિક વિચારોના ચિંતનમાં ભક્તિભાવધી સ્થિત થઈએ. જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવું એટલે જ એકાંતમાં સ્વયંની પ્રતીતિ કરવી. સ્વયંની પ્રતીતિનો અનુભવ થાય એકાંતમાં, ત્યારે ત્યાં બીજા દુન્યવી વિચારોનો અવરોધ ન હોય. એકાંતની પળો જીવનમાં મળે અને પ્રભુ સાથેની એક્યતાને માણી શકીએ એવી પ્રાર્થના પ્રભુને ભક્તિભાવથી કરતાં રહીએ. પ્રભુની અનન્ય કૃપાની ધારા નવા વરસના વધામણાં રૂપે આપણા સૌ પર વરસતી રહે અને ભક્તિમાં તરબોળ થતાં રહીએ.

 

મારી ભાવભીની ભક્તિમાં એક પ્રાણ પુરી દો,

મારી અશ્રુભીની વિનંતિ છે. મને દર્શન દીધા કરો;

સંસારમાંથી મુક્ત કરો, સારથિ બની રહો,

પ્રભુ  પ્રીતથી આશિષ દો મને દાસ બનાવી દો;

 હું શું હતો ને શું થઈશ એ તો તારે હાથ,

જેણે લીધો તારો આશરો સાગર તરાવ્યો પાર.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
હું બીજા બધા કરતાં હોંશિયાર છું

“હું બીજા બધા કરતાં હોશિયાર છું, મારા જેવી સચોટ નિર્ણય કરવાની બુદ્ધિ બહુ ઓછા લોકોમાં હોય, હું સમજળપૂર્વક વિચારીને કાર્ય કરું છું.’’ વગેરે અનેક પ્રકારે માનવી એકબીજા સાથે સરખામણી કરતો રહે છે અને પોતે સાચો છે એવી પોતાની મહત્ત્વતાને પુરવાર કરાવતાં જીવનમાં, એને સાત્ત્વિકભાવની જાગૃતિનું-ભક્તિભાવનું જીવન મુશ્કેલ લાગે છે. દરેક માનવીને પોતાની પ્રશંસા સાંભળવાનું બહુ ગમે. રૂપિયાની કમાણીથી, કે ભણતરની પદવીથી મેળવેલી સુખદાયક પરિસ્થિતિની જ્યારે બધા વાહ વાહ કરે, ત્યારે એ પ્રશંસા સાંભળીને મન વધુ ને વધુ તે સુખદાયક સ્થિતિની પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરતું રહે છે અથવા પ્રાપ્ત કરેલી તે પરિસ્થિતિને માલિકીભાવથી જાળવવાની મહેનત કરતું રહે છે. આમ દુન્યવી સીમિત વસ્તુ સ્થિતિની પ્રાપ્તિ માટે મન સતત એમાં જ ડૂબેલું રહે છે. એટલે એવું મન સાય અને શંકાથી વિચારે કે સાત્ત્વિકભાવની જાગૃતિ કે સમર્પણભાવની જાગૃતિ શું શક્ય છે?? એવાં હું કેન્દ્રિત મનના સ્વાર્થી વિચારોની ગૂંધણીમાં સાત્ત્વિક વિચારો ટકી શકતાં નથી.

 

આમ છતાં સત્યનો સ્વીકાર તો કરવો જ રહ્યો, કે અશક્ય લાગતી સાત્ત્વિકભાવની જાગૃતિને દરેક માનવી ધારણ કરી શકે છે. કારણ મનની ભીતરમાં તે પુપ્ત રૂપે સમાયેલી છે. માનવી જો દૃઢ સંકલ્પથી સ્વયંને જાણવાનો નિર્ધાર કરે અને કીર્તિ, સન્માન, કે પ્રશંસા મેળવવાની અહમ્ કેન્દ્રિત દિશામાં ફરવાનું છોડે, તો સ્વયંની સાત્ત્વિક ગુણોની સંપત્તિને જાગૃતિના સદાચરણથી ભોગવી શકે. આજના યાંત્રિક જમાનામાં ચિંતા છોડીને શ્રદ્ધાપૂર્વક ભક્તિભાવનું જીવન, એટલે કે એકબીજા સાથે હળીમળીને પ્રેમની પૂર્તિનું જીવન જીવી શકાય છે. પરંતુ તે માટે એકબીજા સાથે સરખામણી કર્યા કરતી, ચડસાચડસી(ઉગ્ર હરીફાઈ) જેવાં વ્યવહારથી મુક્ત થવું પડે. ભણતરની પદવીઓ હોય, કે રૂપિયાની રેલમછેલ હોય, કે વેભવી ઘરમાં વસ્તુઓની સજાવટ હોય, કે આજીવિકાના કાર્યથી મળેલી સફળતા હોય, દરેક સ્તરે માનવીને સરખામણી કરી પોતે બીજા બધા કરતાં ચડિયાતો છે એવી માન્યતામાં બંધાઈને જીવવું ગમે છે. મન જો પોતાના અહંકારી સ્વભાવની ચડસાચડસીથી જાણકાર થવાનો પ્રયત્ન કરે તો એટલું સમજાય, કે તન-મનનું આરોગ્ય બગાડનાર અહંકારી સ્વભાવની તોછડાઈ છે.

 

આરોગ્ય બગડવું એટલે મનને વૃદ્ધ કરવું. મન વૃદ્ધ થવાથી સ્મરણ શક્તિ ઘટતી જાય, સમજ શક્તિ ક્ષીણ થતી જાય, આંખ, કાન, કંઠ વગેરે ઈન્દ્રિયોની પોતાના વિષયોને ગ્રહણ કરવાની ક્ષમતા ઓછી થતી જાય, તથા હતાશા સાથે નકારાત્મક વૃત્તિ-વિચારોમાં મન ઘેરાઈ જાય, ત્યારે વદ્ધ મનની સંગમાં શરીરના અંગોની પ્રક્રિયાઓ પણ વૃદ્ધ થતી જાય છે. ચડસાચડસીના સંકુચિત માનસની જડતા જો ઓગળે, તો વિશાળ મનની નિર્મળતાનું પ્રેમભાવની નિખાલસતાનું માનસ ખીલતું જાય. તે માટે આપણે એક બાળવાર્તાનો આધાર લઈએ. એક વખતે બે ફળ પેરુ અને દાડમ વચ્ચે પોતાના રૂપ રંગની, સુંદર આકારની, મીઠારાની ચર્ચા થઈ, દાડમ પેરુને કહે કે, “મારામાં તો રસથી ભરેલાં કેટલાં બધા દાણા છે. મારો પૂર્ણ આકાર ઉપર-નીચે બધે જ રસભર્યા દાણાનો બનેલો છે. મારી પાસે લાલ રંગનું સૌંદર્ય છે, હું ખરેખર સુંદર છું’’. દાડમની વાતો સાંભળીને પેરુને ગમ્યું નહિ. ગુસ્સાના આવેશથી બોલ્યું કે, “તારી સુંદરતાના ખોટા વખાણ બંધ કર. તું મારું રૂપ-રંગ જો, મારા આકારની સુંદરતા જો, કેટલી સુંદર રેખાઓ છે. તારા દાણાને છૂટા પાડવા મહેનત કરવી પડે અને મારો ભોગ કરવા માટે માનવીને મહેનત કરવી પડતી નથી’‘.

