Quotes

Divinity is at the root of life and truth is oneness; the heart can feel the oneness when mind becomes selfless.

Spiritual Essays

Read the following articles and find out the meaning of your life.

book img
હવે ચરણમાં અમને રાખજો.

મહાભૂતોની પ્રકૃતિનું ઉત્કૃષ્ટ સર્જન એટલે માનવ શરીરની રચના. સ્ત્રી અને પુરુષ એવી બે જાતિના આકારની રચના થઈ છે. આવી બે જાતિના આકારની વિશેષતા પ્રાણી, પક્ષી, જળચર વગેરેમાં પણ છે અને આવાં બે પ્રકારના આકારોને જીવંત જીવન જીવાડવા માટે પ્રભુએ સ્વયંની આત્મીય ચેતનાનો ઊર્જા સ્રોત વહેતો મૂક્યો છે. જીવાડનાર પ્રભુની ચેતના જગતમાં સર્વત્ર છે અને સૌને ક્ષણે ક્ષણે શ્વાસ રૂપે અર્પણ થયાં કરે છે. જેથી દરેક માનવી પોતાની ઈચ્છા મુજબના કાર્ય કરી શકે. એવી ઊર્જા પૂર્તિ વિના મૂલ્યે ધારણ થયાં કરે છે. એટલે જીવન જીવવાની રીત શીખવાની ન હોય, પણ જીવન રૂપે પ્રેમ, સ્નેહ, આદર, ભલાઈ, વિનમ્રતા, પ્રામાણિક્તા વગેરે ભાવની ગુણિયલતા પ્રગટ થવી જોઈએ. કારણ જે ચેતનાની ઊર્જાના આધારે આપણે સૌ જીવંત જીવન જીવીએ છીએ, તે ચેતના છે ગુણિયલ ભાવની સાત્ત્વિકતા. પરંતુ સત્ય એ છે કે જીવાડનાર પ્રભુની ચેતનાને ભૂલીને માનવી જીવે છે. એટલે ભાવની ગુણિયલતા વિચાર-વર્તન રૂપે સહજ પ્રગટતી નથી.

આ ભૂલી જવાની જે ભૂલ થઈ છે, તેને પણ માનવી ભૂલી ગયો છે. આમ ભૂલથી ભૂલું પડેલું મન સ્વયંની ઓળખથી અપરિચિત રહે છે અને અવળે માર્ગે ભટકતું રહે છે. અવળો માર્ગ છે એકબીજા સાથે રૂપિયાની સરખામણીથી સ્પર્ધા કરવાનો, રાગ-દ્વેષાત્મક વર્તનથી રકઝક કરવાનો. જ્ઞાતિ કે સાંપ્રદાયિક ધર્મના નામે, ઉચ્ચ-નિમ્ન કક્ષાના ભેદથી આવા અવળાં માર્ગને માનવી પોતે જ બનાવે છે. એટલે ભેદ જોવાની કે સરખામણી કરવાની ખેંચતાણમાં પ્રભુની ચેતનાનું સ્મરણ થતું નથી. આવી ખેંચતાણના વમળમાં ડૂબેલાં મનને પરભવ પુણ્યના ઉદય રૂપે જ્યારે સમજાય કે, ‘‘શ્વાસની ચેતનાનો આધાર રૂપ સહારો આપનાર પ્રભુ તો મારી સેવા કરે છે! જેથી શ્વાસના ધનનું સેવન હું કરી શકું. છતાં કોઈ પણ ક્ષણે પ્રભુ પોતાની શક્તિના વર્ચસ્વનો, પોતાની શાશ્વત સત્તાનો, પોતાના પ્રભુત્વની ચેતનાનો દેખાડો નથી કરતાં, કે કદી જતાવતાં પણ નથી કે હે જીવ, મારા વગર તારી હસ્તી નથી, મારી પ્રાણની ચેતના વગર તું નિર્જીવ છે. જેનો સતત સહારો છે, જેનાં આધારે હું જીવંત છું તેને જ ભૂલી ગયો, એટલે જીવનમાં નથી સંતોષ, શાંતિ કે તૃપ્તિની પ્રસન્નતા...!’’ આવી સમજ સાથે પશ્ચાત્તાપ થાય ત્યારે જિજ્ઞાસુ ભક્તની જેમ ભૂલનો એકરાર થાય અને પ્રભુને વિનંતિ થાય કે....

આ સૃષ્ટિમાં અમે શ્વાસ લઈએ આપના થકી,

અરે! હર ઘડી અમે જીવીએ પ્રભુ આપના થકી..

અમે જન્મ લીધો શ્વાસ મૂક્યો કૃપા એ આપની,

હવે જીવન જીવતાં શીખવો પ્રભુ કૃપા વરસાવો આપની...

અમે આવીને ઘણાં પાપ કર્યા પ્રભુ વહાલથી સ્વીકારજો,

હવે ચરણમાં અમને રાખજો પ્રભુ વિનંતિ છે બસ આટલી...

અમે આવીને તને ભૂલી ગયાં પ્રભુ માફી માંગીએ આપની,

હવે અમી દષ્ટિ અમ પર રાખો પ્રભુ સહારો છે આપનો...

ખરું જીવન જીવવાનું ત્યારે શરૂ થાય, જ્યારે વાણીનું-

મનનું મોન શરૂ થાય અને ઊર્જાની પ્રકાશિત ગતિની સાત્ત્વિકતા ધારણ થાય. પરંતુ મોટેભાગે ઈન્દ્રિયગમ્ય વિષયોને ભોગવવામાં ઊર્જાની ચેતના વપરાય જાય છે. તેથી જ વિષય ભોગથી થાકેલાં મનને વધારે ઊંઘવું પડે છે. ઊંઘ રૂપે ઊર્જા શક્તિનો સંચય થતાં તન-મન તાજગી અનુભવે છે, પણ દિવસ દરમ્યાન માનવી જેનો સહારો છે તેને ભૂલીને માત્ર ભોગમાં આળોટે છે. ચોકલેટ ખાવાની ઈચ્છા થાય,ત્યારે ચોકલેટ જો ન મળે તો કેન્ડીને શોધે અને તે ન મળે તો પેપ્સીકોલા! મન સતત એક વિષયમાંથી બીજા ઘણાં વિષયોને ભોગવતું રહે છે અને વિચાર્યા વગર શબ્દોની વાચા બોલતું રહે છે. તર્ક-વિતર્ક કરે અને પોતે સાચો છે તે દલીલોથી પુરવાર કરવાની પ્રતિક્રિયામાં ઊર્જાની સાત્ત્વિકતા પ્રગટતી નથી. એટલે માનવી પોતે જ પોતાના અજ્ઞાની અહંકારી વર્તનમાં ગૂંચવાઈ જાય છે, મુંઝાઈ જાય છે. કરોળિયો જેમ પોતાની લાળથી ગૂંથેલા જાળામાં ગૂંથાઈ જાય, તેમ માનવી સંસારી રાગ-દ્વેષના વર્તનમાં ગૂંથાઈ જાય છે. કરોળિયાને તો પોતે ગૂંથેલાં જાળાને ગળી જતાં આવડે છે, મનને આવડતું નથી, એટલે કર્મ સંસ્કારોનું આવરણ વધતું જાય છે.  પોતે ગૂંથેલાં જાળાને-આવરણને ઓગાળવા માટે જ્ઞાન-ભક્તિના સત્સંગથી મનને કેળવવું પડે, તે માટે પ્રથમ વાણીનું મૌન જરૂરી છે. જરૂરત હોય એટલાં જ શબ્દોની વાચા બોલાય તો દલીલ કરવાનું ઓછું થાય અને એકબીજા સાથે કંકાસ, સંતાપ ઓછો થતાં ન કામનાં વિચારોનો કોલાહલ શાંત થતો જાય. ઓછામાં ઓછી વાચાના ઉપયોગથી માનવી પોતાના કાર્યો કરી શકે છે, તે મુશ્કેલ નથી. પ્રભુની ચેતનાના સાત્ત્વિક ગુણોને પ્રગટાવતું ભક્તિમય જીવન જો જીવવું હોય, તો મુશ્કેલ લાગતી પરિસ્થિતિમાંથી પસાર થવાનો સરળ ઉકેલ મળી જાય છે. ચિંતા કે ઉગ્રતાવાળા નકારાત્મક સ્વભાવને સાત્ત્વિક વિચારોના ચિંતનથી બદલવાનો નિશ્ચય થાય, પછી મુશ્કેલ લાગતી પરિસ્થિતિ જ સ્વયં પ્રભુ મિલન તરફ પ્રયાણ કરાવતી ઉપકારી સ્થિતિ બને છે. જેમ જેમ વાણીના મૌનથી સંસારી વિચારોનો કોલાહલ શાંત થાય, તેમ તેમ મનના મૌનની મહત્તા પરખાતી જાય.  વાણીના મૌનમાં હાથના ઈશારાથી વાતો કરવાની ન હોય. એમાં મગજ-વિચારો શાંત થતાં નથી, એ તો છે વાણીના મૌનનું બાહ્ય આડંબર. ભીતરમાં દૃઢ નિર્ધારનો તાર ઝણઝણવો જોઈએ, કે હું જેનો અંશ છું, તે પ્રભુની આત્મીય ચેતનાની ગુણિયલતા વિચાર-વર્તન રૂપે પ્રગટે, તો હું પ્રભુમાં સમાઈ જાય. અર્થાત્ આત્મીય ચેતનાના પ્રભુત્વને પામવાનું નથી, કે મેળવવાનું નથી, પણ એમાં સમાઈ જવાનું છે. તેથી જ વાણીના મૌન સાથે મનનું મોન પ્રભુ કૃપા સ્વરૂપે થશે, એવી દૃઢ શ્રદ્ધા સાથે ભક્ત સ્વમય ચિંતનની અંતર ભક્તિમાં લીન રહે છે. જેમ કુશળ તરવૈયો આગળને આગળ તરતો રહે અને પાછળ વળીને જાણે કે કેટલું અંતર કાપ્યું; તેમ ભક્ત પોતાની આજુબાજુના પ્રતિકૂળ પરિબળોથી જાણકાર થાય, જે એની અંતરગમનની ગતિને અટકાવે છે. આવી જાણ રૂપે લૌકિક વસ્તુ-વ્યક્તિના સંગમાં, વ્યવહારિક કાર્યો કરતી વખતે ભક્ત ઓછામાં ઓછા શબ્દોના ઉપયોગથી પોતાનું કર્તવ્ય કરતો રહે છે. જેથી મનની મૌન સ્થિતિ વધતી જાય અને અંતરગમનની ગતિ ધારણ થતી જાય.  usuct ત્યારે ચોકલેટ જો ન મળે તો કેન્ડીને શોધે અને તે ન મળે તો પેપ્સીકોલા! મન સતત એક વિષયમાંથી બીજા ઘણાં વિષયોને ભોગવતું રહે છે અને વિચાર્યા વગર શબ્દોની વાચા બોલતું રહે છે. તર્ક-વિતર્ક કરે અને પોતે સાચો છે તે દલીલોથી પુરવાર કરવાની પ્રતિક્રિયામાં ઊર્જાની સાત્ત્વિકતા પ્રગટતી નથી. એટલે માનવી પોતે જ પોતાના અજ્ઞાની અહંકારી વર્તનમાં ગૂંચવાઈ જાય છે, મુંઝાઈ જાય છે. કરોળિયો જેમ પોતાની લાળથી ગૂંથેલા જાળામાં ગૂંથાઈ જાય, તેમ માનવી સંસારી રાગ-દ્વેષના વર્તનમાં ગૂંથાઈ જાય છે. કરોળિયાને તો પોતે ગૂંથેલાં જાળાને ગળી જતાં આવડે છે, મનને આવડતું નથી, એટલે કર્મ સંસ્કારોનું આવરણ વધતું જાય છે.  પોતે ગૂંથેલાં જાળાને-આવરણને ઓગાળવા માટે જ્ઞાન-ભક્તિના સત્સંગથી મનને કેળવવું પડે, તે માટે પ્રથમ વાણીનું મૌન જરૂરી છે. જરૂરત હોય એટલાં જ શબ્દોની વાચા બોલાય તો દલીલ કરવાનું ઓછું થાય અને એકબીજા સાથે કંકાસ, સંતાપ ઓછો થતાં ન કામનાં વિચારોનો કોલાહલ શાંત થતો જાય. ઓછામાં ઓછી વાચાના ઉપયોગથી માનવી પોતાના કાર્યો કરી શકે છે, તે મુશ્કેલ નથી. પ્રભુની ચેતનાના સાત્ત્વિક ગુણોને પ્રગટાવતું ભક્તિમય જીવન જો જીવવું હોય, તો મુશ્કેલ લાગતી પરિસ્થિતિમાંથી પસાર થવાનો સરળ ઉકેલ મળી જાય છે. ચિંતા કે ઉગ્રતાવાળા નકારાત્મક સ્વભાવને સાત્ત્વિક વિચારોના ચિંતનથી બદલવાનો નિશ્ચય થાય, પછી મુશ્કેલ લાગતી પરિસ્થિતિ જ સ્વયં પ્રભુ મિલન તરફ પ્રયાણ કરાવતી ઉપકારી સ્થિતિ બને છે. જેમ જેમ વાણીના મૌનથી સંસારી વિચારોનો કોલાહલ શાંત થાય, તેમ તેમ મનના મૌનની મહત્તા પરખાતી જાય.  વાણીના મૌનમાં હાથના ઈશારાથી વાતો કરવાની ન હોય. એમાં મગજ-વિચારો શાંત થતાં નથી, એ તો છે વાણીના મૌનનું બાહ્ય આડંબર. ભીતરમાં દૃઢ નિર્ધારનો તાર ઝણઝણવો જોઈએ, કે હું જેનો અંશ છું, તે પ્રભુની આત્મીય ચેતનાની ગુણિયલતા વિચાર-વર્તન રૂપે પ્રગટે, તો હું પ્રભુમાં સમાઈ જાય. અર્થાત્ આત્મીય ચેતનાના પ્રભુત્વને પામવાનું નથી, કે મેળવવાનું નથી, પણ એમાં સમાઈ જવાનું છે. તેથી જ વાણીના મૌન સાથે મનનું મોન પ્રભુ કૃપા સ્વરૂપે થશે, એવી દૃઢ શ્રદ્ધા સાથે ભક્ત સ્વમય ચિંતનની અંતર ભક્તિમાં લીન રહે છે. જેમ કુશળ તરવૈયો આગળને આગળ તરતો રહે અને પાછળ વળીને જાણે કે કેટલું અંતર કાપ્યું; તેમ ભક્ત પોતાની આજુબાજુના પ્રતિકૂળ પરિબળોથી જાણકાર થાય, જે એની અંતરગમનની ગતિને અટકાવે છે. આવી જાણ રૂપે લૌકિક વસ્તુ-વ્યક્તિના સંગમાં, વ્યવહારિક કાર્યો કરતી વખતે ભક્ત ઓછામાં ઓછા શબ્દોના ઉપયોગથી પોતાનું કર્તવ્ય કરતો રહે છે. જેથી મનની મૌન સ્થિતિ વધતી જાય અને અંતરગમનની ગતિ ધારણ થતી જાય.

