બાળપણમાં ઘરના વડીલો તથા માત-પિતાની છત્રછાયામાં જે નિઃસ્વાર્થ પ્રેમની પૂર્તિ થઈ હતી, તે પ્રેમની ભૂખ મોટા થયાં પછી પણ સંતોપાતી નથી. એટલે દરેકના મનની ભૂખ છે પ્રેમની, પણ મનની આ ભૂખથી માનવી અજાણ રહે છે અને પ્રેમ વગરના વિચાર-વર્તનના લીધે ભૂખ વધતાં રાગ-દ્વેષ ક્રોધ- ઈપ્પાં, વેરઝેર વગેરે નકારાત્મક વિચાર-વર્તનમાં મન ગૂંગળાતું જાય છે. વાસ્તવમાં મન ભૂખ્યું છે તે જાણવાનું નથી, પણ મનને જે ખાવું છે તે સાત્ત્વિક વિચારોની સૂક્ષ્મ સમજ સાથે બુદ્ધિગમ્ય અનુભવ રૂપી અન્ન ખાવું જોઈએ. એવાં અન્નની પૂર્તિથી પ્રણ ઉમેરણ પ્રતિભા આપમેળે ખીલતી જાય. વળી મનની ભૂખ કદી પૂરી ન થાય, એ તો ાિની જેમ સતત ખાતું રહે. એટલે જે વિચારો ખાવાથી મનની તાણ ઓછી થાય અને પ્રસન્નતા અનુભવાય, અથવા સ્થૂળ આકારોની નાશવંત સ્થિતિથી જાણકાર થવાય અને એનું મિથ્યા આકર્ષણ ઘટતું જાય, અથવા મારું-તારુંની સરખામણીના ભેદભાવના વર્તનનું વળગણ છૂટતું જાય, અથવા સમજણની સપાટી પરથી ઊંડાણમાં સૂક્ષ્મ સૃષ્ટિથી જાણકાર થવાય, એવાં સમતોલ મનોભાવનો ઉજાગર કરાવતાં વિચારોનો રસથાળ, એટલે રવિવારની મધુવન પૂર્તિ રૂપે સાત્ત્વિક વિચારોનું ચિંતન થવું.
સાત્ત્વિક વિચારોના અધ્યયનથી મનની ભૂખ ત્યારે સંતોષાય, જ્યારે સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ સહજતાથી ગ્રહણ થતો જાય અને સંકુચિત માનસનો સ્વભાવ બદલાતો જાય. અર્થાત્ વિચારો દ્વારા પ્રદર્શિત થતાં બોધ કે જ્ઞાનથી મનની અજ્ઞાનતા વિલીન થતી જાય. પરંતુ બોધ અનુસાર વિચાર-વર્તનનું પરિવર્તન થઈ શકે ભક્તિની શક્તિથી. ભક્તિ એટલે પ્રશુહ શાંત, સાત્ત્વિકભાવની શકિત. એટલે જિજ્ઞાસુ ભક્ત શ્રવણ ભક્તિ, સ્મરણ ભક્તિ, અર્પણ ભક્તિ વગેરે ભક્તિભાવનાં સદ્ વર્તનની મહત્તાથી જીવન જીવ. એવાં સતન રૂપે હુંની અહંકારી વૃત્તિઓનું સમર્પણ થતું જાય, તેને કહેવાય જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવું. આરંભમાં તરતાં આવડતું ન હોય, તો જ્ઞાની ભકત જેવાં તરવૈયા સાથે તરવું પડે. એવાં તરવેયા સાથે તરવું હોય તો બાળક જેવો નિર્દોષભાવ અથવા પ્રેમાળ સ્વભાવની નમ્રતા જોઈએ. નિખાલસ સ્વભાવની નમ્રતામાં દઢ શ્રદ્ધા હોય, જે તરવૈયાના પાવન સાંનિધ્યમાં તરવાનું આપમેળે શીખી જાય છે. સંસારી જવાબદારીના કર્તવ્યો કરતાં કરતાં જ તરતાં રહેવાય, તે છે સાનિધ્યની સાત્ત્વિકભાવની છત્રછાયા. એવી છત્રછાયામાં મનનું સાત્ત્વિકભાવનું, નિઃસ્વાર્થભાવનું કૌશલ્ય જાગૃત થતું જાય.