 

બન્ને ફળ વચ્ચે પોતે વધુ ઉપયોગી અને શ્રેષ્ઠ છે એવી સરખામણીની ચડસાચડસી થઈ. એટલે બન્નેમાંથી કોણ શ્રેષ્ઠ છે તે સાબિત કરવા માટે ન્યાયાધીશ રૂપે પાયનેપલની નિમણૂક થઈ. પાયનેપલ(અનાનસ) તો ખુશ થઈ ગયું કે મને ન્યાયાધીશ બનવા મળ્યું. એ તો ઉછાળા મારતું કહેવા લાગ્યું કે, “ ફિકર ન કરો, હું યોગ્ય ન્યાય કરીશ, જો કે

વાસ્તવમાં તમારા બન્ને પાસે કોઈ સુંદરતા નથી. તમે બન્ને મને જુઓ. મારી ત્વચા ઉપર તમને કાંટા દેખાય છે, પણ ભીતરમાં જે મીઠાશ ભરેલી છે, તે કોઈની સાથે સરખાવી શકાય એમ નથી. મારો ઉપયોગ માનવી વિવિધ રીતે કરે છે. રસ બનાવીને પીએ, શાકભાજી સાથે મેળવીને પણ ખાય. માનવી માટે હું અતિ પ્રિય ફળ છું. તેથી મારો ઉપયોગ બારે માસ ગમે ત્યારે, ગમે તે સ્થળે કરવા માટે તેઓ મારા ટુકડાં કરી એને ડબ્બામાં ભરી સીલ મારીને સાચવે છે. પાયનેપલ તો ન્યાય કરવાનું ભૂલીને પોતાની સ્તુતિ-પ્રશંસા કરવા લાગ્યું અને ત્રણે વચ્ચે રસાકસીભરી ચડસાચડસી થતી રહી.

 

આવી જ રીતે માનવી એકબીજા સાથે ચડસાચડસી કરતો રહે છે એટલે ભક્તિભાવથી જીવવાનું એને અશક્ય લાગે છે. માનવીનું મન હંમેશા પોતે ઉત્તમ છે એવું સિદ્ધ કરવાની મહેનત કરતું રહે છે. એટલે ખો લાગણીને દર્શાવે, ત્યારે પ્રેમની નિર્મળતા ઓછી હોય અને અહંકાર વધુ હોય કે પોતાના જેવો કોઈ મનમાં સમર્પણભાવની સાત્ત્વિકતા સુષુપ્ત જ રહે છે, જાગૃત થતી નથી. પેરુ-દાડમની ચર્ચા એટલે ભેદભાવનું, ઉચ્ચ-નિમ્ન કક્ષાની સરખામણી કરતું સંકુચિત અહંકારી માનસ. પાયનેપલ એટલે સત્સંગા ના. સાત્ત્વિક વિચારોની માહિતી રાખે અને ન્યાયાધીશ બની બીજાને સલાહસૂચન આપે. એમાં પણ પોતાની જ પ્રશંસા કરે કે,‘હું તો સવારે પાંચ વાગે ઊઠી જાઉં, પછી ધ્યાન કરું, કસરત કરું, શાસ્ત્રોનો અભ્યાસ કરું, દિવસમાં વીસ મિનિટ વાણીનું મૌન રાખું’. વાસ્તવમાં ભક્ત કદી જણાવે નહિ કે પોતે ભક્ત છે અથવા ભક્તિભાવથી જીવે છે. કારણ જણાવનાર મનનું સમર્પણ થયું હોવાંધી તે એવું પણ ન કહે કે બધું પ્રભુ કરાવે છે. સમર્પણભાવ કે અકર્તાભાવની જાગૃતિમાં મનનું મૌન થયું હોવાથી આત્મીય ચેતનાના સ્પંદનો ભક્તમાંથી પ્રગટતાં રહે છે. જેમ વાયુ કે જળ જણાવે નહિ કે હું છું એટલે જીવંત જીવન જીવી શકાય છે, તેમ જ્ઞાની ભક્ત જણાવે નહિ પણ પોતાની સાથે ભક્તિભાવથી તરવા માટે જિજ્ઞાસુ માનવીમાં પ્રેમની પૂર્તિ કરતા રહે. એવાં જ્ઞાની ભક્તોને શત શત કોટિ પ્રણામ.

 

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

Read More
book img
સ્વયંને જાણવાની પ્રવૃત્તિ જીવનભર કરવાની ન હોય

સામાન્ય રૂપે માનવીને શરીરના મૃત્યુનો ડર લાગે છે. કારણકે શરીરના જન્મ-મૃત્યુની વાસ્તવિકતાથી, એટલે કે જે જન્મે છે, ખીલે છે, તે અંતે કરમાઈ જાય છે એવી સમજણથી મન અજાણ રહે છે. એટલે જેમ જેમ શરીરની ઉંમર વધતી જાય, આંખ-કાન વગેરે ઈન્દ્રિયોની કાર્ય કરવાની તેમ જ શારીરિક કાર્યો કરવાની ક્ષમતા ઘટતી જાય, તેમ તેમ મૃત્યુના ડરથી માનવી જાણવા મથે છે કે મૃત્યુ એટલે શું? મૃત્યુ પછી શું? ભય પ્રેરિત મન ધાર્મિક ગ્રંધોનો, સાત્ત્વિક વિચારોનો, કે સત્સંગની પ્રવૃત્તિઓનો સહારો લે, એવાં સહારા રૂપે એટલું જણાય કે શરીરનું મૃત્યુ નિશ્ચિત છે અને મનનાં મૃત્યુ રૂપે મોક્ષની ગતિ જીવતાં જ ધારણ કરવી જોઈએ. એટલે મોક્ષ વિશે મન વિચારતું થાય કે મોક્ષ ક્યારે મળે? શું શરીરનું મૃત્યુ થતાં જો સત્સંગ કર્યો હોય તો મોક્ષની ગતિ ધારણ થઈ જાય..? જ્ઞાની ભક્ત જેવા મહાત્માઓ જેઓ મોક્ષની મુક્ત ગતિને માણે છે, તેઓ જિજ્ઞાસુ ભક્તોને જણાવે કે, ‘મોક્ષનો અંતર પથ છે નિરાળો, ગતિ તેની છે અવનવી અને ભક્તિભાવથી ધારણ કરવી છે સહેલ..’

 

જિજ્ઞાસુ મન સત્સંગની આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી મોક્ષની નિરાળી ગતિ વિશે સમજવાનો પુરુષાર્થ કરતો રહે છે. મોક્ષ સ્વરૂપે મન અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓ તથા વિચારોના બંધનમાંથી મુક્ત થાય. મોક્ષની મુક્ત ગતિ છે. આત્માની અક્ષર સ્વરૂપની અવિનાશી ગતિ. આવી અક્ષય સ્વરૂપની મુક્ત ગતિમાં મન ત્યારે ગતિમાન થાય, જ્યારે મન પર પથરાયેલાં અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં કર્મસંસ્કારોનું આવરણ ઓગળી જાય. તેથી માનવીએ એટલું તો સમજવાનો પુરુષાર્થ કરવો પડે, કે આ શરીરમાં મન(જીવ) વસવાટ કરે છે અને મનને આત્મીય ચેતનાનો સહારો હોવાંથી દેહધારી જીવંત જીવન જીવી શકાય છે. આવી સમજણ માટે આરંભમાં સત્સંગની પ્રવૃત્તિઓ અતિ આવશ્યક હોય છે. પરંતુ જીવનભર સત્સંગ રૂપે સમજણના કિનારે બેસી નથી રહેવાનું. કિનારો છોડીને જો જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાય, તો મન પર પથરાયેલું કર્મસંસ્કારોનું આવરણ ઓગળતું જાય.

 

જેમ બાળકને શરૂઆતમાં ગુજરાતી ભાષાની ક ખ ગની બારાખડીનું અથવા અંગ્રેજીભાષાની એ બી સીનું શિક્ષણ આપવામાં આવે છે. તે બાળમંદિરનું(નર્સરીનું) શિક્ષણ બાળક કેટલાં વરસ સુધી લે છે? શું પાંચમા કે છઠ્ઠા ધોરણમાં ભણતી વખતે બારાખડીનું શિક્ષણ અપાય છે? બસ, એ જ રીતે સ્વયંને જાણવાની સત્સંગની પ્રવૃત્તિઓ જીવનભર કરવાની ન હોય. સત્સંગ રૂપે સમજણની સપાટી એટલી વિશાળ કરવાની હોય, કે અજ્ઞાની મનની અસ્થિરતા અથવા અજાણ મનની સંદિગ્ધતા(સંદેહયુક્સ અસ્પષ્ટતા) વિલીન થાય. મનની સ્થિરતા સ્વરૂપે જ્ઞાન-ભક્તિની સરિતામાં તરાવતી તન્મયતા(એકાગ્રતા) વધતી જાય. જ્ઞાન-ભક્તિની સરિતામાં જે તરે, તે સમજણ રૂપી કિનારે બેસી ન રહે, પણ કિનારા પરથી જ સરિતામાં કૂદકો મારીને તરવાની મોજ માણે છે. એવી મોજ માણનારો ભક્ત કદી શંકા, સંદેહ, કે વહેમ રૂપી છીછરાં પાણીમાં છબછબિયાં ન કરે. એ તો સાત્ત્વિક વિચારોના ચિંતનથી પ્રકૃતિ જગતમાં સમર્પણભાવથી થતી પ્રક્રિયાઓનો મર્મ ગ્રહણ કરતો જાય, કે પહાડ પરથી નદી વહે છે અને તે વહેતી નદી પછી કિનારા જોડે બંધાઈને રહેતી નથી, પણ કિનારાને સ્પર્શીને જેમ આગળ ને આગળ સાગર તરફ વહી જાય છે; તેમ સત્સંગની પ્રવૃત્તિ રૂપી કિનારા પર જ્યાં સુધી મન બેસી રહેશે, ત્યાં સુધી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરી શકશે નહિ.

 

જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં તરતાં અંતરની વિશાળતામાં એકરૂપ થવાય અને સ્વાનુભૂતિના ઊંડાણમાં સ્થિત થવાય. જ્ઞાની ભક્તના સાંનિધ્યમાં તરવાની સ્થિરતા ધારણ થતી જાય અને સ્વાનુભૂતિના સાત્ત્વિક આચરણ રૂપે હું પદની વૃત્તિઓ ઓગળતી જાય. સમજણની સપાટી પર બેસી રહેવાથી, એટલે કે આધ્યાત્મિક શબ્દોના અર્થ સમજીને માત્ર ચર્ચા વિચારણા કર્યા કરવાથી, કર્મસંસ્કારોનું આવરણ વિલીન નહિ થાય. જીવનમાં પ્રારબ્ધ અનુસાર બધું મળે છે, પણ સ્વાનુભૂતિની અંતરયાત્રાનો મોકો જો મળતો હોય, તો એને સંસારી વાતોના કોયડા ઉકેલવામાં ગુમાવી ન દેવાય. આવી સ્પષ્ટ સમજના કિનારા પરથી જિજ્ઞાસુભા જ્ઞાન-ભક્તિની સરિતામાં તરાવતાં સ્વમય ચિંતનમાં ખોવાઈ(એકરૂપ) જાય છે.

 

કિનારાનો મોહ ત્યારે જ છૂટે જ્યારે તીવ્ર અફસોસ થાય, કે વીતી ગયેલી પળ પાછી નથી આવતી. રાગ-દ્વેષાત્મક સંસારી વાતોનાં ખારા પાણીથી પછી મનની આંખો બળે, ત્યારે પસ્તાવો એવો થાય કે પ્રભુ મિલનની પળને હું ગુમાવી દઉં છું. રાગ-દ્વેષના અહંકારી સ્વભાવની બળતરાથી સાત્ત્વિક ગુણોનાં સૌંદર્યનો ઉજાગર થતો નથી. અર્થાત્ અફસોસ રૂપે મનને પોતાની ભૂલોનું દર્શન થાય, કે સવારથી રાત સુધી ઘાંચીના બળદની જેમ સંસારી કાર્યોમાં રાગ-દ્વેષથી ફરતાં રહેવાથી, સાત્ત્વિકભાવનું મનનું કૌશલ્ય કુંઠિત થઈ ગયું! જિજ્ઞાસુ ભક્તમાં પછી પશ્ચાતાપ રૂપી અગ્નિ એટલો પ્રજવલિત થાય, કે સંસારી માયા રૂપી ખારા પાણીનું બાષ્પીભવન થતું જાય અને સાત્ત્વિક વિચારોના ચિંતનમાં મન સ્થિત થતું જાય. ભક્તની અહમ વૃત્તિઓ સ્વમય ચિંતનમાં ખોવાઈ જાય, એટલે કે અહમ્ વૃત્તિઓનું સમર્પણ થતાં કર્મસંસ્કારોનું આવરણ વિલીન થાય. સમર્પણભાવની જાગૃતિ જ સ્વાનુભૂતિની અંતરયાત્રામાં સ્થિત થાય અને સ્વયંની આત્મીય ચેતનાની એકમ લયમાં એકરૂપ થાય. પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ, કે અંતર પાત્રાનો આનંદ જીવતાં જ માણવા મળે.

 

સર્વેમાં પ્રભુ સમાયેલો છે, સર્વત્ર કણકણમાં તે ખોવાઈને પ્રસરેલો છે; તે ખોવાયેલા પ્રભુમાં ખોવાઈ જવાં માટે હું ખોવાઈ ગયો અંતરની વિશાળતામાં; સ્વયંની વિશાળતામાં ખુદ ખોવાઈ ગયો અને હું સમર્પિત થઈ ગયો; એના થી મારી તહીન ક નીતી હવે ખોવાયેલો હું ઝૂલે છે સર્વત્ર પ્રસરેલી પ્રભુની પ્રકાશિત લયમાં.

 

 

સંકલનકર્તા-મનસ્વિની કોટવાલા

 

Read More
book img
બનું તારો સદાનો દાસ...

માનવી જો પોતાના તનમનના દેશની વિશિષ્ટતાને જાણે, કે વિચાર કરવાની અસાધારણ કાબેલિયતના લીધે તે પશુ-પક્ષી વગેરે બીજી આકારિત કૃતિઓ કરતાં સવિશેષ છે, તો એવી જાણકારીથી સર્જનાત્મક, રચનાત્મક કાર્યો કરાવતી બુદ્ધિની પ્રતિભા ખીલતી જાય. મનના વાહનની મામિથી પ્રગતિના ઉન્નત શિખરે આરોહણ થઈ શકે છે. તેથી સ્વયંને જાણવું, સ્વયંથી પરિચિત થવું અતિ આવશ્યક છે. નાના હતાં ત્યારે એક બોધદાયક વાર્તા સાંભળેલી, કે સિંહનું બચ્ચું બહુ નાનું હતું ત્યારે પોતાની માતાથી વિખુટું પડી જાય છે. તે બચ્ચું ઘેટાંઓની સંગમાં મોટું થાય છે, એટલે પોતાની ઓળખથી તે અપરિચિત રહે છે અને ઘેટાંની જેમ વર્તે છે. એક દિવસ તે સિફ અને ઘેટાંઓ તળાવના કિનારે પાણી પીવા આવે છે, ત્યારે એક બીજો સિંહ દૂરથી જુએ છે કે ઘેટાઓના ટોળાંની વચ્ચે જે સિંહ છે તેનું વર્તન ઘેટાંઓ જેવું છે. થોડી વાર પછી બધા ઘેટાંઓ પાણી પીને જંગલમાં આગળ વધે છે, ત્યારે બીજો સિંહ નજીક આવે છે. એ સિંહને જોઈને ઘેટાંઓ દોડવા માંડે છે, પણ તે સિંહ જે ઘેટાંની જેમ વર્તે છે, તે પહેલીવાર સિંહને જોઈને ઊભો રહી જાય છે.

 

બીજો સિંહ તો મોટી ગર્જના કરે છે, તે સાંભળીને ઘેટું – સિંહ ગભરાઈ જાય છે અને દોડવા માંડે છે. તે જોઈને સિંહ અને અટકાવે છે અને પ્રેમથી સમજાવે છે કે તું ઘેટું નથી સિંહ છે. ઘેટું-સિંહ તો સિંહની વાતને સ્વીકારતો નથી અને પોતે ઘેટું જ છે સિંહ કેવી રીતે હોય શકે એવું કહે છે. એટલે સિંહ એને તળાવના પાણીમાં પોતાનું અને એનું, પ્રતિબિંબ બતાવીને કહે છે કે, “જો હું અને તું સરખાં છીએ, તારો દેખાવ ઘેટું જેવો નથી, સિંહ જેવો છે. તું એકવાર મારી સાથે મોટેથી ગર્જના કર, તું સિહ જ છે.’’ અંતે ઘેટું-સિંહને જેમ પોતાની ઓળખાણ થાય છે, તેમ માનવી જો પોતાના મનની વિશિષ્ટતાથી જાણકાર થાય, તો માત્ર ખાવું, પીવું, ઊંધવું કે રોજિંદા કાર્યો કરવાના યાંત્રિક જીવનને મહત્તા નહિ આપે, પણ સુષુપ્ત રહેલી બુદ્ધિની પ્રતિભાને ખીલવવાનો પુરુષાર્થ કરશે. એવાં પુરુષાર્થ રૂપે જાણવાની જિજ્ઞાસુ વૃત્તિથી જણાતું જાય, કે જે શરીરનો આકાર જન્મે છે, તેનો વિકાસશીલ ક્રિયાઓથી ઉછેર થાય છે. ધીમે ધીમે તે આકાર પરિવર્તનની ક્રિયા રૂપે ક્ષીણ થઈને અંતે મૃત્યુ પામે છે. અર્થાત્ જગતમાં સર્વત્ર સર્જન-વિસર્જનની ક્રિયાઓ છે અને શરીરના જન્મ-મૃત્યુની કથા રચાતી રહે છે.

 

શરીરની કથામાં મનનું આખ્યાન(વર્ણન) જોડાયેલું હોય છે. તન-મનની કથાના આખ્યાન માટે આત્મીય ચેતનાનું ઊર્જા બળ પ્રભુ અર્પણ કરતાં રહે છે. અર્થાત્ આપણે સૌ પ્રભુની આત્મીય ચેતના સાથે જોડાયેલાં છીએ. દરેક જીવંત દેહધારી કૃતિઓ આત્માના સંબંધથી એકબીજા સાથે જોડાયેલી હોવાંથી, આપણે સૌ તે દિવ્ય ચેતનાની વારસદારીને ભોગવીએ છીએ. વારસદારીમાં પ્રભુની આત્મીય ચેતનાની મિલકત શ્વાસ રૂપે સતત મળતી રહે છે, એટલે કે પિતામહની જેમ એનાં દરેક બાળકો માટે જીવંત સ્થિતિનું વસિયતનામું પ્રભુએ લખ્યું છે. તેથી જ દેહધારી કૃતિઓને આત્મીય ચેતનાનું ઊર્જા ઘન સતત પ્રાપ્ત થતું રહે છે. વારસદાર મન જે મિલકતને મેળવે છે, તે ચેતનાના દિવ્ય ગુણો સાત્ત્વિક વર્તન રૂપે પ્રદર્શિત થાય એવાં શાન-ભક્તિના સદાચરણથી જો જીવે, તો પિતામહની અનંત ગુણોની મિલકતને ધારણ કરાવતી અધિકારી પાત્રતા જાગૃત શકે, પરંતુ માનવી મોટેભાગે પેલા ઘેટું-સિહની જેમ પોતાના સ્વરૂપથી અજાણ રહીને જવે છે.

 

જો કોઈ માનવીનો શ્રીમંત વ્યક્તિ સાથે અંગત સંબંધ હોય, તો તે માનવી બીજા લોકોને ગર્વથી જણાવશે, કે તે શ્રીમંત શેઠ સાથે મારે ઘરનાં સભ્ય જેવો અંગત સંબંધ છે. વિશેષ પદવીવાળાં, કે રાજકીય નેતા, કે અભિનેતા જેવી ધનવાન વ્યક્તિઓ સાથે જો સંબંધ હોય, તો માનવી પોતાને ભાગ્યશાળી માને છે. એવી ઓળખાણના સંબંધોને જાળવવા માટે માનવી ઘણી બધી રીતે મહેનત કરવામાં કચાશ નહિ રાખે. શ્રીમંત વ્યક્તિ તો પોતાના રૂપિયાની વૃદ્ધિ થાય એવી જાળવણીમાં વ્યસ્ત રહે છે, એને સંબંધ જાળવવાની ફિકર ન હોય.

 

માનવીએ એક સભ્ય ભૂલવું ન જોઈએ, કે પ્રભુના ઊર્જા ધનથી સો જીવે છે, આ સત્યના આસન પર બેસીને જે જીવે, તે છે ભક્ત સ્વરૂપની સુમેળભાવની, પ્રેમભાવની નિખાલસતા. ભક્તના મનમાં શ્રીમંત કે ગરીબ એવાં ભેદભાવ ન હોય. એ તો શ્વાસ રૂપે અર્પણ થતાં પ્રભુના આત્મીય ધનનું દાન શરણભાવથી સ્વીકારે અને અહંકારી વૃત્તિઓનાં આવરણને ઓગાળતી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતો રહે. જ્યાં સુધી રૂપિયાની, કે જાતિની, કે પદવીની સરખામણીથી એકબીજા સાથે ઓળખાણ થાય છે, ત્યાં સુધી પ્રભુ સાથેના આત્મીય સંબંધની જે ઓળખાણ છે, જે વારસદારીનું ધન મેળવીએ છીએ તેનું સ્મરણ થતું નથી. એટલે જ પાંચ કે છ ફુટના દેહ રૂપી ફાનસનો પ્રકાશ ફેલાતો નથી. કારણ પ્રેમની, સ્નેહની, લાગણીભર્યા સંબંધોની સહજતા નથી, કે આદર નથી. તેથી જ માનવીને પ્રેમ કે લાગણી દર્શાવવા મહેનત કરવી પડે છે. કોઈ વસ્તુ કે પરિસ્થિતિનો આધાર લેવો પડે છે. એવાં પ્રેમની કૃત્રિમ લાગણીનાં શબ્દોમાં ભાવની નિર્મળતા નથી કે નિઃસ્વાર્થતા નથી. ભક્તની જેમ મનુષ્ય દેહની વિશિષ્ટતાને જાણી, મનની વિશેષતાનો સદુપયોગ થાય એવાં સાત્ત્વિકભાવથી જીવન જીવવું જોઈએ. શ્વાસનું ધન સોને ક્ષણે ક્ષણે અર્પણ કરવાની પ્રભુની સેવાને જાણીને, ભક્ત તે દિવ્ય ધનને દાસત્વભાવથી ઝીલવા માટે વારંવાર વિનંતિ કરતો રહે કે,

 

“... નાથ સદાનો હું દાસ તારો, તો યે સાચો દાસત્વભાવ છે તારો સૂક્ષ્મ અહંકારી વૃત્તિઓને ઓગાળવા માટે, કરું ઘડી ઘડી તારા દાસત્વભાવની યાચના; કરુણા કર એટલી કે સત્યના આસન પર બેસીને, બનું તારો સદા સદાનો દાસ; દાસત્વભાવથી તારા લાસના દાનને ઝીલી શકે, તો તુજમાં એકરૂપ થઈ શકે.

 

સંકલનકર્તા – મનસ્વિની

Read More
book img
વેદોના ગર્ભમાં અમે ઊતર્યા નહીં

 માનવી મહેનત કરીને જીવનમાં ઘણું મેળવે છે અને સંસારી ઈચ્છાઓને ભોગવી પણ શકે છે. પરંતુ જીવનમાં જ્યારે પ્રભુ મિલનની પળ આવે ત્યારે રોજિંદા કાર્યો કરવામાં જો વ્યસ્ત રહીએ તો પળ ચૂકી જવાય છે. સમયની ગતિનો અંદાજ મનને નથી, કે દિવસો વીતતાં મહિનાઓ વીતી જશે અને પાણીના રેલાંની જેમ સંસારી કાર્યો કરવામાં સમય ક્યાં પસાર થઈ જશે તેની ખબર પણ નહિ પડે. જ્યારે શરીરની ઉંમર વધે છે, શરીરથી રોજિંદા કાર્યો કરવાની નબળાઈ વધે છે. ત્યારે ક્યારેક વિચાર આવે કે પ્રભુ મિલનની ઘણી બધી પળોને ગુમાવી દીધી! દરેક માનવીને એવી તો સૂઝ હોય છે કે સંસારી કાર્યોથી, કે પ્રવૃત્તિઓથી સુખ સંતોષ મળવો જોઈએ. પરંતુ બહુ જૂજ લોકોને સાત્ત્વિક વિચારોના સત્સંગથી મનને પ્રસન્ન રાખવાનો સૂઝકો હોય છે. એવા લોકો જીવંત જીવનનો મહિમા સમજવાનો પુરુષાર્થ કરે, ત્યારે સામાન્ય સમજની સપાટી પરધી ઊંડાણમાં જાય, એટલે કે સ્થૂળ જગતની કૃતિઓમાં સમાયેલી સૂક્ષ્મ ઊર્જા શક્તની વાસ્તવિકતાને ગ્રહણ કરવાનો પુર્વાર્થ કરે.

 

એવાં પુરુષાર્થ રૂપે એટલું સમજાય કે હરક્ષણે પ્રાપ્ત થતી શ્વાસની નવીન ઊર્જાના લીધે મનની સ્થિતિ પણ બદલાતી રહે છે. તેથી સાત્ત્વિક વિચારોના સંગાથમાં જો મન રહે, તો વિકાસશીલ ઉન્નતિને ધારણ કરી શકે છે. એવી ઉન્નતિ રૂપે સાત્ત્વિક ગુણોના સ્વભાવની પ્રસન્નતા ધારણ થાય, ત્યારે એકબીજા સાથેના સંબંધોમાં પ્રેમ, આનંદની પૂર્તિ પતી જાય. હર ક્ષણે બદલાતી સમયની ગતિ સ્વરૂપે નિત્ય નવીન ઊર્જાનું ધન પ્રભુ અર્પણ કરતાં રહે છે. આ વાસ્તવિકતાને જિજ્ઞાસુ ભક્ત જાણે છે અને સમજે છે, કે આજે જે પણ ઘટનાનો જેવો અનુભવ થયો તેવો જ અનુભવ ફરીથી નથી થતો. આજે મનગમતી મીઠાઈ ખાતી વખતે જે મજા આવી, અથવા અત્યંત મિત્રને મળવાનો જે સુખદાયક અનુભવ થયો, તેવો અનુભવ બીજીવાર એ જ મીઠાઈ ખાઈએ, કે એ જ મિત્રને મળીએ ત્યારે નથી થતો. એટલે માત્ર સ્થૂળ આકારિત પદાર્થોની સંગમાં એને ભોગવવામાં જુદાં જુદાં અનુભવ થાય, પણ મનની ગુશિયલ સ્વભાવની ઉન્નતિ જાગૃત થતી નથી.

 

એવું નધી કે ઈન્દ્રિયગમ્ય વિષયોને ભોગવવાના નથી, પણ ભોગ્ય પદાર્થોને સર્જાવતી પ્રભુની ઊર્જા શક્તિનો જો સ્વીકાર થાય અને ભોગવવાની ક્રિયાનું મનોબળ અર્પણ કરતી ઊર્જા શક્તિનો સ્વીકાર થાય, તો પશુની જેમ માત્ર ભોગી વૃત્તિઓનું વળગણ નહિ રહે, કે ભોગના અનુભવમાં ફરવાનું આકર્ષણ નહિ રહે. પરંતુ ભાગે રૂપે પ્રભુ સાથેની એક્પતાની પ્રતિતી કરાવતો ભાવ પ્રગટે, એવી સાત્ત્વિક મનોદશા જાગૃત થતી જાય. એવી જાગૃતિ રૂપે પ્રભુ મિલનની પળ વેડફાઈ ન જાય, પણ ભક્તિભાવની નિષ્ઠા વધતી જાય. સાત્ત્વિક આચરણની પ્રસન્નતા ભવિષ્યમાં મેળવવાની ન હોય. કારણ આ ક્ષણે પ્રભુ તો પ્રસન્નતાની સાત્ત્વિકતાને શ્વાસ રૂપે અર્પણ કરે જ છે અને બીજી ક્ષણે બીજા સ્તરની પ્રસત્રતા હોય છે. મન જો એકના એક રાગ-દ્વેષાત્મક વૃત્તિ- વિચારોમાં ગૂંથાયેલું રહે, તો પ્રસન્નતાની પળને ગુમાવી દે છે. એવું મન પ્રસન્નતા મેળવવા બાહ્ય જગતમાં ફરતું રહે છે.

 

આજનો સમય યોગ્ય છે એવું જાણનારો જિજ્ઞાસુ ભક્ત, કદી સમયની મર્યાદામાં બંધાઈને સત્સંગ ન કરે. કારણ એ જાણે છે કે જેમ વૃક્ષ પરથી આપમેળે ખરી પડેલું ફળ પાછું એ જ ડાળી પર પોતાની મેળે જઈ શકતું નથી, અથવા પહાડ પરથી વહી ગયેલું પાણી ફરીથી પહાડ ચઢાણ ચઢી શકતુ નથી, તેમ સત્સંગમાં મને સ્થિત થાય, ત્ત્વો સંસારી વૃત્તિ-વિચારોથી મુક્ત થાય છે. મનની એવી મક્ત ગત પોતાની માવીતર સ્વરૂપની આત્મીય ચેતના સાથે એકરૂપ થાય. અર્થાત જે મનને સત્સંગનો મહિમા સમજાય, જ્ઞાની ભક્તના સાંનિધ્યનું તાત્પર્ય સમજાય, તે અમુક સમયની મર્યાદામાં બંધાઈને સત્સંગમાં, કે ચિંતનમાં, કે અંતરધ્યાનમાં સ્થિત ન થાય. એ તો પાણીના મુક્ત વહેણની જેમ અંતરની સૂક્ષ્મતા તરફ પ્રયાણ કરતું જાય. મુક્ત ગતિની પ્રભુ મિલનની પળનો ઉદય થાય. તો આ પળે પ્રભુએ અર્પણ કરેલાં શ્વાસના ધનનો યથાર્થ સદુપયોગ થયો કહેવાય.

એવું જાગૃત મન સહજતાથી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતું રહે અને બીજાને તરવાની, જિજ્ઞાસુભાવની પ્રેરણા પૂરતો રહે.

 

સારાંશમાં આજનો સમય યોગ્ય છે એમ સ્વીકારી ભક્તિભાવનું સ્નાન થયાં કરવું જોઈએ. હજુ એવો પાંત્રિક સમયમાં ભક્તિભાવની પ્રસન્નતાનો અનુભવ અશક્ય લાગશે. લોકિક મનની નિષ્ઠા એકલવ્ય જેવી નથી કે માત્ર એક જ કાર્ય કરતું રહે. એવી નિષ્ઠા હોત તો ભક્તિભાવની સરિતા મન બની જાય. તેથી એટલો સ્વીકાર થવો જોઈએ, કે વૃધાના મૂળ જેમ જમીનમાં છે, તેમ મનનાં મૂળ પ્રભુની ભગવત્ ભાવની ઊર્જા શક્તિના એટલે કે ભક્તિના છે. પછી સમયની ગતિમાં સંસારી વિચારોનું વળગણ છૂટતું જશે. માતા-પિતા કે મિત્રોની મૃત્યુ રૂપે વિદાય થાય, તો શરૂઆતમાં તેમની યાદ આવે અને આંખોમાં આંસુ આવી જાય. પછી સમયની ગતિમાં બધું વિસરાતું જાય અને મરણ તિથિએ માત્ર યાદ આવે. અર્થાત્ સમયની ગતિમાં જે આકારિત કૃતિઓ જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે, જે ખીલે છે તે કરમાય છે એ ઉન્નતિની ક્રિયા છે. એ વાસ્તવિક સત્યના મહિમાને ભકત જાણે છે એટલે એને મૃત્યુનો ભય નથી, એ તો પ્રભુ મિલનની પળ સ્વરૂપે જીવંત જીવન જીવે અને જ્ઞાતા ભાવથી મહિમા સમજીને મનની ઉન્નતિથી જીવે છે, એવું જીવન જો ન જીવીએ તો પસ્તાવો થાય કે...

 

મહિમા તારો અમે સમજ્યા નહીં, મોતને આરે આવી ઊભા રહ્યાં;

 જ્યોતિ કદી તારી અમે દીઠી નહીં, અંધારામાં દિવાળીએ દીવા કર્યાં;

 વેદોનાં ગર્ભમાં અમે ઊતર્યાં નહીં, વેદોનાં પન્ન અને પઠન કીધાં;

 માળા ને મંત્રોનાં અર્થ સમજ્યા વિના, સમુદ્રના મોજા જેમ અથડાતાં રહ્યાં,

 

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
સાત્વિક વિચારોનું અન્ન અને અન્નનું સત્વ

પ્રભુ સાથેનો આત્મીય સંબંધ જ્યારે ભક્તિભાવની નિખાલસતાથી અનુભવાય, ત્યારે પોતાના આત્મા રૂપી ગોકુળધામમાં સ્થિત થવાંની મહેચ્છા જાગે. આત્મીય સંબંધોની દિવ્ય પ્રીતને માણવાની ભક્તની તરસ એટલી તીવ્ર હોય, કે એના અંતરનાં ઊંડાણમાંધી વિનંતિભર્યા અક્ષર શબ્દોની ધારા વહેતી જાય. એ શબ્દો રૂપે સૂક્ષ્મની પેલીપાર આત્મસ્થિત થવાંનો મક્તનો દઢ નિર્ધાર પ્રદર્શિત થાય. એટલે ભજનના શબ્દો માત્ર આલેખન રૂપે પ્રગટ ન થાય, પણ એમાં વિનંતિના આર્તનાદનો ધ્વનિ સમાયેલો હોય. તે ધ્વનિમાં સૂર-સ્વરથી પ્રગટેલાં શબ્દો ભજન રૂપે ભક્ત દ્વારા પ્રસ્તુત થાય. તેથી એવાં ભજનોનાં શબ્દોનું ગુંજન જો બીજા જિજ્ઞાસુઓ કરે, તો વિનંતિનો ભાવ તેઓમાં પણ જાગે અને ભક્તિના સૂક્ષ્મ રાહનું માર્ગદર્શન મળતું જાય. ભક્તિનો સૂક્ષ્મ રાહુ એટલે સાત્ત્વિક આચરણની નિઃસ્વાર્થતા. અર્થાત્ જે પરમાત્મ શક્તિના આધારે આપણે જીવંત જીવન જીવીએ છીએ, તેનાં વિશેષ ગુણોનું પ્રભુત્વ ધારણ થઈ શકે એવા નિઃસ્વાર્થભાવની જાગૃતિ કરાવતું આચરણ.

આચરણ રૂપે મનને ભક્ત સ્વરૂપનું પરમાર્થી, પારદર્શક, સોમ્પ, વિશુદ્ધ, સમતોલભાવનું કૌશલ્ય સ્વયંભૂ જાગૃત થાય. તેથી જ જિજ્ઞાસુ મન સાત્ત્વિક આચરણની જાગૃતિ અર્થે સ્વમય ચિંતન કરતો રહે અને ચિંતનના નિર્મળભાવથી પ્રભુને વારંવાર વિનવતો રહે કે, ‘“ કૃપા કરી હે નાથ ! સાત્ત્વિક વિચારોના ચિંતન રૂપી જળથી અહંકારી વૃત્તિ-વિચારોના વર્તનની દુર્ગંધને દૂર કરાવજો. જેથી જ્ઞાન-મક્તિની સરિતામાં તરાવતી મનની શુદ્ધતા ધારણ થતી જાય. શુદ્ધ મનની ગુણિયલતામાં આપના સાત્ત્વિક ગુણોનો ઉજાગર થાય છે. જે આપના પ્રભુત્વના મહાસાગરમાં ભક્તિભાવથી તરાવી શકે છે. તે મહાસાગરના તરવેયા બનવા માટે જ આપને વારંવાર વિનવું છું કે હજુ મારા પ્રેમભાવની હોડી ખૂબ નાની છે. તે હોડીના હલેસાં રૂપે જ્ઞાન-ભક્તિના સદ્ભાવથી જીવવાનું માર્ગદર્શન આપની અણમોલ કૃપાથી ધારણ થતું રહે છે. હવે આપ મારી નાની હોડીના નાવિક બની, મુજને અંતર યાત્રાની વિશાળતામાં સહેલ કરાવો. આપના સાત્ત્વિક વિચારો રૂપી અન્ન ખાવા મળે છે અને સાત્ત્વિકભાવનું સ્વાસ્થ્ય ધારણ થતું જાય છે. અમે સો જિજ્ઞાસુ ભકતો એવાં સ્વાસ્થ્યની અમીરી સમાજમાં પ્રસરાવી શકીએ, તે માટે જ્ઞાન-ભક્તિનો સત્સંગ અમે જ્યારે જ્યારે કરીએ, ત્યારે આપ સાક્ષાત પધારીને આપના સતુ ભાવનો સંગ કરાવજો...

 

સાત્ત્વિક વિચારોનું અત્ર આપ ખવડાવો છો અને તે અન્નનું સત્ત્વ આપની કૃપાથી ધારણ થાપ છે. જેથી મનનું ભક્ત સ્વરૂપનું સદાચારી કોશલ્ય જાગૃત થઈ શકે. આપ સ્વયં તે અન્ન બની સૂક્ષ્મની પેલીપારની સમજને પ્રગટાવો છો. હે નાથ આપ સાત્ત્વિકભાવનું અન્ન ખવડાવવા તૈયાર છો અને તેને ખાવા માટે અમે અધીર રહીએ છીએ. છતાં અમારી એક શરત માન્ય રાખજો, કે આપ ખવડાવતાં જ્યારે પાકી જાવ ત્યરો મને પણ ખાતાં થાક લાગે અને તે ક્ષણે આપ પોતે મારી સાથે ખાવ એવી કૃપાનું ધન વરસાવતાં રહેજો. મારા તન-મન રૂપી થાળીમાં આપની દિવ્ય ચેતનાની ઊર્જાનું અન્ન હર ક્ષણે નવું નવું પીરસાતું રહે છે. એટલે હર ક્ષણ આપ મારી સાથે રહો છો. તેથી આપને વિનંતિ કરવાની ન હોય, પરંતુ મારું મન સંસારી ઘટનાઓમાં ક્યારેક ભટકી જાય છે. એટલે શ્વાસ રૂપે હર ક્ષણે અર્પણ થતાં આપના સાત્ત્વિક ગુણોનાં સંગાથને માણી શકતો નથી, તેથી જ આપની સાત્ત્વિકભાવની ગતિથી સત્સંગમાં પધારવાની આપને વિન્દ્રત કરતો રહું છું. જેથી અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓની કર્મસંસ્કારોની ગાંઠો છૂટતી જાય અને ભક્તિભાવની જાગૃતિ રૂપે તૃપ્તિનો રાહ મળતો જાય..

 

હે નાથ, આપની પ્રકાશિત ચેતનાની ગતિનો સંગાય અંતરધ્યાન રૂપે જ્યારે જ્યારે માથું છું, ત્યારે મનની રાગ-દ્રુપના વિચારોમાં ભમવાની ગરીબી, એટલે કે ભૂત-ભવિષ્યના જીવનની ચિંતામાં રહેવાની ગરીબી વિલીન થાય છે. હવે એટલી સ્પષ્ટ સમજ ગ્રહણ થઇ છે, કે જ્યાં રાગ-દ્વેષના વિચારો કરવાની ગરીબી ન હોય, ત્યાં છે આપના સાત્ત્વિકભાવની અમીરી, સાત્ત્વિકભાવની અમીરીમાં આપની દિવ્ય આત્મીય પ્રીતની ગુણિયલતા પ્રગટે છે. આપની દિવ્ય પ્રીતની ગુણિયલતાને માણવા માટે જ મનુષ્ય જન્મ ધારણ કર્યો છે. મનુષ્ય જીવનની એ જ તો શ્રેષ્ઠતા છે, જે મનની શુદ્ધતાથી, પરોપકારીભાવથી સાત્ત્વિક વિચારોનું ચિંતન કરી શકે છે અને એનો સૂક્ષ્મ ભાવાર્થ ગ્રહણ કરી શકે છે. ભાવાર્થ અનુસાર જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાની કેળવણી આપની કૃપાથી ધારણ થતી જાય, તો સદાચરણની પ્રસન્નતા અનુભવાય. એવી પ્રસન્નતામાં જ સ્વ સ્વરૂપની ગુણિયલતા, એટલે કે આપની આત્મીય દિવ્ય પ્રીતની પૂર્તિ થતી રહે છે. આપની એવી દિવ્ય પૂર્તિ માટે ઝૂરું છું, તેથી જ મારું-તારું-પરાયુંના ભેદને ભૂલાવતો સાત્ત્વિકભાવ જાગૃત રહે એવી વિનંતિ ફરીફરીને કરતો રહું છું..  … હે પ્રભુ, જ્ઞાન-ભકિતની સરિતામાં મારા મનની નાની હોડીને આપ સ્વયં નાવિક બનીને તરતી રાખો છો. એટલે એટલું તો સમજાયું છે કે જે મનગમતી વસ્તુ, વ્યક્તિ, કે પરિસ્થિતિને ભોગવવા માટે હું મારું મારું કરતો રહ્યો, તે કદી મારું સ્વયંનું નથી થયું. જો તારું તારું કર્યું તો પણ પ્રભુ આપનું તારું) કશું જ ના મળ્યું, પરંતુ જ્યારથી અમારું અમારું કર્યું ત્યારથી અહમ્ વૃત્તિઓનું સમર્પણ થતું ગયું અને સમર્પણભાવની જાગૃતિમાં પછી સાત્ત્વિક ગુણોનું ધન સ્વયંભૂ ધારણ થતું ગયું. હવે સ્પષ્ટ નિર્ધાર થયો છે કે મારું જે છે તે તારું છે અને તારું જે છે તે જ મારું છે. એટલે હવે મારું-તારું પણ નથી રહ્યું પણ સર્વત્ર જે સર્વેમાં સમાયેલું છે, તે સર્વસ્વ તું જ છે. એ તું જ હું છું એવી એકમની લયનું દાન ઘરજો અને તે લયનું દાન ધારણ કરાવતી અંતર ભક્તિમાં ધ્યાનસ્થ રાખજો. અંતર ભક્તિની ધ્યાનસ્થ સ્થિતિમાં આપના પ્રકાશિત દર્શન જ્યારે જ્યારે થાપ, ત્યારે તે પ્રકાશિત ચેતનામાં હું સમાઈ જાય એવી દિવ્ય ગીતની પૂર્તિ કરતા રહેજો. તેધી જ વારંવાર વિનવું છું કે મારી અંતર આંખોનો અંધાપો દૂર કરાવતી સાત્ત્વિકભાવની તેજસ્વીતા ઘરો અને આત્માના ગોકુળ ધામમાં સ્થિત કરાવતી એકમની લયનું દાન ઘરો..

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

Read More