 

સંકલનકર્તા  – મનસ્વિની કોટવાલા

Read More
book img
જ્યોતિ તારી અમે કદી દીઠી નહીં

 

ધરતી માતાના ખોળે સર્વે દેહધારી જીવ નચિંત થઈને જીવી શકે, તે માટે જ પ્રભુએ અકાશદેવ, વાયુદેવ, અગ્નિદેવ, વરુણદેવ (જળ), સૂર્યદેવ, તથા ચન્દ્રદેવની ઊર્જાનું ધન ધરતી પર સ્થાપિત કર્યું છે. જેથી મનુષ્ય સહિત પ્રાણી, પક્ષી, જળચર વનસ્પતિ વગેરે સૌને વિનામૂલ્યે, વિના પ્રયત્ને હવા, પાણી સાથે ઠંડી, ગરમી, તથા વર્ષાઋતુ રૂપે પ્રભુનું ઊર્જા ધન પ્રાપ્ત થઈ શકે. પ્રભુના ઊર્જા ધનની પ્રાપ્તિ એટલે મહાભૂત સ્વરૂપની પ્રકૃતિ સાથેના પરસ્પર સંબંધનું આપણું દેહધારી જીવન. માનવી જો મહાભૂતોની પ્રકૃતિના ઊર્જા ધનની, વિના મૂલ્યે પ્રાપ્ત થતી અમૂલ્યતાને જાણે તો ભક્તની જેમ મનનો સાત્ત્વિક પ્રભાવ જાગૃત થાય. વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક જ્ઞાનનાં સહારે કંઈક અંશે અમુક સુજ્ઞ(સમજુ વિવેકબુદ્ધિવાળું) માનસ પ્રકૃતિના ઊર્જા ધનની અમૂલ્યતાને જાણે છે અને તે ધનનો દુર્વ્યય ન થાય એવાં ભાવથી સેવન કરે છે. ખોટો બગાડ ન કરવો અને સૌને પર્યાપ્ત મળી રહે એવી યોગ્ય રીતે વાપરવાની, એટલે કે સેવન કરવાની કળા માનવીમાં છે. પરંતુ મોટેભાગે સ્વકેન્દ્રી સ્વાર્થી વર્તનમાં માનવીનું મન વીંટળાયેલું રહે છે અને હું તથા મારો પરિવાર એવાં સંકુચિત માનસથી જીવે છે. એટલે જ કદાચ આજના સમયમાં પાણી મેળવવા માટે રૂપિયા ખર્ચવા પડે છે.

માનવી જે વસ્તુને રૂપિયા ખર્ચીને મેળવે, તેનો ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરે છે, કારણ સંકુચિત માનસને કાગળની નોટોના રૂપિયા વપરાઈ જાય તેનું દુઃખ લાગે છે. પોતાની માલિકીના ઘર પર પોતાના નામની તકતી લગાડી શકાય છે. પરંતુ નોકરી-ધંધાના કાર્યની મહેનત કરીને મેળવેલા રૂપિયાની નોટો પર પોતાનું નામ લખી શકાતું નથી. અરે! તે રૂપિયાની નોટોના ગમે તેટલા બંડલો ભેગાં કરીએ અને યોગ્ય રીતે એને સાચવીએ, છતાં પણ પોતે કમાણી કરીને ભેગાં કરેલાં રૂપિયાના બંડલોને, શરીરના મૃત્યુ પછી સાથે લઈ જઈ શકાય એમ નથી. અર્થાત્ એવું છે કે માનવી માટે જે વસ્તુસ્થિતિ રૂપિયા ખર્ચીને મેળવાય તે અમુલ્ય છે અને જે વિના મૂલ્યે મળી જાય છે તેની કિંમત નથી. એવાં અજ્ઞાની અહંકારી મનને પોતાની બુદ્ધિથી મેળવેલાં રૂપિયાનો કે પદવીનો ઘમંડ હોય છે. સન્માન, કીર્તિ, મોટાઈ મેળવવાનો મોહ હોય છે. વાસ્તવમાં રૂપિયાના સહારે જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવી શકાય છે. એટલે એવું પણ નથી કે જે પૈસાદાર છે તે બધાં જ ઘમંડી હોય છે.

અમુક જન્મોના પુણ્યોદયથી રૂપિયાનું ધન પ્રાપ્ત થાય, પણ તે ધનનો ઉપયોગ જો અહંકારી રાગ દ્વેષાત્મક વર્તનથી તો જીવનમાં સંતોષ કે પ્રસન્નતા અનુભવી ન શકાય. કપટ વૃત્તિથી મેળવેલા રૂપિયા માનવીને સહજ થાય. સુખથી વંચિત રાખે છે. એવાં રૂપિયા મોટેભાગે ડોકટર કે હોસ્પિટલના બીલ ભરવામાં ખર્ચાઈ જાય છે. પરંતુ અહંકારી મોહાંધ મનને આ સત્ય સમજાતું નથી. એ સમજવાની જિજ્ઞાસુ ભક્ત જેવી વિવેકી બુદ્ધિ કે દૃષ્ટિ હોવી જોઈએ. જે વિના મૂલ્યે પ્રાપ્ત થતાં પ્રભુના ધનની અમૂલ્યતાને જાણે છે અને તે ધનનો ઉપભોગ ભક્તિ ભાવથી, અહોભાવથી કરે છે. અહંકારી માનસ રૂપિયાથી જે પણ મેળવે તેનો દેખાડો બહુ કરે અને ચતુરાઈપૂર્વક વાક્પટુતાથી બીજાને આંજી દેવાનો પ્રયત્ન કર્યા કરે. તેથી તેઓ એવું માને કે બીજા લોકોએ – સગાં કે મિત્રોએ તેને માન આપવું જોઈએ, એટલે કે મોટાઈ મેળવવા માટે તેઓ બીજાને નિમ્ન કક્ષાના ગણે છે. આવાં સંકુચિત માનસના ગર્વિષ્ઠ લોકો કીર્તિ કે સન્માન મેળવવા માટે પ્રભુ નામનો પણ ઉપયોગ પોતાની નામના માટે કરી લેતાં સંકોચાતા નથી.

આધ્યાત્મિક સત્સંગની પ્રવૃત્તિઓ જ્યાં થતી હોય, ત્યાં ખાસ કરીને એવાં લોકો રૂપિયાના દાન આપે. ઢોંગ એવો કરે કે પોતે પ્રભુ નામનો મહિમા જાણે છે. તેઓ પોતાના ઘરમાં પણ પૂજાપાઠની પ્રવૃત્તિઓ કરાવે. એવા આડંબર અને મિથ્યાભિમાની લોકોના લીધે જ આધ્યાત્મિક પ્રવૃત્તિ માટે આજના યુવાન લોકોને આસ્થા રહી નથી. પ્રભુના ઊર્જા ઘનથી આપણે જીવન જીવી શકીએ છીએ એવી પાયાની મૂળભૂત વાસ્તવિકતાની સમજ, દરેક માતા-પિતાએ પોતાના બાળકોને આપવી જોઈએ. જ્યાં મૂળભૂત સમજના સંસ્કારોનું સિંચન નથી, ત્યાં વેરભાવ, ધિક્કાર, અદેખાઈ, માલિકીભાવનો રોગ ફેલાતો રહે છે. માનવી એકબીજા સાથે પ્રેમના તાંતણે બંધાય છે. જો સંબંધ રૂપે પ્રેમાળ વર્તન ન હોય, તો માલિકીભાવનો રોગ મનનાં સાત્ત્વિક ગુણોના કૌશલ્યને કુંઠિત કરે છે. સંબંધિત  ન  વસ્તુ હોય કે વ્યક્તિ હોય, તે પોતાના તાબામાં રહે એવાં આગ્રહના ગ્રહની અસર જ્યારે વધી જાય, ત્યારે  વ્યક્તિગત સંબંધોમાં નિખાલસતા, કે સહજતાની પ્રસન્નતા અનુભવાતી નથી. માલિકીભાવની સત્તામાં “હું કહું તેમ જ કરવાનું, મને ગમે એવું જ કરવાનું, મારા વિચાર-વર્તનને સ્વીકારી પ્રશંસા કરવાની અને તે જ યોગ્ય છે,' એવા આગ્રહનું સાંકળ જેવું બંધન હોય છે. ભક્તની જેમ સ્વીકાર કરવો જોઈએ કે બીજી વ્યક્તિ એના કર્મસંસ્કારો અનુસાર વર્તન કરે છે. એટલે મહત્ત્વત્તા વ્યક્તિને નહિ પણ અવ્યક્ત પ્રભુની ઊર્જા છે તેને આપવી જોઈએ. તે ઊર્જાની ચેતનાથી કાર્ય કર્તવ્ય થઈ શકે છે. આ સત્યનું જ્યાં વિસ્મરણ હોય છે, ત્યાં દુન્યવી વસ્તુ-વ્યક્તિની આસકિતનું બંધન હોય છે. પોતાની વસ્તુ માટેના માલિકીભાવમાં ‘મેં ખરીદી છે, એના જેવી બીજી સારી વસ્તુ નથી' એવો બુદ્ધિનો અહંકાર હોય છે. એટલે તે વસ્તુને સાચવવાનાં આગ્રહમાં, બીજી વ્યક્તિ એનો ઉપયોગ ન કરે અને કરે તો જાળવીને કરે એવી જડ માનસિકતાના લીધે, મનમાં માત્ર તે વસ્તુઓનાં જ વિચારો ઘુંટાતા રહે છે. તેથી એવું મન સત્સંગની પ્રવૃત્તિમાં એકાગ્ર થઈ શકતું નથી. દુન્યવી વસ્તુ-વ્યક્તિના વિચારો એટલાં બધા ઘુંટાઈ ગયાં હોય છે, કે સાત્ત્વિકવિચારોનો ભાવાર્થ સહજતાથી ગ્રહણ થતો નથી અને તે સ્મરણ રૂપે મનમાં સ્થાપિત ન થવાથી, મંદિર કે ગુરુના પાવન સાંનિધ્યમાં મન સ્થિત થાય, છતાં પણ સંસારી વિચારોનો કોલાહલ શાંત થતો નથી. જેમ કારેલામાં ગમે તેટલો ગોળ નાંખીએ, તો પણ કડવાશ રહે છે, પણ ગોળની માત્રા જો વધી જાય તો કારેલાની કડવાશ થોડી ઓછી થાય; તેમ સંકુચિત માનસની અહંકારી કડવાશને ઓગાળવા માટે આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો મહિમા જાણવો જોઈએ. મહિમા સમજાય તો પોતાની ભૂલોનો એકરાર થાય કે..

 

મહિમા તારો અમે સમજ્યાં નહિ મોતને આરે આવી ઊભા રહ્યાં;

જ્યોતિ કદી તારી અમે દીઠી નહીં, અંધારામાં દિવાળીએ દીવા કર્યાં;

 વેદોનાં ગર્ભમાં અમે ઊતર્યાં નહીં, વેદોનાં યજ્ઞ અને પઠન કર્યાં

માળા ને મંત્રોનાં અર્થ સમજ્યા વિના, સમુદ્રના મોજા જેમ અથડાતાં રહ્યાં.

 

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

 

Read More
book img
સૂક્ષ્મ સમજના અંતરપટ ખોલો

 

મનનું મૂળભૂત સ્વરૂપ છે ભક્તિભાવની ચેતનાનું. કારણ મન છે આત્મીય ચેતનાનો અભિન્ન અંશ. આત્મીય ચેતનાની ભગવત્ ભાવની શક્તિ છે. જે ઊર્જાની ચેતના સ્વરૂપે સર્વત્ર પ્રસરતી રહે છે. તે ઊર્જા શક્તિથી જ મન વિચારી શકે છે, લાગણી અનુભવી શકે છે, સમજણ ગ્રહણ કરી શકે છે, ક્રિયા પ્રતિક્રિયા દર્શાવી શકે છે. અર્થાત્ મનનું મૂળભૂત સ્વરૂપ ભક્તિભાવની ચેતનાનું હોવાંથી, માનવીએ ભક્તિભાવની નિર્મળતાથી જીવન જીવવું જોઈએ. ભક્તિભાવથી જીવન જીવીએ, તો મનમાં સુષુપ્ત રહેલી આત્મીય ચેતનાની ગુણિયલતા વિચાર-વર્તન રૂપે પ્રગટ થાય. ભક્તિભાવની ચેતનાનું પ્રાગટય એટલે જ શરણભાવ, સેવાભાવ, આદરભાવ, પૂજનીયભાવ, જિજ્ઞાસુભાવ વગેરે ગુણિયલ ભાવની સાત્ત્વિકતા જાગૃત થવી. આવી ભાવની સાત્ત્વિકતા ધારણ કરનાર ભક્તનો ધ્યેય એક જ હોય, કે પ્રભુની આત્મીય ચેતનાનો જે ધ્યેય છે, તે શ્રેષિત ધ્યેય અનુસાર ભક્તિભાવથી જીવન જિવાય, જેથી અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓને વાણી વિચારોના વર્તનથી તૃમિનો રાહ મળે.

અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓને જો સાત્ત્વિકભાવની કે પ્રેમભાવની પ્રસન્નતામાં સ્નાન કરવા મળે, તો તૃપ્તિ રૂપે મન વ્યાપક થતું જાય અને મનની વ્યાપકતા એટલે જ ભાવની જાગૃતિ. પરંતુ અજ્ઞાની મન આ સત્યથી અજાણ રહે છે. એટલે ઈચ્છા વૃત્તિઓને પ્રેમભાવની પ્રસન્નતાનો સ્પર્શ થતો નથી, ઈચ્છાવૃત્તિઓ પૂર્ણ રૂપે તૃપ્ત થતી નથી અને મનનો એવો અતૃપ્ત સ્વભાવ મનગમતાં વિષયોના ભોગમાં સંતોષ અનુભવી શકતું નથી. અસંતોષી મનની એવી અતૃપ્તિ બીજી નવી ઈચ્છા વૃત્તિઓનાં જાળા ગૂંધાવે છે. તેથી સામાન્ય રૂપે માનવી મન અતૃપ્તિના રોગની પીડા અનુભવે છે. તેને તૃપ્તિનો સંતોષ ત્યારે જ મળે, જ્યારે ભક્તિભાવની નિર્મળતાથી જીવન જિવાય. તે માટે ગુરુ કે માર્ગદર્શકના સાંનિધ્યમાં જ્ઞાન-ભક્તિના સદ્ભાવથી મન જેમ જેમ રંગાતું જાય, તેમ તેમ અતૃપ્તિના રોગનું કારણ સમજાય અને રોગથી મુક્ત કરાવતો સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ કરવાનો પુરુષાર્થ થાય. એવાં પુરુપાર્થ રૂપે સૂક્ષ્મ સમજના દ્વાર ખૂલતાં જાય, કે પ્રભુની આત્મીય ચેતના જે સર્વત્ર હાજરાહજૂર છે અને તેના આધારે જીવંત જીવન સૌ જીવે છે.

 

આત્મીય દિવ્ય ચેતના જે સર્વત્ર છે, જેનાં નિરાકારિત ઊર્જા વહેણમાં દરેક આકારની હસ્તી જીવે છે, તેની પ્રતીતિ કરવાની તત્પરતા પછી જાગે. એવી તત્પરતા કે આતુરતા જાગૃત થાય, તે છે અંતરગમનની ઈચ્છા જાગૃત થવી. જ્ઞાન-ભક્તિના સત્પ્રસંગથી અલૌકિક ઈચ્છાઓની હારમાળા ગૂંથાય, ત્યારે અંતરગમનની આતુરતા વધતી જાય. છતાં અંતરગમન રૂપે સ્વમય ચિંતનમાં મન સહજતાથી સ્થિત થઈ શકતું નથી. કારણ લૌકિક ઈચ્છાઓની ગૂંથણી જે થયેલી છે તે મુજબ વાણી વિચારોના કર્મ કરવા પડે. એટલે પ્રારબ્ધગત કર્મ ફળની ક્રિયામાં મનને વીંટળાવું જ પડે. તેથી અંતરગમનની સ્થિરતા માટે શ્રવણ, કીર્તન, અધ્યયન વગેરે સત્સંગની પ્રવૃત્તિ જો નિષ્ઠાપૂર્વક થાય, તો કર્તાભાવમાં મન વીંટળાય નહિ એવા અકર્તાભાવની, અલિમભાવની જાગૃતિ પ્રભુ કૃપા સ્વરૂપે ધારણ થઈ શકે. પ્રારબ્ધગત જીવનની પ્રતિકૂળ કે અનુકૂળ ઘટનાઓની અસર જેમ મનને થાય છે, તેમ સત્સંગની આધ્યાત્મિક પ્રવૃત્તિઓની અસર જિજ્ઞાસુ ભક્તના મનને ચોક્કસ થાય છે. તેથી જિજ્ઞાસુ ભક્ત શ્રવણ-અધ્યયનનું સ્નાન વારંવાર કરે અને સાત્ત્વિક આચરણમાં સ્થિત થવાં માટે ભક્તિભાવથી સ્વ જ્ઞાનનો બોધ ગ્રહણ કરે.

કે ભક્તને પછી મનનાં વાહનની મહત્તા સમજાતી જાય, કે ઈચ્છાવૃત્તિઓ જો અહંકારી વર્તનના કર્તાભાવ થી ભોગવાય, તો જે ઊર્જાની ચેતનાના આધારે કર્મ ફળને ભોગવવાની ક્રિયા થાય છે, તે ઊર્જાનું સાત્ત્વિક ગુણોનું પ્રભુત્વ વિચાર-વર્તન રૂપે પ્રગટે નહિ. અહંકારી વર્તનની અજ્ઞાનતાને ઓગાળવા સમર્પણભાવની, શરણભાવની સાત્ત્વિકતા જાગૃત થવી જોઈએ અને તે માટે આધ્યાત્મિક સત્સંગની પ્રવૃત્તિમાં મનને તપ્રોત કરવું આવશ્યક છે. પ્રભુની ચેતનાના ઊર્જા વહેણની ગતિ સાથે એકરૂપ થવા માટે મનુષ્ય જન્મ ધારણ કર્યો છે. ઊર્જા વહેણની દિવ્ય ગુણોની સાત્ત્વિકતામાં મનની સાત્ત્વિકભાવની જાગૃતિ એકરૂપ થાય, પછી વિશાળ મન પ્રભુના દિવ્ય ગુણોના પ્રભુત્વને પ્રગટાવતું માધ્યમ બને. પ્રભુના માધ્યમ બનવા માટે પ્રભુની આત્મીય ચેતનાના અંશ રૂપે મનનું વાહન માનવીને મળ્યું છે. માનવી જો અતૃપ્ત ઈચ્છાઓને તૃપ્ત કરાવનું જીવન ભક્તિભાવથી જીવે, તો મનના વાહનનો હિતકારી ધ્યેય સિદ્ધ થઈ શકે.  દરેક વ્યક્તિના જીવનમાં પોતાને ગમતી ઇચ્છિત સ્થિતિને પ્રાપ્ત કરવાનો ધ્યેય હોય છે. એટલે દરેક વ્યક્તિ પોતે નક્કી કરેલાં ધ્યેયને પૂરો કરવાની મહેનત કરે છે અને ધ્યેયની દિશામાં મન દોડતું રહે છે, એટલે કે ક્ષેયિત કાર્યો કરવામાં જો વચ્ચે કોઈ અવરોધ આવે, તો એને દૂર કરવાનો પુરુષાર્થ કરવામાં, મન અટકે નહિ. સામાન્ય રૂપે માનવીનો રૂપિયાની કમાણી કરવાનો અને પોતાની તથા પરિવારના સભ્યોની ઈચ્છાઓ પૂરી કરવાનો ધ્યેય હોય છે. તેથી જ રૂપિયા મેળવવા નોકરી કરવી પડે. ત્રીસ દિવસની મહેનત કર્યા પછી જ્યારે પગાર મળે, ત્યારે મનમાં પોતાના ધ્યેયના વિચારો હોય અને રૂપિયા મળ્યાંનો ઉમંગ હોય. પરંતુ તે ક્ષણે મન જો પગાર આપનાર શેઠની ખુરશી પર બેસે, તો મનમાં નોકરી કરનારા માણસોનો અને પગાર આપવાના વિચારો હોય, અર્થાત્ ધ્યેય બદલાઈ જાય. ભક્તનું મન અને સામાન્ય માનવીનું મન, એ બન્નેમાં આટલો જ તફાવત છે. સામાન્ય માનવીમાં પોતાની ઈચ્છાઓને તૃપ્ત કરવાનો ધ્યેય હોય, જે સહજ છે, તે ખોટું નથી કારણ ઈચ્છાવૃત્તિના કર્મસંસ્કારો છે. ભક્તના મનમાં પણ કર્મસંસ્કારોની ઈચ્છાઓનો ધ્યેય હોય, પરંતુ ભક્ત ધ્યેયિત જીવન જિવાડનારના સ્મરણ સાથે જીવે છે. એવી સ્મરણ ભક્તિમાં અંતરગમનની આતુરતા પ્રજ્વલિત થતી રહે અને પ્રભુ જે દિવ્ય પ્રીતની ચેતનાથી જિવાડે છે, તે પ્રીતની સાત્ત્વિકતા પ્રગટે. એવા ભાવમાં સ્થિત થવા માટે ભક્ત વિનંતિ કરતો રહે કે...

હે નાથ! વિનંતિ કરતો રહું છું કે, સૂક્ષ્મ સમજના અંતરપટ ખોલો;

અમૂલ્ય ચક્ષુદાન આપનું ધારણ થાય, તો પ્રકાશિત દર્શનમાં મારો હું ઓગળી શકે;

આપના પ્રકાશિત દર્શન થાય, ત્યારે સમર્પણની ગતિ સાથે અહોભાવ જન્માવજો;

 દર્શનમાં સાત્ત્વિકભાવની પૂર્તિ થાય, ત્યારે વાણી-વિચારોનું મૌન કરાવજો.

 

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

Read More
book img
મનની અજ્ઞાનતા, વિચારોની ભિન્નતા

દરેક માનવીના મનમાં અતૃપ્ત ઈચ્છાઓની કથા આલેખાયેલી હોય છે અને નવી નવી ઈચ્છાઓની કથા પણ આલેખાતી રહે છે. મનની કથાઓમાં વ્યથાનો સૂર વણાયેલો હોય છે. કારણ ઈચ્છાવૃત્તિઓને તૃપ્તિનો–સંતોષનો રાહ મળતો નથી. સ્વયંથી અજાણ રહેતું અજ્ઞાની અહંકારી મન, અતૃપ્ત ઈચ્છાઓને માલિકીભાવથી, કર્તાભાવથી, રાગ દ્વેષના ભેદભાવથી ભોગવે છે. એટલે અતૃપ્ત ઈચ્છાઓ તૃપ્તિના કે સંતોષના અનુભવ રૂપે વિલીન નથી થતી. અવનવા પદાર્થો અને વિષયોના આકર્ષણને લીધે, તેને ભોગવવાની બીજી નવી નવી ઈચ્છાઓની કથાઓ મનમાં લખાતી રહે છે. આ ઈચ્છાવૃત્તિની(કર્મસંસ્કારોની) કથા અનુસાર વિચાર-વર્તનની સાંકળમાં બંધાયેલું જીવન માનવીને જીવવું પડે છે. સામાન્ય રૂપે આવી કથાઓની વ્યથાથી ઘેરાયેલું મન, બંધનકારક જીવનના દુઃખને ભૂલવા માટે દુન્યવી વિષયોના ભોગમાં ફરતું રહે છે. વિષય ભોગનાં સુખમાં ક્ષણિક શાંતિનો અનુભવ થાય છે. કારણ ઈચ્છિત ભોગની પ્રાપ્તિના આનંદમાં, ભોગવવાની ક્ષણે બીજી વૃત્તિ-વિચારોનો અવરોધ ન હોવાથી, સચ્ચિદાનંદ સ્વરૂપની છાયા મન પર પડે છે અને ક્ષણિક આનંદનો કે શાંતિનો અનુભવ થાય છે. એટલે અજ્ઞાની મન એવું માને છે કે દુન્યવી વિષયોના પદાર્થોમાં સુખ છે, દુ:ખને ભુલાવતી શાંતિ છે, આનંદ છે.

 

મનની આવી અજ્ઞાનતાના લીધે દરેક માનવીના વિચારોની ભિન્નતા છે, દરેક માનવ આકારના રૂપની અલગ હસ્તી છે. અર્થાત્ દરેક મનની અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓના કર્મસંસ્કારો જુદાં જુદાં છે. એટલે જ દરેક માનવીના મનની વિચારવાની, સમજવાની, કે સમજીને ગ્રહણ કરવાની, કે કાર્ય કરવાની રીત ભિન્ન હોય છે. આ હકીકતને સ્વીકારીને જિજ્ઞાસુ ભક્ત જીવન જીવે છે. જિજ્ઞાસુ ભક્ત એટલે જ સ્થૂળ-સૂક્ષ્મના અથવા આકાર-નિરાકારના પરસ્પર સંબ વાસ્તવિકતાને સમજી શકતું મનનું વિશાળ આસન. વિશાળ મનમાં રાગ-દ્વેષના ભેદભાવની કથાઓનું આલેખન ઓછું થાય, એટલે જ્ઞાન-ભક્તિના સત્સંગથી સાત્ત્વિકભાવને ખીલવતાં વૃત્તિ-વિચારોનું આલેખન થતું જાય. સામાન્ય રૂપે સ્વાર્થ અને મારું-તાનુંના નવીના વ્યવહારમાં સાત્ત્વિકભાવની ગુણિયલતા પ્રદર્શિત થતી નથી.

 

એટલે જ્ઞાન-ભક્તિના જિજ્ઞાસુ ભક્ત કરતો રહે. મનનું અંતર Copy અજ્ઞાની મનને મુશ્કેલ લાગે છે. મ સ્વરૂપની પ્રતીતિ કરતો રહે અને સૂક્ષ્મ સમજ રૂપે અંતરગમન વસ્તુ-વ્યક્તિઓની આસક્તિથી મુક્ત થયું. આસક્તિ ત્યારે ઓછી થાય, જ્યારે જ્ઞાન-ભક્તિના સત્સંગ રૂપે આત્મસાત થાય, કે પ્રભુની આત્મીય ચેતનાના લીધે જગતની હસ્તી છે. પછી સર્વે પદાર્થો કે વસ્તુ-વ્યક્તિની ભીતરમાં રહેલી આત્મીય ચેતનાની પ્રતીતિ કરાવતું અંતરગમન થાય, ત્યારે અજાણ મનની અજ્ઞાનતા વિલી જાય અને ચિંતનમાં તે રત થતું જાય. જિજ્ઞાસુ ભક્ત અંતરના સૂક્ષ્મ સ્વરૂપની વાસ્તવિકતાનો સ્વીકાર કરી સંસારી જીવન જીવે. એટલે ભેદભાવ, ઈર્ષ્યા કે સરખામણી કરાવતાં સીમિત વિચારોમાં તે ફરે નહિ. સીમિત વિચારોની અથડામણ ઓછી હોય તો રોજિંદા વ્યવહારિક કાર્યો કરવાનો કંટાળો ન આવે, પણ એટલું સમજાય કે ઈચ્છાઓનું આવરણ ઓગળે છે અથવા એકબીજા સાથેના હિસાબ પૂરાં થાય છે. એવી સમજની પરિપક્વતામાં ભક્ત સંતોષની પ્રસન્નતાને અનુભવે છે.

 

સુખ અને સંતોષને બાહ્ય પદાર્થોમાં શોધતું સંકુચિત મન, ઘણીવાર સંસારી જીવનને સમસ્યાઓનો સમૂહ માને છે. કારણ એવા મનને ઘરમાં કે ઓફિસમાં એકબીજા સાથે સહકારભાવથી સમાધાનપૂર્વક કાર્ય કરવાનું ફાવતું નથી. એટલે અહંકારી સ્વભાવથી અથડામણ થતી રહે છે. અહંકારી, સ્વાર્થી મનને સંબંધોની કિંમત ઓછી હોય, એટલે જલ્દીથી સમાધાન ન કરે, પણ પોતે જે કરે છે તે જ સાચું છે એ પુરવાર કરવા તર્કબધ્ધ દલીલ વધુ કરે અને બીજાનું વર્તન દોષયુક્ત છે એવું પુરવાર કરવામાં સમય પસાર કરે. માનવી જો સમાધાન રૂપી ધનની મહત્તાને જાણે, તો મનમાં સુષુપ્ત રહેલાં સાત્ત્વિકભાવની જાગૃતિ થતી જાય. સમાધાન એટલે જ સમતોલભાવનું ધન. ભક્ત સમતોલભાવ રૂપી ધનના સહારે જીવન જીવે. કારણ સત્ દર્શન રૂપે ભક્તના મનમાં અંક્તિ થયું હોય છે, કે સમતોલ સ્વરૂપની આત્મીય ચેતના છે, જેનાં ઊર્જા વહેણ સર્વેમાં નિરપેક્ષભાવથી સતત વહેતાં રહે છે અને ચેતનાના વહેણને મારું-તારું કે શ્રેષ્ઠ કનિષ્ઠ એવાં ભેદભાવથી પ્રભુ કદી અર્પણ નથી કરતાં.  સમતોલભાવની ચેતનાના અંશ રૂપે માનવીને મનનું વાહન પ્રાપ્ત થયું છે. તેથી જ ભક્ત સમાધાનના ઘનથી જીવન જીવે અને બીજા માનવીના સ્વભાવની ખોટને સ્વીકારી સહકારીભાવથી કાર્યો કરે. એકબીજા સાથે સંકળાયેલી ઘટનાઓનું જીવન આપણે જીવીએ છીએ. તેથી ઘણીવાર પોતાની સચ્ચાઈનો પુરાવો ન આપી શકાય, ત્યારે સમાઘાન કરવું ઉચિત ગણાય. જ્યાં સમાધાન રૂપી ધનનો વપરાશ ઓછો, ત્યાં હઠીલા સ્વભાવનો આક્રોશ હોય, જેનાથી સંબંધોમાં ઘર્ષણ વધતું જાય. મન પછી એવી માન્યતામાં બંધાયેલું રહે કે સંસારી સંબંધોને સાચવવામાં ઘસાઈ જવું પડે છે. સંઘર્ષની અથડામણમાંથી મુક્ત થવાનો જો વિચાર જાગે, તો મનની જાગૃતિ કરાવતી અંતર દિશા તરફ પ્રયાણ કરવાનું મન થાય. પછી મનની સાત્ત્વિકતા પ્રગટાવતું અધ્યયન જ્ઞાન-ભક્તિથી થાય, ત્યારે સમજાય કે ભક્તિ એ કોઈ સાધ્ય કરવાની સાધના નથી. ભક્તિ તો પ્રભુભાવની, દિવ્ય પ્રીતની અવિનાશી શક્તિ છે, જે આત્મ સ્વરૂપે સૌને પ્રાપ્ત થયેલી છે. મનુષ્ય જીવનમાં જ આ ભક્તિની શક્તિ જાગૃત થઈ શકે છે અને પ્રભુ સાથેની ઐક્યતાને માણી શકાય છે.  સાત્ત્વિકભાવની જાગૃતિ વગર ભક્તનું મન ઝૂરે, એટલે પ્રભુની હાજરીને દરેક કૃતિની ક્રિયામાં અનુભવે; પ્રભુ સ્મરણ રૂપે ભક્તના વિચાર-વાચા પ્રગટે, એટલે સંસારી વિચારોના સ્મરણની અથડામણ ન અનુભવે; ભક્તનું મન માત્ર જ્ઞાનની વાતો ન કરે, પણ આત્મીય ચેતનાની પ્રતીતિ કરાવતાં અંતરધ્યાનમાં લીન રહે; ભક્તિભાવની સુમેળતાથી સમાધાનનું ધન વાપરે અને બીજા માનવીઓને ભક્તિભાવની પ્રસન્નતામાં તરાવે.

સંકલનકર્તા – મનસ્વિની કોર્ટસાહા

Read More
book img
આપ છો તો હું છું...

 

 

હે નાથ! આપ છો તો હું છું અને દિવ્ય પ્રીતની ચેતના સ્વરૂપે સતત મારી સાથે છો; તે ચેતનાની પ્રકાશિત ગતિની પ્રતીતિ ધરવા, શ્વાસનું પોષણ ક્ષણે ક્ષણે ધરો છો; કૃપા કરી તે પ્રતીતિ કરાવતી સ્વમય ચિંતનની અંતર ભક્તિમાં મુજને સ્થિત રાખો; જેથી અંતર ભક્તિના પ્રકાશિત ભાવથી, આપની દિવ્ય પ્રીતની આત્મીયતાને માણી શકું.

 

આ પદ્ય પદ દ્વારા ભક્ત વિનંતિ રૂપે એકરાર કરે છે, કે પ્રભુનો સતત સંગાથ હોવાં છતાં મન તેની પ્રતીતિ કરી શકતું નથી. કારણ દુન્યવી સ્થૂળ વસ્તુઓ કે વ્યક્તિગત સંબંધોના વિચારોથી જ્યાં સુધી મન ઘેરાયેલું રહે છે, ત્યાં સુધી આત્મીય ચેતનાની સૂક્ષ્મતાને જાણવાની, કે તેની પ્રતીતિ કરવાની જિજ્ઞાસા જાગૃત થતી નથી. ભક્તનો જિજ્ઞાસુભાવ એટલે જ તન-મનની જીવંત સ્થિતિમાં સમાયેલી આત્મીય ચેતનાની સાત્ત્વિકતાને જાગૃત કરાવતો જ્ઞાતાભાવ. જિજ્ઞાસુ ભક્ત જ્ઞાતાભાવની જાગૃતિથી જીવંત જીવનનો હેતુ જાણે કે, અતૃપ્ત ઈચ્છાઓને તૃપ્ત કરવા મનુષ્ય દેહ ધારણ કર્યો છે. તેથી તૃપ્તિ રૂપે કર્મસંસ્કારોનું આવરણ વિલીન થાય એવાં ભક્તિભાવથી જીવવાનું છે. જ્ઞાતાભાવની જાગૃતિ રૂપે જ્ઞાન ભક્તિના સદાચરણ તરફ મનનું પ્રયાણ થતું જાય. એવા પ્રયાણથી જીવંત જીવનની વાસ્તવિકતા સમજાતી જાય અને રાગ-દ્વેષના વર્તનથી મુક્ત થવાનો સંબંધ દૃઢ થતો જાય.

 

જીવંત જીવનની વાસ્તવિકતા જેમ જેમ સમજાય, તેમ તેમ શ્વાસના પોષણની અમૂલ્યતાનો સ્વીકાર થાય. શરીરનું જીવંત હોવું એટલે ક્ષણે ક્ષણે શ્વાસની પાન-અપાનની ક્રિયા થવી. મનનું જીવંત હોવું એટલે રાગ-દ્વેષાત્મક વિચારોનો અવરોધ અનુભવાય અને અવરોધક વિચારોને વિલીન કરવા જ્ઞાન-ભક્તિના સત્સંગની પ્રવૃત્તિનું આકર્ષણ જાગે. દરેક માનવી જીવંત સ્થિતિને પોતાના દેહના આધારે અનુભવે છે, પણ મનની જાગૃતિને માનવી મોટેભાગે સુષુપ્ત રાખે છે. કારણ શ્વાસનું પોષણ મેળવવાનો પુરુષાર્થ કરવો પડતો નથી. બધાને પ્રયત્ન વગર સહજતાથી મળી જાય છે. એટલે જ શ્વાસની હાજરીનો પણ અહેસાસ થતો નથી. અર્થાત્ જિવાડનારને જાણ્યાં વગરના જીવનમાં, આકારિત વસ્તુઓની કે વ્યક્તિઓની ખોટ કે ઉણપના વિચારોમાં માનવી ખોવાયેલો રહે છે. તેથી સાત્ત્વિકભાવની જાગૃતિનો અભાવ રહે છે. સાત્ત્વિકભાવની જાગૃતિ વગરના લૌકિક જીવનમાં તૃપ્તિ કે સંતોષ ન મળે. એટલે ઈન્દ્રિયગમ્ય વિષયોની પાછળ અતૃપ્ત મન ફરતું રહે છે. વિષય ભોગમાં સંતોષ કે તૃપ્તિ મળશે એવી ખોટી માન્યતાના લીધે સાત્ત્વિક ગુણોની જાગૃતિ તરફ મન ઢળતું નથી.

 

વર્તમાન સમયમાં પાઠ્ય પુસ્તકોના ભણતરની જાણકારી જેટલાં પ્રમાણમાં બાળપણથી અપાય છે, તેટલાં પ્રમાણમાં સદાચરણ વિશે બાળક જાણકાર થતું નથી. આજનું ભણતર એટલે વધારેમાં વધારે રૂપિયાની આજીવિકા મેળવી શકાય. જેથી ભવિષ્યમાં વૈભવી જીવનના એશોઆરામને ભોગવી શકાય અને તે માટે માતા-પિતા પોતાના બાળકને માટે શાળા-કોલેજની ફી ભરવાના રૂપિયા રળવામાં વ્યસ્ત રહે છે. આજનો વિદ્યાર્થી પરીક્ષામાં સારા ગુણાંક મેળવવા માટે ટ્યુશન ક્લાસમાં ભણવાની મહેનત કરે છે. એવી મહેનતમાં ડુબેલાં મનને સદાચરણનું પોષણ ન મળવાથી તે કરમાતું જાય છે. બાળકના મન રૂપી ફુલને સાત્ત્વિક ગુણોનું ખાતર માતા-પિતા તરફથી જો નાનપણથી મળે, તો શિક્ષણ રૂપે સાત્ત્વિક સંસ્કારી વર્તન ખીલતું જાય. અર્થાત્ આધ્યાત્મિક જ્ઞાનનાં અનુસંધાનથી જો વિદ્યાર્થીનું માનસ ઘડાતું જાય, તો નિરાશા, અવિશ્વાસ, ભય, ચિંતા જેવી નકારાત્મક ગ્રંથિઓ બંધાય નહિ. નકારાત્મક વૃત્તિ-વિચારો જેમ ઓછા થાય,તેમ સાત્ત્વિક વિચારોના ચિંતનની સહજતા વધતી જાય અને બુદ્ધિગમ્ય વિકાસ ધારણ થાય. વાસ્તવમાં મનનો સ્વભાવ છે કે સતત નવું નવું જાણવું. તેથી શિક્ષિત થવાની પ્રક્રિયા કદી અટકતી નથી. માનવી જીવે ત્યાં સુધી વિદ્યાર્થીની જેમ જાણવાનો, સમજવાનો પુરુષાર્થ કરતો રહે, તો સ્વયંના અનુભવની સાથે અતૃપ્ત ઈચ્છાઓને તૃપ્ત કરાવતું જીવન પણ જીવી શકાય. એવાં જીવનમાં આધ્યાત્મિક જ્ઞાનની સુવાસના લીધે પ્રભુની આત્મીય ચેતનાની સર્વવ્યાપક્તાને જાણવાની જિજ્ઞાસા વધતી જાય છે. સાથે મન પ્રતિકૂળ સંજોગોથી ભયભીત થઈ હતાશામાં ડૂબેલું ન રહે. કારણ તે પોતાને નિરાધાર ન માને, પણ જેનો આધાર સૌને સદા પ્રાપ્ત છે, તે પ્રભુની ચેતનાની પ્રતીતિ કરાવતાં સ્વમય ચિંતનથી જીવવાના ૧ પુરુષાર્થ કરે છે. એવાં પુરુષાર્થમાં સાત્ત્વિકભાવની જાગૃતિને ધારણ કરાવતો પરમાર્થી, નિર્મળ સ્વભાવ ખીલતો જાય અને જીવંત જીવનનું યથાર્થ મૂલ્યાંકન મનને પરખાતું જાય.  મૂલ્યાંકન સ્વરૂપે પ્રભુની સાક્ષાત્ હાજરી રૂપી શ્વાસનો અહોભાવથી સ્વીકાર થાય અને શ્વાસ રૂપી પ્રભુના ચરણોમાં પ્રણામ સ્વરૂપે અહંકારી વૃત્તિ-વિચારોનું માનસ નમતું જાય. હું કર્તા છું એવો અહમ્ ભાવ નમે, તો અકર્તાભાવની જાગૃતિનું પોષણ ધારણ થાય. પ્રભુ તો જાગૃતિનું પોષણ શ્વાસ દ્વારા અર્પણ કરતા રહે છે. જો મનનો અહમ્ભાવ નમે, તો પોષણ રૂપે પ્રભુનું સાત્ત્વિકગુણોનું ધન ધારણ થઈ શકે. પછી રાગ-દ્વેષના ભેદભાવવાળું જીવન ભૂતકાળ બની જાય અને સાત્ત્વિકગુણોનું વિશાળ માનસ પ્રભુના આત્મીય સંગાથને, પ્રભુની સાક્ષાત્ હાજરીને અનુભવતું જાય. જિજ્ઞાસુ ભક્ત પ્રભુની પ્રતીતિ કરાવતી સ્વમય ચિંતનની નિષ્ઠાથી પ્રકૃતિ જગત સાથેનું અરસપરસનું જીવન જીવે છે. સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવનો અગ્નિ જો પ્રજ્વલિત રહે, તો પ્રકાશિત સ્વ દર્શનમાં સંકુચિત માનસ ઓગળતું જાય અને મનનો હૃદયભાવ જાગૃત થતો જાય. હૃદયભાવની જાગૃતિથી જ સ્વાનુભૂતિની અંતરયાત્રા થાય, પ્રભુએ અર્પણ કરેલી જીવંત જીવનની ભેટનો હેતુ સાર્થક થાય.

 

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવા

Read More
book img
નિ:સ્વાર્થ પ્રેમ છલકાવતો પ્રભુનો કળશ.  

 

 

માનવીને ગમે મોજશોખના પદાર્થોનો ભોગ, છતાં મનથી તે ઝંખે છે શાંતિ અને તૃપ્તિનો યોગ; મનની શાંતિને શોધે તે ઈન્દ્રિયગમ્ય પદાર્થોના ભોગમાં, પણ ન મળે શાંતિ કોઈ દુન્યવી સ્થિતિમાં; શાંતિ છૂપાયેલી નથી પૃથ્વીના કોઈ સ્થાનમાં, કે વ્યક્તિગત સંબંધોથી થતાં પ્રેમના અનુભવમાં; સમજાય જ્યારે પરમ શાંત સ્થિતિ છે આત્માનો સ્વભાવ, ત્યારે બદલાય અહંકારી માનસનો સ્વભાવ.

 

પ્રભુની દિવ્ય ચેતનાની ઊર્જા શક્તિ સર્વેને જીવંત જીવન જીવવાનું બળ અર્પે છે. ઊર્જા શક્તિ સ્વરૂપે આપણને સૌને આત્મીય દિવ્ય ચેતનાનું ગુણિયલ ધન પ્રાપ્ત થાય છે. પરંતુ તે ધનનો ભોગ મનથી થતો નથી. કારણ મન સ્વયંના આત્મ સ્વરૂપની ગુણિયલતાથી અપરિચિત રહે છે. અપરિચિત મનની અજ્ઞાનતા એટલે જ દુન્યવી પદાર્થોના ભોગમાં આસક્ત રહેતું સંકુચિત માનસ. જે રાગ-દ્વેષાત્મક વૃત્તિ-વિચારોથી ભોગમાં ફરતું રહે અને ઈચ્છાઓની ગાંઠો બાંધતુ રહે. પ્રભુની શક્તિના આધારે જીવંત જીવન જિવાય છે, એવા સ્વીકાર સ્વરૂપે જે મન પ્રભુની દિવ્ય ચેતનાની અનુભૂતિ કરે, એટલે કે આત્મીય સંબંધની સાત્ત્વિકતાને માણે, તે છે મનનું ભક્ત સ્વરૂપ. ભક્ત જીવે સ્વયંના આત્મ સ્વરૂપની પ્રતીતિનું જીવન. એટલે કે અમુક તીર્થ સ્થાનમાં, આશ્રમમાં, કે અનુકૂળ પરિસ્થિતિમાં, કે ઈન્દ્રિયોથી ભોગવાતા પદાર્થોના ભોગમાં તે શાંતિને શોધતો નથી. શ્રવણ, કીર્તન, અધ્યનન વગેરે સત્સંગની પ્રવૃત્તિઓના સહારે જિજ્ઞાસુ ભક્તને અશાંતિનું કારણ સમજાતું જાય. એટલે પૃથ્વીના કોઇ સ્થાનમાં શાંતિ મેળવવાની તે પ્રયત્ન કરતો નથી,

 

માનવી અશાંતિને અનુભવે છે કારણ અશાંતિ છે મનની અતૃપ્ત ઈચ્છાઓની અને ભોગ્ય પદાર્થોને મેળવવાની. ભોગ્ય પદાર્થો સીમિત, નાશવંત હોવાંથી ભોગની ક્રિયા રૂપે અનુભવાતી સુખની શાંતિ ક્ષણિક રહે છે. એવી ક્ષણિક શાંતિને ભોગવવાની આસક્તિ જન્માવે છે અશાંતિને. અર્થાત્ અજ્ઞાની મનની અણસમજમાં અશાંતિનો વસવાટ છે. અજ્ઞાની મન પોતાની અતૃપ્ત ઈચ્છાઓની તૃપ્તિ માટે વિચાર વર્તનની પ્રક્રિયામાં બંધાયેલું રહે છે અને બીજી નવી નવી ઈચ્છાઓ રૂપી ગાંઠો અજાણે બંધાતી રહે છે. એવું અતૃપ્ત મન ઝંખે છે તૃપ્તિની શાંતિને. એટલે અતૃપ્તિની અકળામણમાં મન અશાંતિને, અસંતોષને અનુભવે છે. તેથી તે દુન્યવી સ્થાનમાં, કે ભોગ્ય પદાર્થોના ભોગમાં શાંતિને શોધે છે. શાંતિને શોધવાના કે મેળવવાના પ્રયત્નમાં શાંતિ મળતી નથી, પણ અશાંતિ શેનાં લીધે છે તે શોધવાનો પ્રયત્ન મન કરે તો અજ્ઞાની માનસને વિલીન કરાવતી જાગૃતિ ધારણ થાય અને જ્ઞાન-ભક્તિના સદાચરણથી જીવવાનો એકરાર દૃઢ થતો જાય.

 

જિજ્ઞાસુ ભક્તમાં સમજણની એટલી તો પરિપક્વતા હોય છે, કે અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓની તૃપ્તિ માટે જ મનુષ્ય જન્મ ધારણ કર્યો છે. મનુષ્ય જન્મની મહત્તા એટલે તૃપ્તિનો અનુભવ કરાવતી દસ ઈન્દ્રિયોવાળાં તથા મગજ સાથેના દેહધારી જીવનની સુવિધા. એવી સુવિધા હોવા છતાં માનવીને શાંતિનું સુખ સહજ મળતું નથી. કારણ અજ્ઞાની મનનો અહંકાર માને છે, કે તે પોતે જે વિચારી શકે છે, બુદ્ધિથી નિર્ણય લઈ શકે છે, તેના લીધે જ ભૌતિક જીવનના ભોગ તે ભોગવી શકે છે. આવી કર્તાભાવની અજ્ઞાનતાના લીધે અતૃપ્ત ઇચ્છા વૃત્તિઓનું આવરણ વધતું જાય છે. જો મનુષ્ય જન્મનો હિતકારી આશય જણાય, તો જ્ઞાન ભક્તિના સત્સંગથી અહંકારી માનસનું સમર્પણ થતું જાય. સમર્પણભાવની જાગૃતિ સ્વરૂપે સીમિત ભોગની નવી ઈચ્છાઓ ઓછી થતી જાય અને સ્વયંના આત્મ સ્વરૂપની પ્રતીતિ કરાવતું જીવન ભક્તિભાવથી જિવાય. નિષ્કામભાવની સાત્ત્વિકતા મનોમન પછી આપમેળે જાગૃત થાય, ત્યારે સ્વયંના આત્મીય ગુણોની

સાત્ત્વિકતાને માણવામાં રાગ-દ્વેષાત્મક વિચારોનો અવરોધ ઓગળતો જાય અને શાંત સ્વરૂપની આત્મીય

પ્રીતની પ્રતીતિમાં અજ્ઞાની માનસની અશાંતિ વિલીન થતી જાય.

 

આમ માત્ર સત્સંગની પ્રવૃત્તિઓ નિયમિત કરવાથી શાંતિ ન મળે, પણ સ્વયંને જાણવાની લગની લાગે અને લગની રૂપે એકરૂપ થવાની અંતર યાત્રામાં મન ધ્યાનસ્થ થાય, તો આત્મીય ચેતનાના દિવ્ય સ્પંદનો શાંતિ રૂપે અનુભવાય. સ્વયંને જાણવાનો પુરુષાર્થ મન કરે છે, પણ મોટેભાગે પુરુષાર્થની દિશામાં એકાગ્રતાથી, દૃઢ શ્રદ્ધાથી તે પ્રયાણ કરતું નથી. મનથી જો ધ્યેય નિશ્ચિત કર્યો હોય, તો સંસારી વિચારોમાં ભટકવાને બદલે પળે પળે શ્વાસ રૂપે અર્પણ થતી પ્રભુની શક્તિનો મહિમા ગ્રહણ થાય. વાસ્તવમાં માનવી જીવન રૂપે ઈચ્છાઓ તો જનમતી રહેશે. એટલે ઈચ્છાને અટકાવી ન શકાય, પણ ઈચ્છાઓને તૃપ્ત કરાવતી અકર્તાભાવની મનની જાગૃતિ મહત્ત્વની છે. અકર્તાભાવથી થતાં વિચાર-વર્તનમાં નવી ઈચ્છાઓ ઓછી થાય. કારણ સ્વ સ્વરૂપનું સત્ દર્શન ધારણ થતાં, પ્રભુ સાથેના આત્મીય સંબંધની અનુભૂતિમાં મન તરતું રહે છે.

 

સ્વ અનુભૂતિની અંતર ભક્તિમાં મન ધ્યાનસ્થ થાય પછી જીવનનો ધ્યેય એક જ રહે, કે સ્વયંની આત્મીય પ્રીતની દિવ્યતા વ્યક્ત થાય એવાં સાત્ત્વિકભાવમાં સ્થિત રહેવું. સાત્ત્વિકભાવની જાગૃતિનું ભક્તિભાવનું જીવન ભક્ત જીવે અને ગુણિયલ સ્વભાવના લીધે દેહના સાધનનું આરોગ્ય પણ જળવાતું જાય. અજ્ઞાની મનની અશાંતિના લીધે સાત્ત્વિક ગુણોનું ધન મનમાં સુષુપ્ત રહે છે. એવી સુષુપ્તિના લીધે સંસારી ભોગની નિદ્રામાં મન ઊંધતુ રહે છે. તેથી મનુષ્ય સાત્ત્વિકભાવની જાગૃતિને, એટલે કે આત્માના સાત્ત્વિક ગુણોનાં સ્વાસ્થ્યને ધારણ કરી શકતો નથી. જ્ઞાન-ભક્તિની સરિતામાં શરણભાવની નિષ્ઠાથી જો તરતાં રહેવાય, તો જ્ઞાની ભક્તની જેમ આત્મીય ગુણોની દિવ્યતાને પ્રગટાવતું જીવન જીવી શકાય તથા હું અને આત્મીય ચેતના જુદાં નથી એવી અભિન્નતાની સ્વાનુભૂતિમાં શાંતિના સ્પંદનો અનુભવાય. અસ્તિત્વ પછી બની જાય નિઃસ્વાર્થ પ્રેમને છલકાવતો પ્રભુનો કળશ, જેના આચમનમાં માનવીના મનની સ્વયંને જાણવાની, ભક્તિભાવથી જીવવાની તરસ છીપાતી

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

 

 

Read More
book img
..ત્યારે અનુભવાય પ્રભુ કૃપાનો ધોધ.

માનવી જીવનની શ્રેષ્ઠતા એટલે મનના વાહનની પ્રાપ્તિ. મનની વિચાર શક્તિ, સમજ શક્તિ તથા અનુભવ કરાવતી જ્ઞાન શક્તિથી માનવી ચેતનવંત જીવન જીવી શકે છે. ચેતનવંત જીવનનો મહિમા જાણવાની ઈચ્છા જન્મે, ત્યારે જિજ્ઞાસુભાવને પ્રગટાવતાં સાત્ત્વિક વિચારોમાં મન ગૂંથાતું જાય અને દેહની જીવંત સ્થિતિની લિપિ પરખાતી જાય, કે શ્વાસની ચેતનવંત સ્થિતિની હાજરીના લીધે વિચારવાની, ગ્રહણ કરવાની, પ્રતિક્રિયા કરવાની, કે સમજવાની શક્તિ મનોમન ધારણ થઈ શકે છે. શ્વાસની ગેરહાજરીમાં દેહની જડ સ્થિતિ થાય, એટલે કે શરીરનું મૃત્યુ થાય છે. જિજ્ઞાસુ ભક્ત જડ-ચેતનનો વિવેક સમજે અને જીવંત જીવનની સદુપયોગી મહત્તાને સ્વીકારી, સ્વયંને જાણવાની અંતરયાત્રા કરતો જાય. સત્સંગની આધ્યાત્મિક પ્રવૃત્તિઓથી એનું મન કેળવાતું જાય અને સાત્ત્વિકભાવની જાગૃતિ તરફ પ્રયાણ થતું જાય. સ્વયંને જાણવાની જિજ્ઞાસા જયારે અગ્નિની જેમ પ્રજ્વલિત થાય ત્યારે સૂક્ષ્મ સમજને આત્મસાત્ કરાવતી અંતર સ્ફુરણા ભક્તમાં જાગૃત થાય અને એનાં સ્વભાવનું પરિવર્તન થતું જાય.

 

રોજિંદા જીવનની ઘટનાઓથી માનવીનો સ્વભાવ ઘડાય છે. સુખનો અનુભવ કરાવતી અનુકૂળ ઘટના હોય, અથવા દુઃખદ અનુભવની પ્રતિકૂળ ઘટનાઓ હોય. એવાં અનુભવોથી સ્વભાવ ઘડાતો જાય, એટલે કે સ્વભાવનું પરિવર્તન સુખદ કે દુઃખદ અનુભવોથી થઈ શકે છે. તેથી જિજ્ઞાસુ ભક્ત પોતાના સ્વભાવને બદલાવતું ચિંતન કરે છે. ચિંતન રૂપે દરેક ઘટના પાછળનો સંકેત ઝીલવાનો એ પ્રયત્ન કરે, જેથી જાગૃતિના સાત્ત્વિક વિચારોમાં મનનું સ્નાન થયાં કરે. સંકેત ઝીલવો એટલે ઘટના રૂપી કાર્યને જન્માવતી કારણભૂત સ્થિતિને જાણવી. જેમકે શરીરનું આરોગ્ય જ્યારે રોગ અથવા દર્દથી બગડે ત્યારે એનાં ઉપચાર માટે ડૉકટર, દવા, કે હોસ્પિટલના ખર્ચા થાય. શરીરના રોગની વ્યાધિથી મન પણ નિરાશાની નબળાઈને અનુભવે છે. એટલે આધિ-વ્યાધિના વ્યથાભર્યા અનુભવનો સંકેત જાણવા, જિજ્ઞાસુ ભક્ત વિશ્લેષણપૂર્વક સમજે કે કયા કારણથી તબિયત બગડી હતી. એવી જાણ સ્વરૂપે તે પોતાની સ્વભાવગત ભૂલનો એકરાર કરે. કારણકે કોઈ પણ ઘટનાનો અનુભવ મન કરે છે અને મનના સ્વભાવથી જ ઘટનાની પ્રતિકૂળતા કે અનુકૂળતા અનુભવાય છે. એટલે જિજ્ઞાસુ ભક્ત પોતાની ભૂલના એકરારમાં, ફરીથી એવી ભૂલ ન થાય એવો નિશ્ચય કરે અને એવા નિશ્ચય રૂપે એના સ્વભાવનું પરિવર્તન થતું જાય.

 

દરેક માનવી જો પોતાના સ્વભાવની તાસીર જાણે, તો સ્વભાવને બદલાવતું વર્તન મુશ્કેલ નહિ લાગે. મોટેભાગે માનવીનું મન રોજિંદા જીવનની ઘટમાળમાં બંધાયેલું રહે છે. એટલે પોતાના સ્વભાવની ખાસિયતથી અથવા ખોટી આદતોની નબળાઈથી તે અપરિચિત રહે છે. જેઓ રચનાત્મક કે સર્જનાત્મક કાર્યો કરતાં હોય, અથવા નવીન સંશોધનની સીડી ચઢતાં હોય, તેઓ પોતાના સ્વભાવથી પરિચિત થવાનો પ્રયત્ન કરે છે. કારણ કોઈ પણ સર્જનાત્મક કાર્યની સફળતામાં હકારાત્મક વૃત્તિની તથા દેઢ મનોબળવાળા સ્વભાવની સહજતા હોય છે. આમ સ્વભાવની ઉચિત સ્થિતિ એટલે પ્રેમભાવની નિઃસ્વાર્થતા. જ્યાં રાગ-દ્વેષના ભેદભાવની વિચારણા ન હોય, પણ હિતકારી વૃત્તિથી પરોપકારી વર્તનની નિખાલસતા હોય. એવાં સ્વભાવનો ઉદય થાય એમાં મનનું ભક્ત સ્વરૂપ જાગૃત થાય, પ્રભુ સાથેની એક્યતાની પ્રતીતિ કરે, એટલે કે મન અને આત્માની અભિન્નતાને અનુભવે. અર્થાત્ ભક્તના મનનો સ્વભાવ સ્વયંની સ્વાનુભૂતિ સ્વરૂપે બદલાતો જાય અને સૂક્ષ્મ સમજની અંતર સ્ફુરણા ધારણ થતી જાય.

 

સ્વયંથી અજ્ઞાત રહેતું મન, પોતાના રાગ-દ્વેષભર્યા વર્તનથી ક્યારેક હતાશ થાય; છતાં જાણવા ન મથે, કે ક્યા કારણથી હતાશાના અનુભવમાં મન અટવાય છે;

થાય જો ભક્તિભાવથી સાત્ત્વિક વિચારોનું સ્નાન, તો સમજાય માનવ સ્વભાવનો ભેદ

 સ્વમય ચિંતનથી સ્વભાવનું પરિવર્તન થાય, ત્યારે અનુભવાય પ્રભુ કૃપાનો ઘોધ.

 

જે કાર્ય કે પ્રવૃત્તિ કરવાથી સુખનો અનુભવ ધાય, તે કાર્ય કરવા માટે મન હંમેશા તત્પર રહે છે. તેથી જે કાર્યો કરવાની ખુશી મળે, અથવા જે કાર્યો દ્વારા સુખનો અનુભવ થાય, તે ખુશી કે સંતોષ આપતાં કાર્યોમાં જો પોતાના સ્વભાવની કોઈ ખોટ જાય, તો તેને સુધારવાનો પ્રયત્ન માનવી પહેલાં કરશે. એટલે જિજ્ઞાસુ ભક્ત જાગૃતિની સ્વમય અંતર યાત્રા કદી મૃત્યુના ભયથી, અસુરક્ષાથી, કે દુઃખ મુક્તિના આશયથી કરતો નથી. એ તો સચ્ચિદાનંદ સ્વરૂપની નિષ્કામ પ્રીતનો અનુભવ કરવા જ્ઞાન-ભકિતની સરિતામાં તરતો રહે છે. સ્વયંની નિષ્કામ પ્રીતનો અનુભવ કરાવતી સ્વાનુભૂતિમાં સ્થિત થવાય, પછી તે દિવ્ય પ્રીતનું પ્રસરણ કરાવતી અંતર ભક્તિના ઊંડાણમાં ભક્ત એકરૂપ થાય, ત્યારે હું છું એવી અહમ્ વૃત્તિ વિલીન થતાં, સોઽહમભાવની જાગૃતિ ધારણ થાય. એવી જાગૃતિમાં સ્થિત થવા માટે સ્વમય ચિંતનથી મનને કેળવવું અતિ આવશ્યક છે.

 

ચિંતન રૂપે સ્વભાવનું પરિવર્તન થાય અને આકારિત કૃતિઓની સીમિત સ્થિતિનો ભેદ સમજાય. દરેક સીમિત કૃતિઓ જીવે છે અસીમિત આત્મીય ઊર્જા શક્તિથી અને એ જ શક્તિથી એનું સર્જન થાય છે તથા અમુક સમય પછી વિસર્જન રૂપે તે વિલીન થાય છે. સર્જન-વિસર્જનનો ભેદ જેમ જેમ સમજાય, તેમ તેમ ભક્તનું મન સાત્ત્વિકભાવની ગુણિલયતાથી છલકાતું જાય. અણજાણે ભક્ત અનુભવે કે એનામાં પરમાર્થી સ્વભાવની નમ્રતા ખીલતી જાય છે અને સમભાવની જાગૃતિથી મૌન જેવી સ્થિતિ આપમેળે થાય છે, જે અંતરધ્યાનમાં ધ્યાનસ્થ રહે છે. ધ્યાનની મોન સ્થિતિમાં જિજ્ઞાસુ ભક્તનું અસ્તિત્વ ઓગળતું જાય અને સંતોષની સરિતામાં શાંતિથી સહેલ થતી જાય, ત્યારે આત્મજ્યોતના પ્રકાશિત દર્શન થાય. મનની મોન સ્થિતિની શાંતિ પછી આત્મ જ્યોતની પ્રકાશિત ગતિ સાથે એકરૂપ થાય. આવો એકરૂપતાનો પરમ આનંદ માણવા માટે આપણે મનુષ્ય જન્મને ધારણ કર્યો છે. પ્રભુ તો આત્મીય સંબંધનો અણસારો શ્વાસ રૂપે આપણને આપતાં રહે છે. જેથી સાત્ત્વિક સ્વભાવની જાગૃતિ ધારણ થઈ શકે અને પદાર્થોના ભોગમાં ન મળે એવો સંતોષ માણી શકાય.

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

Read More
book img
નિરંતર વરસતું આત્મીય ચેતનાનું ઊર્જાધન

સામાન્ય રૂપે આપણને સમજાય છે કે ટ્યૂબલાઈટ મહત્ત્વની નથી, પણ ઈલેકટ્રીસીટીના સહારે ટ્યૂબલાઈટથી રૂમમાં અજવાળું થાય તે મહત્ત્વનું છે, એટલે કે ટ્યૂબલાઈટથી પ્રસરતો પ્રકાશ મહત્ત્વનો છે. તે પ્રકાશના લીધે રૂમમાં અંધકાર વિલીન થતાં અજવાળું થાય છે. તે અજવાળાથી રૂમમાં દેખાતી વસ્તુઓને જે મહત્તા આપે, તે છે માનવી મનની સામાન્ય સમજ અને વસ્તુઓને જે મહત્તા ન આપે, પણ જેના દ્વારા વસ્તુઓ જોઈ શકાય છે તે અજવાળાંને (પ્રકાશને) મહત્તા આપે, તે છે જિજ્ઞાસુ ભક્તના મનની સમજ. જીવંત જીવનની અમૂલ્યતાને જિજ્ઞાસુ ભક્ત માત્ર માહિતીની જેમ જાણતો નથી. પરંતુ જિવાડનાર પ્રભુની શક્તિથી મારું અસ્તિત્વ ઘડાયું અને દેહધારી જીવન જીવી શકાય છે એની પ્રતીતિ શ્વાસની હાજરીથી એ કરે છે. આ પ્રતીતિ જ્ઞાનના લીધે આધ્યાત્મિક શબ્દોના માત્ર અર્થને ન સમજે, પણ અર્થ રૂપે બોધદાયક ભાવાર્થ ગ્રહણ કરે. એટલે પ્રતીતિ જ્ઞાનથી ભક્તને પ્રભુ સાથેની ઐક્યતાના અણસારા મળતાં જાય અને એવાં અણસારાથી સ્વયંને જાણવાની જિજ્ઞાસા વધુ પ્રજ્વલિત થતી જાય.

 

જિજ્ઞાસુ ભક્ત સત્સંગ રૂપે શ્રવણ, અધ્યયન, ચિંતન વગેરે આધ્યાત્મિક પ્રવૃત્તિઓનાં સહારે સ્વયંના સચ્ચિદાનંદ સ્વરૂપથી પરિચિત થતો જાય અને વ્યવહારિક જીવનના કાર્યો કરતાં કરતાં પ્રભુની હાજરીને અનુભવતો જાય. જીવનમાં સારા-માઠા પ્રસંગોની આવનજાવન હોય, પરંતુ ભક્તનું જિજ્ઞાસુ માનસ પલાયન વૃત્તિથી માઠા પ્રસંગોની મુશ્કેલીથી દૂર રહેવાનો પ્રયત્ન ન કરે. કારણ પ્રારબ્ધગત જીવનીન કોઈ પણ ઘટના એટલે માનવીએ પોતે કરેલાં કર્મોનું ફળ પ્રાપ્ત થયું. ઘટના રૂપે જે કાર્ય કે પ્રવૃત્તિ થાય, એમાં અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓની ગાંઠો છૂટે. તેથી કર્મસંસ્કારોની ગાંઠોનું આવરણ ઓગાળવા માટે જિજ્ઞાસુ ભક્ત સમર્પણભાવની નિષ્ઠાથી કર્મ કરે, કે પ્રભુની ચેતનવંત ઊર્જાશક્તિ જો ન હોય તો હું નથી કે દેહની જીવંત સ્થિતિ નથી. એટલે પ્રભુની શક્તિના આધારે વિચારી શકાય છે, કે કર્મ-ફળને ભોગવવાનું જીવન જીવી શકાય છે. દેહધારી જીવન જ્યારે પ્રભુની આત્મીય ઊર્જા શક્તિની સાક્ષાત્ પ્રતીતિથી જિવાય, ત્યારે વ્યવહારિક જીવનની ઉતાર-ચઢાવની ઘટનાઓના અનુભવથી મનોમન સત્ દર્શન ધારણ થતું જાય, સત્ દર્શન સ્વરૂપે દેધારી પ્રકૃતિના બાહ્ય જીવનનો અને સદ્ગુણોની જાગૃતિના અંતર જીવનનો ભેદ સમજાય.

 

અંતર જીવન અને બાહ્ય જીવન એવી જુદાઈના ભેદ પાડીને ભક્ત ન જીવે. કારણ તે જાણે છે કે આકારિત શરીરની ક્રિયાઓ તથા નિરાકારિત મનની ક્રિયાઓ પરસ્પર જોડાયેલી છે. એટલે બાહ્ય જીવનની પ્રવૃત્તિઓ છોડીને માત્ર શ્રવણ, અધ્યયન, કે ધ્યાનની ક્રિયાઓનું અંતર જીવન જીવવું અશક્ય છે. કારણ શ્રવણ, અધ્યયન, કે ચિંતન વગેરે જે પણ આધ્યાત્મિક ક્રિયાઓ છે, તે તન મનની દેહધારી જીવંત સ્થિતિના આધારે થઈ શકે છે. આકારિત શરીરના અંગોની ક્રિયા થયાં કરે, પણ શરીરને પોષણ આપવા અન્ન ખાવાની ક્રિયા કરવી પડે, વસ્ત્રોનું રક્ષણ આપવું પડે, કોઈ દર્દ કે રોગ થાય તો એનો ઉપચાર કરવો પડે વગેરે શારીરિક ક્રિયાઓ અને માનસિક ક્રિયાઓ આ બન્નેનાં પરસ્પર ભેદને જાણવાનો હોય, પણ બન્નેમાંથી કોઈ એક ક્રિયાનું અલગ જીવન જીવી ન શકાય. આવી દ્વૈત જીવનની પ્રક્રિયાનો મહિમા સમજીને જિજ્ઞાસુ ભક્ત કર્મસંસ્કારોના આવરણને ઓગાળવા ભક્તિભાવની નિષ્ઠાથી જીવન જીવે. ભાવની નિષ્ઠા એટલે અહમ્ વૃત્તિના અહંકારનું સમર્પણ થાય એવાં સ્વમય ચિંતનથી અધ્યયન કરવું. ચિંતનની નિષ્ઠાથી મનના રાગદ્વેષાત્મક વર્તનના સંકુચિત માનસને સાત્વિક વિચારોનું પોષણ મળતું જાય અને અંતરગમનની વિશાળતામાં વિહાર કરાવતી સાત્ત્વિકભાવની જાગૃતિ પણ થતું જાય.

 

જીવતાં જ સ્વયંની ગુણિયલતાને માણવાની હોય છે. તેથી મનુષ્ય જીવનની અમૂલ્યતાનો સ્વીકાર કરી, જિજ્ઞાસુ ભક્ત મનની ભીતરમાં સમાયેલ પ્રભુની સાત્ત્વિક ગુણોની દિવ્યતા પ્રકાશિત થઈ શકે, તે માટે અકતભાવથી જીવવાનો પુરુષાર્થ કરતો રહે છે. મનુષ્ય જન્મની અમૂલ્યતા એટલે માત્ર માનવ આકારના શરીરની પ્રાપ્તિ થવી એટલો સીમિત અર્થ નથી, પણ પ્રેમભાવ, સમત્વભાવ, શ્રદ્ધાભાવ, શરણભાવ વગેરે ભાવની સાત્ત્વિકતાનો પરમ સંતોષ અંતર ભક્તિ સ્વરૂપે ધારણ કરી શકાય છે. અર્થાત્ ભાવની સાત્ત્વિકતાથી અશક્ય લાગતી સ્થિતિને શક્યતામાં ફેરવી શકાય એવું મનોબળ મનની ભીતરમાં સમાયેલું છે. મનની આંતરિક શક્તિના મનોબળમાં પ્રભુની આત્મીય ચેતનાનો અંશ પ્રગટે છે. એટલે પ્રભુની ચેતનાની તેજસ્વીતા મન-બુદ્ધિની સાત્ત્વિક ક્રિયા રૂપે પ્રગટે, એવી ભક્તિભાવની નિષ્ઠાથી જીવીએ તો મનુષ્ય જીવનની અમૂલ્યતાને અનુભવી શકાય. મન-બુદ્ધિની સાત્ત્વિકભાવની ગુણિયલતાને જાગૃત કરવી, કે રાગ-દ્વેષાદિ અહંકારી વર્તનથી મન-બુદ્ધિની સાત્ત્વિકતાને કુંઠિત કરવી, તે માનવીની પોતાની ઈચ્છા પર નિર્ભર રહે છે.

 

જીવંત જીવનમાં મેઘધનુષના રંગોની જેમ બહુરંગી ઘટનાઓનું આવનજાવન થયા કરે. ભભક્તિભાવન નિષ્ઠાથી જેમ જેમ સદાચરણની સાત્ત્વિકતા ધારણ થતી જાય, તેમ તેમ ઘટનાઓનાં અનુભવમાં પ્રભુની ગુણિયલ અભિવ્યક્તિ પરખાય. એવી પારખ સ્વરૂપે અહંકારી સ્વભાવનો અવરોધ વિલીન થતો જાય અને મનનું સાત્ત્વિક ગુણોનું સૌંદર્ય આપમેળે પ્રગટતું જાય. આમ જીવંત જીવન એટલે જ પ્રભુની આત્મીય ઊર્જા શક્તિનું પ્રસરણ. ઊર્જા શક્તિના અખંડ પ્રસરણથી આકારિત કૃતિઓનું સર્જન-વિસર્જન થતું રહે છે. અર્થાત્ આપણે સૌ પ્રભુની આત્મીય પ્રીતની ઊર્જાને, પ્રભુની દિવ્ય ગુણોની ચેતનાને દર્શાવતી જીવંત કૃતિઓ છીએ. જેમ મંદિરમાં દર્શન કરીએ ત્યારે અહોભાવથી વંદન કરીએ છીએ, તેમ આ શરીર રૂપી મંદિરમાં સમાયેલી પ્રભુની મૂર્તિના દર્શન કરવા માટે ભક્તિભાવથી જીવવું જોઈએ. મન પૂજારી બની પૂજનીય ભાવથી જીવે તો કર્મસંસ્કારોનું આવરણ છેદાતું જાય અને સ્વ દર્શનનું પ્રભુત્વ ધારણ થતું જાય. આ તન-મનમાં ઊર્જા ધારાની વર્ષાઋતુ છે, એટલે મનુષ્ય છે પ્રભુના ગુણોનું વર્ષાસન;

 

આ મન છે પ્રભુનું સુદર્શન અને તન છે પ્રભુનું પ્રદર્શન,

જે ધારણ કરી શકે અંતર વિકાસનું વિશ્વ દર્શન;

નિરંતર વરસતું આત્મીય ચેતનાનું ઊર્જા ઘન,

એટલે જ પ્રભુના સાત્ત્વિક ગુણોનું પ્રકૃતિ દર્શન;

ભક્તના જીવનમાં પ્રગટે પ્રભુનું સાત્ત્વિક ઘન,

અને તે અંતર ભક્તિ સ્વરૂપે કરતો રહે સ્વ દર્શન.

 

સંકલનકર્તા – મનસ્વિની કોટવાલા

Read More
book img
સાત્વિક જીવનનો નિર્ધાર અને સ્વયંને જાણવાની જિજ્ઞાસા

જે માનવી વાસ્તવિકતા જાણીને સમજી જાય કે કર્મસંસ્કારોનું આવરણ હોવાથી, આ દેહધારી દુન્યવી જીવન જીવવું પડે છે, તે છે જિજ્ઞાસુ ભક્તના વિચારો અને એવા વિચારોનાં વર્તન રૂપે આવરણને ઓગાળતાં જ્ઞાન-ભક્તિના સદાચરણમાં સ્થિત થવાનો પુરુષાર્થ તે કરતો રહે છે. જ્ઞાન-ભક્તિના સદાચરણમાં મન ત્યારે સ્થિત થઈ શકે, જ્યારે ‘હું શરીર છું’ એવી મનોવૃત્તિના અજ્ઞાની વર્તનની શરમ આવે. શરમ આવવી એટલે પોતે કરેલાં દોષિત વિચારો કે વર્તન માટે પારાવાર પસ્તાવો થાય અને મનોમન ઉદ્વેગ સાથે ભોંઠપ અનુભવાય. જેમ દુન્યવી કાર્યોમાં પોતાની ભૂલને કારણે ખોટ કે નુકસાન થાય ત્યારે જે સંતાપભર્યો પસ્તાવો થાય અને ભોંઠપ અનુભવાય કે,“ કાર્ય કેટલી મહેનતથી કર્યું જેથી સફળતાનું પરિણામ મેળવી શકું, પણ કાર્ય કરવાની જે ઉચિત રીત હતી તેને પૂરી જાગી નહિ. તેથી મારી અજ્ઞાનતાના લીધે યોગ્ય પદ્ધતિથી કાર્ય થયું નહિ અને સફળ પરિણામ ન મળવાનું નુકસાન થયું. કુટુંબના સભ્યો કે મિત્રો શું વિચારશે કે મને આટલું કાર્ય કરતાં પણ ન આવડ્યું!” વ્યવહારિક જીવનમાં આવો નામોશીના ડર સાથેનો પસ્તાવો ક્યારેક ને ક્યારેક અનુભવીએ છીએ.

 

મોટેભાગે માનવીને નામોશી કે પ્રતિષ્ઠા હાનિ ન ગમે. પોતાના અજ્ઞાની સ્વભાવની કે મુર્ખામીથી કરેલાં કાર્યની બીજાને ખબર પડે તે મનને ગમતું નથી. તેથી પોતે કરેલી ભૂલને માટે બીજી વ્યક્તિ કે પરિસ્થિતિને દોષિત ગણે છે. પોતાની ભૂલનો-દોષનો ટોપલો બીજા પર નાંખવાની પલાયન વૃત્તિના સ્વભાવને લીધે જ મનનું માનસ વિશાળ થવાને બદલે સંકુચિત થતું જાય છે. માનવીને જ્યારે પોતાના અજ્ઞાની સ્વભાવની શરમ આવે અને એવાં સ્વભાવથી થતાં સ્વાર્થી, હું કેન્દ્રિત વર્તનનો ખેદ જાગે, ત્યારે અજ્ઞાનતાથી મુક્ત થવાની ઈચ્છા જાગૃત થાય. એવી ઈચ્છા જાગૃત થવી, તે છે મનમાં સુષુપ્ત રહેલા સાત્ત્વિક સંસ્કારોના બીજનું અંકુરિત થવું. મન પછી અજ્ઞાનતાથી પરિચિત થાય અને દેહધારી જીવનની મહત્તાથી તથા શરીર સાથે જોડાયેલા મનની વિશેષતાથી પરિચિત થતું જાય. પરિચિત થવું, એ પ્રેમભાવથી જીવવાનું, એટલે કે સદાચરણ તરફ પ્રયાણ કરાવતું પ્રથમ પગલું છે. પછી મહાભૂતોની પ્રકૃતિ સાથેના અરસપરસના જીવનની મહત્તા સમજાય અને મનુષ્ય જ મન-બુદ્ધિના સદુપયોગથી સાત્ત્વિક ગુણોને પ્રગટાવતું જીવન જીવી શકે છે તે સત્યનો સ્વીકાર થાય.

 

સાત્ત્વિક જીવન જીવવાનો નિર્ધાર થાય, ત્યારે સ્વયંને જાણવાની જિજ્ઞાસા પ્રબળ થાય અને જ્ઞાન ભક્તિના સત્સંગથી મન કેળવાતું જાય. જેમ જેમ જિજ્ઞાસુ ભક્તનું મન સાત્ત્વિક વિચારોના બોધથી કેળવાતું જાય, તેમ તેમ એને પોતાના અજ્ઞાની સ્વભાવની શરમ આવે. પોતે શરીર છે એવી માન્યતાના અજ્ઞાનનો પસ્તાવો થાય. જિજ્ઞાસુ ભક્તના મનમાં પરિતાપ સાથે ઝંઝાવાત જાગે અને એકરાર પણ થાય કે,‘ સત્સંગથી જાણ્યું અને સમજાયું કે કર્મસંસ્કારોનું અજ્ઞાની વૃત્તિઓનું આવરણ છે. છતાં તે આવરણને વિલીન કરાવતો પુરુષાર્થ જોઈએ એટલાં પ્રમાણમાં થતો નથી! પ્રભુની શક્તિના સહારે જ આવરણને-અજ્ઞાનને વિલીન કરાવતો પુરુષાર્થ થઈ શકે છે, તો જે શક્તિના લીધે હું જીવંત જીવન જીવી શકું છું, જે શક્તિનો સંગાથ સતત છે તેનું સ્મરણ કાર્ય કે કર્મ કરું છું ત્યારે કેમ થતું નથી! સત્સંગ રૂપે માત્ર આધ્યાત્મિક શબ્દોથી પરિચિત થઈશ, તો સાત્ત્વિકભાવની ગુણિયલતા સુષુપ્ત જ રહેશે. ભાવની ગુણિયલતા પ્રગટે છે ભક્તિની શક્તિથી અને ભક્તિની શક્તિ છે પ્રભુના દિવ્ય ભાવની જાગૃતિ, તે જાણ્યાં પછી પણ ભાવની નિર્મળતાની માત્ર વાતો કરું છું!!

 

...હે પ્રભુ! આપનો દિવ્ય ભગવત્ ભાવ, જે ભક્તિની શક્તિ સ્વરૂપે મુજમાં ત્યારે જ જાગૃત થાય, જ્યારે અહમ્ વૃત્તિનું સમર્પણ થાય. તો હું કેમ એવું વિચારું છું કે‘હું ભક્તિ કરું છું’. હું કેમ એવું અનુભવું છું કે, ‘હું ભાવથી ભક્તિમય જીવન જીવું છું’! જ્યાં સુધી હું કરું છું એવી કર્તાભાવની વૃત્તિનો અહંકાર છે, ત્યાં સુધી આપનાં ભગવત ભાવની  દિવ્યતા જાગૃત થતી નથી. આપના દિવ્યભાવની જાગૃતિમાં અજ્ઞાની વૃત્તિઓનું આવરણ આપમેળે વિલીન થાય. પરંતુ ગુરુના સાંનિધ્યમાં જણાયું કે આપના ભગવત્ ભાવને જાગૃત કરાવતું મારા કર્તાભાવનું સમર્પણ થયું નથી. અર્થાત્ ઈચ્છાઓના વળગણથી મન હજુ સુધી મુક્ત થયું નથી, એટલે આપની અણમોલ કૃપા રૂપી ભક્તિની શક્તિ જાગૃત થતી નથી અને તેનો નિર્મળ આનંદ ભજન કે સ્તુતિના ગુંજનમાં માણવા મળતો નથી. આમ છતાં હે પ્રભુ! આપની કૃપા સ્વરૂપે દેઢ શ્રદ્ધાનો દીપક મુજમાં પ્રકાશિત થયો છે. જે ચિંતા, નિરાશા, અસુરક્ષા રૂપી અંધકારને મુજથી દૂર રાખે છે.

 

વ્યવહારિક કાર્યોની નિષ્ફળતાથી ક્યારેક હું ગભરાઈ જાઉં છું. પરંતુ શ્રદ્ધાનો પ્રકાશ મુજને સજાગ રાખે છે તથા ચિંતા, ભય, તાણ, ગુસ્સો વગેરે નકારાત્મકતાને મહેમાનની જેમ રાખે છે. આ મહેમાનો મારા મન રૂપી ઘરના માલિક નથી એટલું નિશ્ચિત રૂપે સમજાયું છે, કારણ મારા મનનાં માલિક આપ છો. આપની શ્વાસ રૂપી પ્રત્યક્ષ હાજરીની જ્યારે જ્યારે પ્રતીતિ થાય છે, ત્યારે આપની અવિનાશી અભિવ્યક્તિની મહત્તા પરખાય છે. આપની ભક્તિની શક્તિ, તે જ છે પ્રકાશિત દિવ્ય પ્રીતની ચેતના, જે ઊર્જા શક્તિ રૂપે સૌને સતત પ્રાપ્ત થતી રહે છે. તેથી જ વારંવાર મનથી વાગોળું છું અને ઘુંટચા કરું છું, હું પ્રભુનો આત્મીય અંશ છું. હરપળ હરઘડી પ્રભુ આપનો સંગ હોવાં છતાં ભક્તિનો નિર્મળભાવ સહજ જાગૃત પ ત્યારે દુન્યવી વિચારોનું મૌન થવું જોઈએ તે 3 of 10 જગદી થઈને રહું છું. આપના નામનું સ્મરણ થાય, બહુ લજ્જાઉં છું. હવે શું કરું નાથ, જેથી આપની જ્ઞાન-ભક્તિની સરિતામાં સહજતાથી તરતાં રહેવાય નવા સનપો પસ્તાવો થાય અને ભૂલનો એકરાર થાય, ત્યારે જિજ્ઞાસુ ભક્તનો વિષાદ ભજન રૂપે વ્યક્ત થાય કે...

 

 

શરમિંદો થઈને રહું છું, શરમથી બહુ લજ્જાઉં છું, નથી નામ તુજનું દીધું, હવે ક્યારે દઈ શકીશ હું;

 સમય તો વીતતો ચાલ્યો. એને કોઈ જઈને અટકાવો,

 મારે ભક્તિ કરીને પામવો, મારા કૃષ્ણને બોલાવો;

 ભવભવનો હું ભિખારી, ભક્તિનો આનંદ આપો,

મને ભક્તિ કરતા શિખવાડજો, ચરણનો દાસ બનાવો;

આ સ્વપ્નભરી સૃષ્ટિમાં, ભક્તો નથી બહુ મળતા,

મારે સમાઈ જવું છે તુજમાં, ભાવભીની ભક્તિમાં તરાવો.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

Read More