સંસારી જીવનની એવી કેટલીયે પ્રક્રિયાઓ છે, પ્રવૃત્તિઓ છે, જેને શારીરિક કે માનસિક રૂપે છોડી શકાય એમ નથી. એટલે સંસારી પરિસ્થિતિઓને છોડવાં કરતાં અજ્ઞાની, અહંકારી માનસિકતાને છોડવી ઉચિત છે. મનમાં જો રાગ-દ્વેષાત્મક અહંકારી વિચારોની આવનજાવન હોય, તો શારીરિક સ્તરે જે છોડવું છે, જે પરિસ્થિતિનો ત્યાગ કર્યો છે તે વ્યર્થ છે. જેમ તાળી પાડીએ ત્યી બન્ને હાથ, એકબીજાની નજીક આવે છે. તે ક્ષણે એવો વિચાર નથી કે જમણી હાથ સારો છે કે ડાબો હાય, અથવા જમણા હાથને કહેવું ન પડે કે હાબા હાથની નજીક જા. બે હાથવાળા મનુષ્યોને શરીરની પ્રાપ્તિ પ્રભુ કૃપા રૂપે થઈ છે. જેમ તાળી પાડવાની પ્રક્રિયા બે હાથની, બે રીતની જુદી નથી; તેમ જીવંત જીવનની જે ભેટ પ્રભુએ અર્પી છે, એમાં સંસારી સ્થૂળ જગત કે આધ્યાત્મિક જગત એવી બે સ્થિતિના કોઈ ભેદ નથી. પ્રભુ પોતે જ પાસની ચેતનાનું અમૃત દાન અર્પણ કરે છે. તેથી આધ્યાત્મિક જીવન કે સંસારી જીવન એવાં ભેદથી જ્ઞાન-ભક્તિની સરિતામાં તરી ન શકાય. જિજ્ઞાસુ ભક્ત તો જ્ઞાની ભક્ત સાથે દે સાથે દેઢ શ્રદ્ધાની શરણાગતિથી તરતો રહે અને દ્વૈત જગતની આવૃત્તિમાં જ અદ્વેત ચેતનાની પ્રતીતિ કરતો રહે.
ભેદની સીમાઓ ઓગળી જાય તો જ્ઞાન-ભક્તિના વહેણમાં મન સહજતાથી ઓતપ્રોત થાય. એટલે ભક્ત કદી પ્રવૃત્તિની રીતને કે પતિને મહત્તા ન આપે, પણ પ્રવૃત્તિ જે ઊર્જાની ચેતનાના આધારે થાય છે તેની પ્રતીતિથી નિષ્ઠાપૂર્વક પ્રવૃત્તિ કરે. અર્થાત્ ભક્ત તો સંસારી પ્રવૃત્તિ કે આધ્યાત્મિક પ્રવૃત્તિ એવાં ભેદને છોડી, અર્તાભાવની સમતોલતાથી કાર્યો કરતો રહે છે. અકર્તાભાવની સમતોલતા એટલે હું કર્તા છું એવા અહંકારી વિચારોનું મૃત્યુ થયું.વિચારોનું મૃત્યુ થયું એટલે આ ક્ષણે એક વિચાર ઉદ્ભવ્યો અને બીજી ક્ષણે બીજો વિચાર ઉદ્દભવે, ત્યારે પહેલાં વિચારનું મૃત્યુ થયું કહેવાય. વિચારોની હારમાળામાં મન ફરતું ન રહે, તે છે થઈ ગયેલા વિચારોનું મૃત્યુ થવું અને એવાં મૃત્યુમાં વાણીનું મોન પાય,
આમ ભક્ત જે ક્ષણે પ્રવૃત્તિઓ કરે, કે જે વિચારો કરે, તે ક્ષણ પછી એનાં સ્મરણમાં એનું મન ફરે નહિ, પણ વિચાર વગરની શાંત સ્થિતિની ક્ષણોને માણે. મનની એવી શાંત સ્થિતિની ક્ષણમાં ભૂતકાળનાં વિચારોનું સ્મરણ નથી, કે ભવિષ્યની આકસ્મિક ઘટનાઓની ચિંતા નથી. વિચારોની એવી મૌન સ્થિતિમાં ઈન્દ્રિયોનું બાધગમન ઓછું થતું જાય અને અંતરગમનની આંતરિક શક્તિ ધારણ થતાં, અંતર ઈન્દ્રિયોની જાગૃતિ રૂપે મોન થતું જાય, અર્થાત્ ભક્તના મનમાં વિચારોનું યર્પણ ન હોય. વિચારોની હારમાળાનું ભક્તિભાવની જાગૃતિ રૂપે મૌન થતું જાય અને વિચારો સાથેનું ઈન્દ્રિયોનું બાહ્યગમન બંધ થતું જાય. તેને કહેવાય દેહથી પરની સાક્ષીભાવની આત્મ સ્થિત જાગૃતિ, વિચારોના મૌનમાં પ્રભુ દર્શન રૂપે દિવ્ય ગુણોનું પ્રભુત્વ પ્રકાશિત થાય. તેથી જ ભકત તો મનનું મૌન જળવાય એવાં સદ્ભાવથી જીવે અને મન સ્વયં પ્રભુની આત્મીય ચેતનાનો અભિન્ન અંશ હોવાથી, તેને નકામના વિચારોનું સ્મરણ ગમતું નથી, એટલે ભક્તનાં સાત્ત્વિક વિચારોમાં વિશાળ મતિનો ગુણિયલ ચારો હોય, જે આપણને નિર્દેશ ધરે છે કે..,
ચાલ્યો જા તું ચાલ્યો જા, વિશાળતામાં ચાલ્યો જા;
કર્મોમાં વીંટાળી મને ચાલ્યો જા તું ચાલ્યો જા,
અધિકારી બન્યાં પછી કર્મોથી પર થતો જઈશ,
વિશાળ મનમાં વિટંબણાઓ વિશે નહિ. વિહાશે નહિ,
સમાધાન મનનું થશે મુંઝવણો દૂર થાશે,
મન વલોવાતું જાશે માધવ મનમાં બેસી જાશે,
બેસી જાશે બેસી જાશે માધવ મનમાં બેસી જાશે...
સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા