Quotes

Divinity is at the root of life and truth is oneness; the heart can feel the oneness when mind becomes selfless.

Spiritual Essays

Read the following articles and find out the meaning of your life.

book img
માર્ગમાં ન મૂકો વિકલ્પ...

જિજ્ઞાસુ ભક્તનું જીવન એટલે જેને સ્વયંને જાણવાની, સ્વયંના આત્મીય સ્વરૂપની પ્રતીતિ કરવાની, સ્વયંની પ્રભુ સાથેની એક્યતાને માણવાની ઈચ્છા હોવાથી એ સત્સંગની, આધ્યાત્મિક પ્રવૃત્તિનું જીવન જીવે. જિજ્ઞાસુ મનમાં વ્યવહારિક જીવનની અને આધ્યાત્મિક અંતર જીવનની સ્પષ્ટતા હોય કે, ‘કર્મસંસ્કારોની અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં લીધે વ્યવહારિક લૌકિક જીવન તો જીવવું જ પડે. કારણ પોતે કરેલાં કર્મોના ફળ રૂપે લૌકિક સંબંધોનું જીવન મળ્યું છે. તેથી કૌટુંબિક જવાબદારીના કર્તવ્યથી છટકી શકાય એમ નથી. જો સંસારી જીવનને અવરોધક માની પોતાની જવાબદારીના કાર્યો છોડીને સત્સંગ થાય, તો ક્યારેક તે કાર્યોનાં જે અતૃપ્ત કર્મસંસ્કારો છે તેનાં ડોકિયા થાય, ત્યારે મન વધુ બેચેન જાય, અને અસ્થિર થાય. મનની એવી અસ્થિરતામાં આધ્યાત્મિક જીવન રૂપે સ્વમય જાગૃતિનું પાન, કે ઊર્ધ્વગતિનું સોપાન ધારણ ન થાય.’ આવી સ્પષ્ટતાના લીધે જિજ્ઞાસુ ભક્ત જેમ જેમ સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ કરતો તેમ તેમ સંસારી જીવનના ઉતાર ચઢાવમાં તે અકળાઈ ન જાય, પણ સંજોગો અનુસાર વિચાર-વર્તન કરાવતું તટસ્થ મનોબળ એનામાં વધતું જાય.

 

આમ જિજ્ઞાસુ ભક્તનું મન સાત્ત્વિક ભાવની જાગૃતિને ધારણ કરાવતી, જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાનો પુરુષાર્થ કરતું રહે છે. એવા પુરુષાર્થી જીવનમાં ઘણીવાર તે હતાશ પણ થાય છે. ક્યારેક પ્રતિકૂળ સંજોગોની મુશ્કેલીથી કંટાળી જાય, અથવા ધાર્યા મુજબનું ઉચિત પરિણામ ન મળે ત્યારે તે વ્યથિત પણ થાય છે. કારણ ભક્તનું મન હોય, કે સામાન્ય વિચારસરણી ધરાવતું માનવીનું મન હોય, તે પ્રેમ લાગણીથી જીવે છે. એ કંઈ યાંત્રિક રોબોટની જેમ વર્તન કરતું નથી. તેથી સુખદ કે દુઃખદ ઘટનાની અસર ચોક્કસ થાય, પણ ભક્તનું મન તે ઘટનાઓની અસરથી કે જલદી મુક્ત થાય છે. એનાં મનમાં પ્રભુની પ્રતીતિ કરાવતાં પ્રકાશિત દર્શનની તરસ તીવ્ર હોય છે. એટલે નક્કી કરેલાં ધ્યેય અનુસાર જ્ઞાન ભક્તિની સરિતામાં તરતાં રહેવાનું એને વધુ ગમે છે. ભક્તનો ધ્યેય એટલે પ્રભુ પ્રીતની દિવ્યતાને જીવતાં જ માણવાનો સંકલ્પ. તેથી ભક્તિની અંતરયાત્રામાં કોઈ પણ પ્રકારના વિકલ્પની અનિશ્ચિતતા ન રહે, તે માટે તે પ્રેમભાવથી પ્રભુને વિનંતિ કરતો રહે છે કે...

 

શ્યામની શ્યામની શ્યામની રે, મને શા કાજે લાગી આ ધૂન, કોઈ કહેશે ઘેલછા લાગી આ માનવીને, કોઈ કહેશે પરભવનાં પુન; જાણવું નથી કે લાગી આ ધૂન કેમ, મારે માણવો છે આનંદ શ્યામનો રે; સંસારી વાતોનાં કોયડાં ઉકેલવામાં, ચાલ્યો જાય અણમોલ આનંદ; આપના ચરણોમાં જીવન વિતાવવું છે, માર્ગમાં ન મૂકો વિકલ્પ,

 

ભક્તિભાવથી જીવવાની સ્પષ્ટતા હોવાં છતાં ક્યારેક ભક્તનું મન દ્વિધા અનુભવે છે. કારણ ભક્તિની અંતરયાત્રામાં એક પગલું માંડીએ પછી બીજા પગલાની જાણ ન હોય. ભક્તિનો નિરાકારિત અંતર પથ એટલે સાત્ત્વિકભાવનો ગુણિયલ પ્રવાહ. ભાવની નિઃસ્વાર્થ ધારા જ્યાં હોય ત્યાં વિચારોની હાજરી ન હોય અને સત્સંગની પ્રવૃત્તિ હોય, ત્યાં સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ સમજવાનો અભ્યાસ હોય. એવા અભ્યાસથી મન સ્વયંના સ્વરૂપથી જાણકાર થાય, પણ તે જાણકારીના વિચારોથી અંતરયાત્રા ન થાય. અંતરયાત્રા રૂપે સ્વમય પ્રતીતિ થાય અને સદાચરણના પગલાંથી સ્વાનુભૂતિના અવકાશમાં સ્થિત થવાય. એટલે જિજ્ઞાસુ ભક્ત ઘણીવાર વિવળતામાં ડૂબી જાય કે, “પોતે ખરેખર અંતરયાત્રા કરે છે, કે માત્ર સૂક્ષ્મ સમજમાં તરે છે.’ આવી વિહ્વળતાના લીધે મનમાં પ્રશ્નાર્થના વિચારો ઉદ્ભવે, અથવા પોતાની નબળાઈને, સૂક્ષ્મ અહમ્ને જાણી એનો પશ્ચાત્તાપ કરાવતાં વિચારોનો પ્રવાહ વહેતોહોય કે, ‘“મારી અતૃપ્ત ઈચછાઓને તૃપ્ત કરવા માટે મેં મનુષ્ય જન્મ ધારણ કર્યો છે, કે સાત્ત્વિક કર્મ કરવા માટે મેં જન્મ લીધો છે? પ્રભુની આત્મીય ચેતનાનો હું અંશ છું, તો અંશમાં પ્રભુના ગુણો હોય જ, છતાં મારા વિચાર-વર્તનમાં પ્રભુની ગુણિયલતા સહજતાથી કેમ પ્રગટતી નથી?

 

...દુન્યવી પદાર્થોની નશ્વરતા(નાશ પામે એવું) જાણવા છતાં, તેને મેળવવાની કે ભોગવવાની ઈચ્છાઓ કેમ ઓછી થતી નથી મારું આત્મ સ્વરૂપ છે દિવ્ય પ્રીતનું, અનંત આનંદનું, તો વર્તન રૂપે પ્રેમની મીઠાશ સહજ કેમ પ્રસરતી નથી? પરિવારના સભ્યો કે મિત્રો-સ્વજનો સાથેના વ્યવહારમાં પ્રેમાળ વર્તન રૂપે પ્રભુની સાક્ષાત્ હાજરી કેમ અનુભવાતી નથી? સંસારના કાર્યો કરતી વખતે સમાધાન રૂપી સમત્વભાવનું ધન ધારણ થાય, એવાં સ્વભાવની સમતોલતા કેમ પ્રગટતી નથી? હિમાલયમાં સખત ઠંડી હોય, એટલે ત્યાંના રહેવાસીઓ જેમ ઠંડી સહન કરવાની સજા નથી ભોગવતા, તેમ મનુષ્ય જન્મ રૂપે પ્રભુએ કોઈ સજા નથી આપી, પણ પ્રેમાળ વર્તનથી, આ પ્રકૃતિ જગત સાથેના આદાનપ્રદાનના વ્યવહારની પ્રસન્નતા માણવાની છે. તેના બદલે હું કેમ ચિંતા, ભય, અસુરક્ષા, કે તાણ અનુભવું છું? કૌટુંબિક જીવનમાં કે આજીવિકાના ક્ષેત્રમાં એકબીજા સાથે તુલના કરીને અજાણતા હરીફાઈ કરતો રહું છું અને જે અતુલનાત્મક પ્રભુની ચેતના છે તેને ભૂલીને સંસારી કોયડાં ઉકેલવામાં વ્યસ્ત કેમ રહું છું?

 

...હું તું, મારું-તારુંના વિચારોમાં અટવાઈ જવાય છે. એટલે મારો પરિવાર, મારી માલિકીની વસ્તુઓ વગેરે સ્વાર્થી વિચારો મનની ઝોળીમાં ભરાતાં રહે, તો સાત્ત્વિકભાવની, કે નિઃસ્વાર્થ પ્રેમની જાગૃતિ કેવી રીતે પ્રગટે? કે પ્રભુ! ભકિતની અંતરયાત્રામાં સ્થિત થવા માટે હું આતુર છું. પરંતુ સંસારી વિચારોના ડોકિયાના લીધે અંતરધ્યાનની મૌન

 સ્થિતિમાં સ્થિત થઈ શકતો નથી. મારી મનની હોડી હજુ બહુ નાની છે, અને નાવિકની જરૂર છે. નાવિક રૂપી સાત્ત્વિકભાવની જાગૃતિ, એટલે કે આત્મ જ્યોતિનો પ્રકાશ પ્રસરે, તો અંતરયાત્રામાં કદી અટકી ન જાઉ.નિરાશા કે હતાશાના વહેણ ઘણીવાર મને એવાં કિનારે બેસાડે છે, જ્યાં નકારાત્મક વિચારો સાથે શંકા જાગે છે કે આ જીવનમાં હું પ્રભુ મિલનના આનંદને, પ્રભુની દિવ્ય પ્રીતને માણી શકીશ કે નહિ! માણવા નહિ મળે તો એનો અર્થ એવો થયો કે મુજમાં ખોટ છે સાત્ત્વિક સંસ્કારોની, જે મને જન્મ-મૃત્યુના દેહધારી જીવનની યાત્રામાં ફેરવ્યાં કરશે!’’ જિજ્ઞાસુ ભક્ત ક્યારેક આવી વિહ્વળતામાં વ્યથિત થાય, પણ વિળતાના વહેણ વહી જાય પછી સંકલ્પની દઢતાના લીધે પ્રભુ કૃપા સ્વરૂપે તે આગળ પ્રયાણ કરે છે. સારાંશ સમજાય કે ભક્તિની અંતરયાત્રામાં ભરતી-ઓટ જેવી સ્થિતિ અનુભવાય, તો પણ વ્યથિત થઈને જે અટકી ન જાય, તે છે ભક્તાની જિજ્ઞાસુભાવની સ્થિરતા.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

Read More
book img
હે હરિહર! હારી જાય મારો અહંકાર

પ્રભુની દિવ્ય ચેતના, જે ઊર્જા શક્તિ રૂપે સર્વત્ર પ્રસરતી રહે છે અને આપણે સૌ તે શક્તિના આધારે જીવંત જીવન જીવી શકીએ છીએ. પ્રભુની આ ચેતનવંત ઊર્જા શક્તિ સર્વેને કોઈ પણ પ્રયત્ન વગર શ્ર્વાસ રૂપે સતત પ્રાપ્ત થતી રહે છે. તેથી દેહધારી જીવન જિવાડતી પ્રભુની શક્તિને પ્રાપ્ત કરવા માટે કોઈને પુરુષાર્થ કરવો પડતો નથી. પરંતુ માનવીને અન્ન, વસ્ત્ર, રહેઠાણની પ્રાપ્તિ માટે મહેનત કરવી પડે છે, રૂપિયાની કમાણી કરવી પડે છે. વ્યવહારિક જીવનમાં સાધન સગવડોવાળું વૈભવી જીવન જીવવા માટે જે માનવી રૂપિયાની કમાણી વધુ કરે, તેને લોકો કુશળ બુદ્ધિમાન માને છે અને જે કમાણી ઓછી કરે તેની બુદ્ધિનો પનો ટૂંકો છે એવી માન્યતાનો આજનો સમાજ છે. તેથી જ દરેક માતા-પિતા પોતાનું બાળક ભણીને રૂપિયાની કમાણી કરી શકે, તે હેતુથી સ્કૂલ-કોલેજમાં મોકલે છે. એમાં વિદ્યા પ્રાપ્તિનો મહિમા નથી, પણ રૂપિયાની કમાણી કરી ભૌતિક સુખના પદાર્થોને-વસ્તુઓને પ્રાપ્ત કરવાની હરીફાઈમાં જીતવાની મહત્ત્વતા છે.

       એક સત્ય માનવીએ ભૂલવું ન જોઈએ, કે જે રૂપિયા મેળવવા માટે શરીરથી મહેનત કરીએ છીએ, મનથી સમજપૂર્વક વિચારી શકીએ છીએ, તે તન-મનનો દેહ તો પ્રભુની શક્તિથી જીવે છે. તે શક્તિના આધારે માનવી કાર્યરત રહીને રૂપિયાની કમાણી કરી શકે છે. પ્રભુની શક્તિને જો અહોભાવથી સ્વીકારીએ, એની મહત્તાને સમજવાનો પ્રયત્ન કરીએ, તો મેળવેલાં રૂપિયાથી ભૌતિક સુખની મજા મળશે અને સાથે સાથે ઉન્નતિની, ઊર્ધ્વગતિની અંતર દિશા તરફ મન પ્રયાણ કરી શકે એવાં સદ્વિચારોનું ધન પણ માનવી મેળવી શકે એમ છે. ભક્તનું મન આ સત્યને આત્મસાત કરાવતું પ્રયાણ કરવા, પ્રભુની આત્મીય ચેતનાના સાંનિધ્યને ભક્તિભાવથી માણે છે. આત્મીય સાંનિધ્યને માણવું, એટલે પ્રભુની ચેતનાનું જે સાત્ત્વિક ગુણોનું પ્રભુત્વ છે, તે વિચાર-વર્તન રૂપે પ્રગટ થવું. પ્રભુની ચેતનાનો સાત્ત્વિક પ્રભાવ પ્રગટે એવાં શરણભાવની જાગૃતિનો પુરુષાર્થ જિજ્ઞાસુ ભક્ત કરતો રહે છે અને પ્રભુને વંદનભાવથી પ્રાર્થના કરતો રહે છે કે..,

 

       "..હે હરિહર! હારી જાય મારો અહંકાર અને જીતી જાય તારો ભાવ,

એવી ભક્તિની સરિતામાં તરતો રાખજો;

       જ્યાં નથી કોઈ હરીફ કે નથી હરીફાઈની દોડ,

પણ છે માત્ર તારા ભાવની નિ:સ્વાર્થ ધારા;

       તારી ભાવની સરિતામાં તરવા માટે ન જોઈએ બુદ્ધિની પદવીના હલેસાં,

પણ જોઈએ સમર્પણની તટસ્થતા;

       તું જ તરાવે છે અને ડુબાડે છે કર્મસંસ્કારોને તારા ભાવમાં,

એટલે નથી રહી કોઈ અપ્રાપ્તિની ખોટ..”

 

       જિજ્ઞાસુ ભક્ત ભાવની સરિતામાં તરતો જાય, ત્યારે મનનું ભક્ત સ્વરૂપ જાગૃત થાય. ભક્તિ એટલે પ્રભુની ભગવત્ ભાવની ઊર્જા શક્તિનો સાત્ત્વિક ગુણોનો પ્રભાવ પ્રગટ થવો. ગુણિયલ પ્રભાવ વિચાર-વાણી-દૃષ્ટિના વર્તન રૂપે પ્રગટે, તે છે જ્ઞાની ભક્તનું સાત્ત્વિક વર્તન. જ્ઞાની ભક્ત દ્વારા જે પણ કર્તવ્ય થાય, તે જિજ્ઞાસુ ભક્તને ભાવની સરિતામાં તરાવતું માર્ગદર્શન ધરે છે. અર્થાત્ જિજ્ઞાસુ મનની સ્વયંને જાણવાની દૃઢતા વધે, સ્વયંના ગુણિયલ પ્રભાવની સ્વાનુભૂતિ કરાવતી ભક્તિની અંતર યાત્રા થઈ શકે, એવાં શ્રેયિત રાહનું દર્શન જ્ઞાની ભક્તોનાં સદ્વિચારોથી પ્રગટે છે. એવાં શ્રેયિત રાહ પર સાત્ત્વિક આચરણ સ્વરૂપે પ્રયાણ થાય એવું અર્થ ધન જ્યારે જ્ઞાની ભક્તો દ્વારા પ્રગટે, ત્યારે માત્ર જિજ્ઞાસુઓનો ઉદ્ધાર થાય એટલું તે સીમિત ન હોય. પરંતુ સદ્વિચારો રૂપે પ્રગટતી સાત્ત્વિક પ્રભાવની ઊર્જા શક્તિ વાતાવરણમાં, ધરતીના કણકણમાં પ્રસરી જાય છે. એટલે પ્રકૃતિ જગતમાં પણ સાત્ત્વિકભાવની ગુણિયલતાથી ઉન્નતિની ક્રિયાનો વિકાસશીલ વળાંક આવે છે. તેની સાબિતી એટલે જ અવનવી શોધની ઔદ્યોગિક ક્રાંતિ. જે માનવીને ભૌતિક વસ્તુઓનું સુખ આપે છે અને ભક્તોને ચિંતનના સમયની સુવિધા અર્પે છે.

       જેમકે મોટર કે પ્લેન દ્વારા મુસાફરી થાય, તો ઓછા સમયમાં પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકાય છે. એ જ રીતે મોબાઈલ, લેપટોપ વગેરે અનેક પ્રકારના આધુનિક યંત્રો છે. જેના લીધે વ્યવહારિક કાર્યો ઝડપથી થઈ શકે છે. એટલે સ્વમય ચિંતન કરવા માટેનો સમય મળે છે. જેમ આધુનિક યંત્રોની શોધખોળ કરવાનો પુરુષાર્થ વૈજ્ઞાનિકો કરતાં રહે છે અને તે પુરુષાર્થી કાર્યનું ફળ માનવીને સુવિધા રૂપે ભોગવવા મળે છે. અથવા માતા-પિતા રૂપિયાની કમાણી કરવાનો પુરુષાર્થ કરે અને તેનું ફળ બાળકો ભોગવે છે; તેમ જ્ઞાની ભક્તો દ્વારા જે સાત્ત્વિક કાર્યો થાય, તે સાત્ત્વિક કર્મના ફળ રૂપે સાત્ત્વિક ગુણોનું ઊર્જા ધન પ્રકૃતિ જગતમાં પ્રસરે છે અને બીજા જિજ્ઞાસુઓને સદ્વિચારોના કહેણ રૂપે પ્રાપ્ત થાય છે.

       આમ જ્ઞાની-ભક્તોના શ્રેયિત કર્તવ્યથી સાત્ત્વિક આચરણનો રાહ દર્શાવતું સદ્વિચારોનું ધન પ્રગટે છે. એવાં ધનના ઉપભોગથી માનવતાના પરોપકારી વર્તન થાય અને સ્વયંને જાણવાની ભક્તિની અંતરયાત્રા પણ થઈ શકે છે. એ સદ્વિચારોનું ધન જ્યાંથી પ્રગટે છે, ત્યાં નથી અહમ્ વૃત્તિનો અવરોધ, નથી ભેદભાવનું રાગ-દ્વેષાત્મક વર્તન, નથી ભૌતિક જગતના ભોગ્ય પદાર્થોને ભોગવવાની ઈચ્છા, નથી માન-સન્માન કે ખ્યાતિ મેળવવાની ઝંખના, નથી હું-તુંની દ્વૈત વૃત્તિના ભેદ, કે નથી ‘હું જાણું છું, મને બધુ આવડે છે’ એવાં અહંકારી કર્તાભાવની અજ્ઞાનતા, પણ ત્યાં તો છે પ્રભુ સાથેની ઐક્યતામાં એકરૂપ થયેલી આત્મીયતા. જ્ઞાની ભક્તનું અસ્તિત્વ પ્રભુભાવમાં એકરૂપ થઈ જાય. એવી એકરૂપતાની દિવ્ય ચેતના ધ્વનિ શક્તિ રૂપે સ્વયંભૂ અભિવ્યક્ત થાય, ત્યારે અભિવ્યક્તિના સદ્વિચારો દ્વારા ઉન્નતિનો પથ પ્રદર્શિત થાય અને જિજ્ઞાસુ ભક્તો માટે સદાચરણનું માર્ગદર્શન પ્રગટ થાય. સદ્વિચારોના ધનનો ઉપભોગ કરતાં રહીએ અને ‘હું નિરોગી આત્મા છું’ એવી જાગૃતિથી શ્ર્વાસના ધનને સ્વીકારીએ. જેથી ભક્તિભાવનો સંતોષ જીવતાં જ અનુભવી શકીએ.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

 

      

 

 

 

 

 

 

 

 

 

 

 

Read More
book img
સ્વ-અધ્યયનની બુદ્ધિનો ઉપયોગ નિષ્કામ ભાવથી કરો

ભેદભાવનું સંકુચિત વિચારોનું માનસ એટલે આકારિત લૌકિક જગતની અનેક પ્રકારની પરિસ્થિતિના વિચારો. એવાં વિચારોમાં સામાન્ય માનવીનું મન આળોટતું રહે છે અને એવાં વિચારો રૂપે ભોગ્ય વસ્તુઓ સાથે તથા સંબંધિત વ્યક્તિ સાથેના વ્યવહારનું વર્તન થતું રહે છે. એવાં વ્યવહારમાં મારું-તારું-પરાયું એવાં ભેદભાવનું વર્તન હોવાંથી, એકબીજા સાથેના સંબંધ રૂપી છોડ પર પ્રેમ રૂપી ફુલો ખીલતાં નથી. મોટેભાગે મન ભૂતકાળના વિચારોમાં આળોટતું રહે છે, એટલે એવાં જ વિચારોના વર્તનનું ભવિષ્ય માનવી પોતે જ ઘડે છે. એટલે અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનાં કર્મસંસ્કારો ઘટવાને બદલે વધતાં જાય છે. આવી ભૂલથી મુક્ત થવા માટે જિજ્ઞાસુ ભક્ત સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ કરવાનો પુરુષાર્થ કરતો રહે છે. ભાવાર્થ ગ્રહણ કરાવતાં જ્ઞાન-ભક્તિના સત્સંગની મહત્તા જેમ જેમ જિજ્ઞાસુ મનને સમજાતી જાય, તેમ તેમ એ શ્રવણ, અભ્યાસ, ચિંતનની આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરતો રહે છે.

       આમ છતાં અમુક મર્યાદિત સમયની સત્સંગની પ્રવૃત્તિઓ કરીએ, તો પણ ભૂતકાળના વિચારોમાં આળોટવાની ટેવથી મન સહજતાથી મુક્ત થતું નથી. કારણ ભવોના સંચિત કર્મના સંસ્કારો છે. તે કર્મસંસ્કારોની વૃત્તિઓના તાર માત્ર શ્રવણ કે અભ્યાસ કરતાં રહેવાંથી કપાતાં નથી. સ્વયંથી અજાણ રહેતાં મનની અજ્ઞાનતાના લીધે એટલે કે સ્વ સ્વરૂપની અજ્ઞાનતાના લીધે ‘હું શરીર છું’ એવી માન્યતાથી માનવી જીવન જીવે છે. એટલે ઈન્દ્રિયગમ્ય વિષયોના ભોગમાં જ સુખ કે આનંદનો અનુભવ થાય, એવી અજ્ઞાનતાથી જીવે છે. તેથી એક અતૃપ્ત ઈચ્છાની પૂર્તિ રૂપે જે પણ પ્રવૃત્તિ કરે, તે પ્રવૃત્તિ કરવામાં બીજી નવી ઈચ્છાઓની અતૃપ્તિ જનમતી રહે છે. અર્થાત્ આ મિનિટે જો મનપસંદ વાનગીનો ભોગ મન કરતું હોય, તો સ્વાદનો આનંદ ક્ષણ-બેક્ષણ માણે અને ભવિષ્યમાં ફરીવાર તે જ વાનગી ખાવાની ઈચ્છાના તાર મનમાં ગૂંથે છે. આમ અતૃપ્ત ઈચ્છાવૃત્તિઓની કારણભૂત સ્થિતિને માનવી પોતે જ સર્જાવે છે અને એવી કારણભૂત સ્થિતિના લીધે એવાં જ વિચાર-વૃત્તિના કાર્યો કરવા પડે છે.

       કારણ-કાર્યની ક્રિયામાં સામાન્ય રૂપે મન બંધાયેલું રહે છે. પરંતુ બંધાયેલું મન જો સત્સંગની પ્રવૃત્તિ ભક્તિભાવની નિષ્ઠાથી કરે, તો ભક્તિ રૂપે ભગવત્ ભાવની શક્તિનો પ્રભાવ જાગૃત થાય અને અજ્ઞાની વૃત્તિઓનું આવરણ છેદાતું જાય. ભક્તિભાવની નિષ્ઠાથી સ્વયંના આત્મ સ્વરૂપની માત્ર શબ્દોથી ઓળખ ન થાય, પણ પ્રભુની આત્મીય ચેતના સાથેની ઐક્યતા છે એવી પ્રતીતિ મનોમન થાય. ધીમે ધીમે પ્રભુની આત્મીય ચેતનાની સાક્ષાત્ હાજરીની સર્વેમાં પ્રતીતિ કરાવતું સત્ દર્શન ધારણ થાય. પછી હું કર્તા નથી, કરાવનાર પ્રભુની ચેતનાથી કાર્યો થાય છે, એવી અકર્તાભાવની જાગૃતિનું દાન ભક્તિની નિષ્ઠાથી ધારણ થતું જાય. મનનું ભક્ત સ્વરૂપ એટલે જ પ્રેમભાવનું નિ:સ્વાર્થી વર્તન. ભક્તનું મન સ્વ અધ્યયનમાં ભક્તિભાવથી સ્થિત થાય, ત્યારે આધ્યાત્મિક શબ્દોના અર્થ સમજ્યાં પછી તે અર્થની વાસ્તવિકતાને ગ્રહણ કરતો જાય. અર્થાત્ સ્વયંના પરિચય રૂપે જે ભાવાર્થ ગ્રહણ થાય એમાં ભાવની સાત્ત્વિકતાનો ઉજાગર થાય એવી સ્મરણ ભક્તિમાં તે લીન રહે. ‘હું તે છું’ એવા સ્મરણમાં પ્રભુ સાથેની ઐક્યતા અનુભવાય, પછી રાગ-દ્વેષાત્મક ભેદભાવના વિચાર-વર્તનમાં આળોટવાનું ભૂલાતું જાય અને સાત્ત્વિકભાવની ગુણિયલતા પ્રગટતી જાય.

      

       સંસારી વિચારોની ભેદભાવની પ્રકૃતિનો પહાડ ઓળંગવા માટે,

જ્ઞાન-ભક્તિથી મનને કેળવો;

       ગત વિચારોમાં આળોટવાનું છોડીને,

સ્વ અધ્યયનની બુદ્ધિનો ઉપયોગ નિષ્કામભાવથી કરો;

       દરેક જીવને સાત્ત્વિકભાવનું જીવન જિવાડવા માટે,

આત્મ સ્વરૂપે પ્રભુ તો જન્મથી સાથે જ રહ્યાં છે;

       અંતર જ્યોત પ્રગટાવતું ભક્તિભાવનું જીવન જે જીવે,

તેનો સારથિ પ્રભુ બની આત્મસ્થિત કરાવે.

 

       જિજ્ઞાસુ ભક્તના મનમાં સ્પષ્ટતા હોય છે, કે પ્રેમની નિ:સ્વાર્થતાથી જ દેહધારી જીવનનો આનંદ માણી શકાય છે. માનવીનું અતૃપ્ત ઈચ્છાઓવાળું મન, કોઈ પણ ઉપભોગની પ્રવૃત્તિઓ માત્ર પ્રેમ કે આનંદના અનુભવ માટે કરતું રહે છે. એટલે પ્રેમાનંદને અનુભવવા માટે મન ઝૂરે છે અને જ્યાં પ્રેમાનંદની એને ખોટ લાગે, ત્યાં સ્વાર્થ, લોભ, ઈર્ષ્યા વગેરે નકારાત્મક વિચાર-વર્તનથી પ્રેમને અનુભવવાનો પ્રયત્ન કરે છે. નકારાત્મક વિચારોમાં રાગ-દ્વેષનું વર્તન હોય, ત્યારે મનને દરેક પરિસ્થિતિમાં ઉણપ લાગે, ખોટ લાગે. એવું મન દરેક પરિસ્થિતિનો તોલમાપ સારું કે ખરાબ છે એવી સરખામણીથી કરતું રહે છે. તેથી પ્રેમના અનુભવમાં એને સંતોષ મળતો નથી. અસંતોષી મન ઈન્દ્રિયગમ્ય વિષયોના વિચારોમાં જ આળોટતું રહે છે. એવાં મનને સત્સંગ કે અભ્યાસ કરવાનું મુશ્કેલ લાગે છે. પરંતુ એવાં મનને પ્રભુની ઊર્જા શક્તિની સાક્ષાત્ હાજરીનો પરિચય જો વૈજ્ઞાનિક જ્ઞાનના સહારે થાય, તો ક્યારેક સ્વયંને જાણવાની જિજ્ઞાસા જાગૃત થઈ શકે.

       જે શાશ્ર્વત સત્ય છે તેનો સ્વીકાર તર્કબદ્ધ વિચારોથી ન થઈ શકે. પરંતુ વૈજ્ઞાનિક જ્ઞાનથી મનને જાણવાની તત્પરતા થાય છે. કારણ વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક જ્ઞાનના આધારે થયેલાં અનેક સંશોધનથી સુખ સગવડતાનું જીવન સૌ જીવે છે. મોબાઈલ ફોનની સુવિધાને સૌ માણે છે, પણ તે પ્રભુની ઊર્જા શક્તિના વિદ્યુતિ તરંગોથી ચાલે છે તે સત્ય સમજાય ત્યારે અજ્ઞાની મનને સમજાય, કે સર્વત્ર તે શક્તિનું જ પ્રસરણ છે અને તે જ શ્ર્વાસ રૂપે ક્ષણે ક્ષણે સૌને પ્રાપ્ત થાય છે. આવી સમજ રૂપે જ્યારે જિજ્ઞાસુભાવ જાગે, ત્યારે જિજ્ઞાસુ ભક્તની જેમ નિ:સ્વાર્થ પ્રેમભાવથી જીવવાનો નિર્ધાર થાય. પછી સરખામણી કરાવતાં ભેદભાવના વિચારો તો થાય, પણ સાથે સાથે સાત્ત્વિક વિચારોનો અભ્યાસ પણ થાય. અભ્યાસ-અધ્યયન ભક્તિભાવની નિષ્ઠાથી થતાં, ખોટી માન્યતાઓથી મન મુક્ત થતું જાય અને બાહ્ય જગતના પદાર્થોમાં સુખ શોધવાનો અજંપો શાંત થતો જાય. એવું શાંત મન ભક્તિભાવમાં લીન થઈ શકે અને પ્રેમાનંદની પ્રતીતિ કરાવતી અંતર યાત્રા કરી શકે.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

 

 

Read More
book img
હૃદયભાવની ભક્તિથી તરી જાવ ભવસાગર

આપણને માનવ શરીરનું સાધન મળ્યું છે. તે શરીરના ઉપયોગી હેતુથી જો માનવી પરિચિત થાય તો શરીરની નિરોગી સ્થિતિ અર્થે પોતાનો સ્વભાવ સુધારવાનો, એટલે કે મનની સાત્ત્વિકભાવની જાગૃતિ માટેનો પુરુષાર્થ થાય. આકારિત શરીરના સહારે મન પોતાની ઈચ્છાઓને તૃપ્ત કરાવતું જીવન જીવે છે. પરંતુ પશુ-પક્ષીની જેમ માત્ર ભૌતિક પદાર્થોને ભોગવવાનું જીવન જીવવાનું નથી, પણ સાત્ત્વિકભાવની નિર્મળતા ખીલે એવાં વિચાર-વર્તનથી જીવવું જોઈએ. તેથી બાળપણથી આપણાં મનની યોગ્ય કેળવણી માટે માતા-પિતા તથા શિક્ષકોએ સુસંસ્કારી વિચારોથી ઘડતર કર્યું. તે કેળવણીનો મુખ્ય હેતુ એ જ હતો કે સાત્ત્વિક આચરણથી મન અહંકારી વર્તનમાં અટવાઈ ન જાય, પણ સાત્ત્વિક વર્તન રૂપે સર્જનાત્મક પરોપકારી કાર્યો થાય અને હકારાત્મક સ્વીકારભાવથી જીવન જિવાય.

       સાત્ત્વિકભાવની જાગૃતિ એટલે વિકાસશીલ રચનાત્મક વિચારોનું પરોપકારી વર્તન, જે મારું-તારુંની સરખામણી કરવાનાં, ભેદભાવનાં વિચારોમાં બંધાયેલું ન રહે, પણ મહાભૂતોની પ્રકૃતિથી સર્જાયેલાં દેહની મૂળભૂત વાસ્તવિકતાને જાણવાનો પુરુષાર્થ કરે. એવો પુરુષાર્થ એટલે જ જિજ્ઞાસુ ભક્તની સ્વયંને જાણવાની તન્મયતા. જિજ્ઞાસુ ભક્તનો ધ્યેય એક જ હોય, કે સાત્ત્વિક ગુણોનાં સંસ્કારો ખીલતાં રહે અને પ્રારબ્ધગત જીવનની ઘટમાળમાં મન આસક્ત ન થાય, પણ ભક્તિભાવથી જીવન જિવાય. જેથી પ્રતિકૂળ સંજોગોમાં હતાશ થઈને મન વ્યથામાં ડૂબેલું ન રહે અને અનુકૂળ સંજોગોમાં ભોગ્ય પદાર્થોના સુખથી છકી ન જાય. અર્થાત્ સુખમય ભોગના વૈભવમાં અહંકારી વર્તનમાં મન લેપટાઈ ન જાય. કારણ અહંકારી વર્તનની હાજરીમાં સાત્ત્વિક ગુણોના સદાચરણની ગેરહાજરી રહે છે.

       બાળપણથી યુવાની સુધીમાં અથવા પ્રૌઢ વયની ઉંમર થાય ત્યાં સુધી ઘણાંની એવી ફરિયાદ રહે છે, કે પોતે જે ધારેલુ કે ઈચ્છેલું તે પ્રમાણેના કાર્યો ન કરી શક્યાં. અથવા ઈચ્છા મુજબની દિશામાં આજીવિકા માટેની પ્રવૃત્તિ કે કાર્યો કરી ન શક્યાં. આવી ફરિયાદી મનની ભીતરમાં ખિન્નતા રહે છે, ગમગીની છૂપાયેલી રહે છે. એવું મન નકારાત્મક વૃત્તિમાં જકડાયેલું રહે છે અને પોતાની ખિન્નતાને, ઉદાસીનતાને, ભૂલવા માટે ઈન્દ્રિયગમ્ય પદાર્થોના ભોગમાં સુખને શોધે છે. નકારાત્મક સ્વભાવની ઉદાસીનતાનો અનુભવ વધતે ઓછે અંશે થાય, એમાં સ્વયંથી અજ્ઞાત રહેતી મનની અજ્ઞાની સ્થિતિ કારણભૂત હોય છે. માનવી જો કારણભૂત અજ્ઞાનતાને દૂર કરવાનો પ્રયત્ન કરે, તો ઉદાસીનતાનું દુ:ખ પણ ઓછું થતું જાય. જિજ્ઞાસુ ભક્ત પોતાની અજ્ઞાની સ્થિતિને ઓગાળતી જ્ઞાન-ભક્તિની અંતર યાત્રાનો સહારો લે છે અને સાત્ત્વિક વિચારોનાં ચિંતનથી પ્રભુ સાથેની ઐક્યતાનો સ્વીકાર કરે છે. ચિંતનની સ્વયંને જાણવાની દિશામાં મન જો જિજ્ઞાસુભાવથી આપમેળે પ્રયાણ કરતું જાય, તો સમજી જવું કે પ્રભુની કૃપા સ્વરૂપે ગમગીન મનના સંઘર્ષને, અજ્ઞાની મનનાં મોહને ઓગાળતી ભક્તિભાવની નિખાલસતા જાગૃત થઈ છે.

       ભક્તિભાવની જાગૃતિ સ્વરૂપે સ્વની સૂક્ષ્મતાને-વિશાળતાને ગ્રહણ કરાવતી મનની જ્ઞાતા વૃત્તિ ખીલતી જાય. મગજના જ્ઞાનતંતુઓની તીક્ષ્ણતા વધતી જાય અને મહાભૂતોની પ્રકૃતિનો સમર્પણભાવની ક્રિયાનો ભાવાર્થ પરખાતો જાય. અનેક પ્રકારની પ્રકૃતિની ક્રિયાઓનાં જ્ઞાનમાં રાગ-દ્વેષાત્મક વિચારોમાં ફરતાં મનનો અહંકાર ઓગળતો જાય અને સાત્ત્વિકભાવની સહજતા જાગૃત થતી જાય. મનની એવી સહજ સ્થિતિમાં સમજાય, કે પ્રભુની ભગવત્ ભાવની ઊર્જા સર્વત્ર છે અને ઊર્જાની ચેતનાથી જીવંત જીવન જિવાય છે. તે ઊર્જાથી જ મહાભૂતોની પ્રકૃતિમાં સર્જન-વિસર્જનની અનેક પ્રકારની ક્રિયાઓ સતત થયાં કરે છે. એટલે જ દેહધારી જીવન પ્રકૃતિના સંગમાં જિવાય છે. સૂક્ષ્મ સમજની આવી જાગૃતિમાં મન જેમ જેમ તરતું રહે તેમ તેમ ભાવની સહજતા, નિર્મળતા પ્રગટતી જાય. ભાવની નિર્મળતામાં સાત્ત્વિક ગુણોનું સંસ્કારી આચરણ ધારણ થતું જાય, તેને કહેવાય ભક્તિભાવનું સદાચરણ.

       આમ ભક્તિભાવથી એટલે કે પ્રેમભાવથી, સમતોલભાવથી, સમર્પણભાવથી જીવન જીવવા માટેનો દૃઢ નિર્ધાર થાય, ત્યારે જિજ્ઞાસુ ભક્ત પોતાના અજ્ઞાની મનની ઉદાસીનતા રૂપી લાઈનની બાજુમાં સ્વયંને જાણવાની સ્વમય ચિંતન રૂપી લાંબી લાઈન દોરે છે. જેથી ઉદાસીન મનની વ્યથાઓને ઓગાળતું ભક્તિભાવનું સદાચરણ આપમેળે ધારણ થઈ શકે. ભક્તિ સ્વરૂપે પ્રભુની ભગવત્ ભાવની શક્તિ જાગૃત થાય છે. પ્રભુ તો દરેક દેહધારી જીવને ઊર્જા શક્તિના સહારે જિવાડે છે. પરંતુ મન જ્યાં સુધી અજ્ઞાની સ્થિતિના અંધકારમાં જીવે છે, ત્યાં સુધી પ્રભુની શક્તિની દિવ્યતા, કે સાત્ત્વિકતા, કે પ્રીતની સુમેળતા સુષુપ્ત રહે છે. એવી સુષુપ્તિના લીધે સદાચરણની સાત્ત્વિકતા ધારણ થતી નથી, એટલે મન અતૃપ્તિ કે અસંતોષને અનુભવે છે.

       જિજ્ઞાસુ ભક્તના મનમાં સૂક્ષ્મ સમજની સ્પષ્ટતા હોય છે, કે જે ભગવત્ ભાવની ઊર્જા શક્તિથી સર્જન-વિસર્જનની ક્રિયાઓ થતી રહે છે, તે જ શક્તિના સહયોગથી અજ્ઞાની મનની ઉદાસીનતા ઓગળી શકે છે. આવી સ્પષ્ટતાના લીધે એનું મન પ્રકૃતિ જ્ઞાનમાં, સ્વ જ્ઞાનમાં ભક્તિભાવથી સ્થિત થાય છે. જ્ઞાન સ્વરૂપે સાત્ત્વિક વિચારોનું ચિંતન થાય અને ચિંતનની સ્થિરતામાં સાત્ત્વિકભાવનો લેપ મન પર પથરાતો જાય અને અજ્ઞાની મનનો અંધકાર વિલીન થતો જાય. ભાવની સાત્ત્વિકતા મનને અંતર ભક્તિના ઊંડાણમાં સ્થિત કરાવે, પછી કોઈ પણ સ્તરની વ્યથા અવરોધક ન લાગે પણ રામસેતુ જેવી લાગે. જે આત્માની સાત્ત્વિકભાવની જાગૃતિનું બળ પૂરે અને આત્મજ્યોતનું દિવ્ય ગુણોનું ઑજસ સ્વયંભૂ પ્રગટતું જાય. મનોમન એકરાર થાય કે ભક્તિભાવથી, આત્મીય ગુણોની જાગૃતિને ધારણ કરવા માટે જ પ્રભુએ માનવ શરીરનું સાધન અર્પણ કર્યું છે.

 

       ભક્તિ સ્વરૂપે મનમાં પુરાય ભગવત્ ભાવની શક્તિ

અને જાગૃત થાય માનવતાનાં સંસ્કારો;

       દરેક પ્રકારની માનેવૃત્તિ સાથે પછી મેળ વધતો જાય

અને જીવનનો સાર સમજાતો જાય;

       મનની અજ્ઞાનતા પર ભક્તિનો લેપ પ્રસરે

અને આત્મ જ્યોતનું ઑજસ પ્રગટતું જાય;

       મનથી માનવી હારે ન કોઈ દી,

પણ હૃદયભાવની ભક્તિથી તે ભવસાગર તરી જાય.       

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

Read More
book img
તમે અંતરભક્તિમાં તલ્લીન થાવ

આપણે જાણીએ છીએ કે બોલવું હોય તો કંઠ ઈન્દ્રિય સાથે હોઠ ખોલવાની ક્રિયા પણ થવી જોઈએ. એ જ રીતે પગથી ચાલવું હોય તો પગ જમીન પર હોવાં જોઈએ. એ જ પ્રમાણે ભક્તિભાવમાં તરબોળ થવું હોય તો સ્વમય ચિંતનમાં મનને સ્નાન કરાવવું પડે. સ્વમય ચિંતન રૂપે સ્વયંની ઓળખ થતાં પ્રભુ સાથેની ઐક્યતાનો, એટલે કે આત્મીય સંબંધનો ભાવાર્થ સમજાય. ઐક્યતાની કે પ્રભુની આત્મીય ચેતનાની પ્રતીતિના આનંદ રૂપે જિજ્ઞાસુ ભક્તના મનમાં ભક્તિભાવની નિર્મળતા જાગૃત થાય છે. આજે એક વાર્તાના આધારે સ્વમય ચિંતનની મહત્તાને ગ્રહણ કરીએ અને ભક્તિભાવમાં તરબોળ થઈએ. જેથી હું પદને ઓગાળતી સમર્પણભાવની, કે અકર્તાભાવની જાગૃતિ ધારણ થઈ શકે.

       એક ગામમાં પૂજારી હતાં અને તેઓ પોતાના કુટુંબ સાથે મંદિરની પાસે રહેતા હતાં. બાળપણમાં જ તેમના માતા-પિતાએ આધ્યાત્મિક જ્ઞાનનું સિંચન કર્યું હોવાંથી, તેઓ ભક્તિભાવથી પૂજા કરતાં હતાં. તેથી મંદિરના વાતાવરણમાં ગામના લોકોને શાંતિનો અનુભવ થતો હતો. પૂજારીજીના પ્રેમાળ સ્વભાવના લીધે ગામના લોકો એમનો ખૂબ આદર કરતાં. મુશ્કેલીના કે દુ:ખના સમયમાં પ્રભુ કૃપાથી પૂજારીજી લોકોને ઉકેલ દર્શાવી આશ્ર્વાસન આપતાં હતાં. એટલે ગામના લોકો એમને પૂજનીય ગણી માન આપતા હતાં અને અંગત સંબંધીની જેમ સ્વીકારતાં હતાં. તે ગામના એક મુખ્ય વેપારી હતાં, તેમને પોતાની વેપારી બુદ્ધિનો બહુ જ ઘમંડ હતો. પૂજારીજી સાથે ગામના લોકો સન્માનપૂર્વક વ્યવહાર કરે, તે વેપારીને ગમતું ન્હોતું. એટલે કોઈ પણ રીતે પૂજારીજીનું અપમાન કરવાનો મોકો તેઓ શોધતાં રહેતાં. એકવાર સવારે વેપારી મંદિરે દર્શન કરવા આવ્યાં, ત્યારે પૂજારીજી ક્યાંક બહાર જતાં હતાં. તેથી વેપારીએ પૂછ્યું, "સવારમાં મંદિર છોડીને તમે ક્યાં જાવ છો? ચાલો હું પણ તમારી સાથે આવું છું.”

       વેપારીના મનોભાવને પૂજારીજી જાણી ગયાં, એટલે ઉત્તર આપવાનું એમને ઉચિત ન લાગ્યું. પરંતુ વેપારીએ બીજીવાર ખંધુ હાસ્ય કરીને પૂછ્યું, એટલે પૂજારીજીએ જવાબ આપ્યો કે,"હું સ્મશાનમાં ચિતા ઉપર સૂવા જાઉં છું, ચાલો આવવું છે મારી સાથે!” વેપારી બોલ્યાં કે,"કોઈ જીવતો માણસ ચિતા પર સૂવા જતો હશે?” પૂજારીજીએ કહ્યું, "તમે મારી સાથે ચાલો તો તમને ખબર પડશે.” એ સાંભળીને વેપારી જરા ગભરાઈ ગયાં. વિચારવા લાગ્યાં કે, હવે શું કરવું. મેં તો પૂજારીની મશ્કરી કરવાનું નક્કી કરેલું હવે એમની સાથે સ્મશાનમાં ક્યાં જાઉં? પોતાની વેપારી બુદ્ધિથી એણે પૂજારીજીને જણાવ્યું કે," મને આજે બહુ જ અગત્યનું કામ છે, તે પતાવ્યાં પછી હું તમને મળીશ.” જોગાનુજોગ એવું થયું કે બપોરે વેપારી અને પૂજારી રસ્તામાં એકબીજાની સામે આવી ગયાં. એટલે વેપારીએ પૂછ્યું કે, "તમે તો સ્મશાનમાં ચિતા પર સૂવા ગયેલા, તો પાછા કેવી રીતે આવ્યાં?”

       પૂજારીએ કહ્યું, "શું કરું તમે નહિ આવ્યાં એટલે પાછો આવ્યો. હવે તો તમને સાથે લઈને જ જઈશ.” તે સાંભળીને વેપારી તો ભયથી ધ્રુજવા લાગ્યા અને પૂજારીજી બીજું કંઈ બોલે તે પહેલાં પોતાના ઘર તરફ પાછા વળીને જોયાં વગર દોડવા લાગ્યાં. ઘરમાં આવીને બધા બારી-બારણાં બંધ કરીને રૂમમાં બેઠાં, ત્યારે એમને પૂજારીનો સાદ સંભળાયો, હું આવ્યો છું તમે બહાર આવો. પરંતુ વેપારી એ સાંભળીને પણ બહાર ન આવ્યાં. સાંજ પડી ત્યારે વેપારી ઘરની બહાર નીકળીને જોવાં લાગ્યાં કે પૂજારી ક્યાંક આજુબાજુ છુપાયા તો નથી, પણ પૂજારી ક્યાંય દેખાયા નહિ. એટલે વેપારીને ગુસ્સો આવ્યો કે, મને સ્મશાન લઈ જવા માટે મોટે મોટેથી સાદ પાડીને હેરાન કર્યો. હવે એમનાં ઘરે જઈને જાણું કે તેઓ ક્યાં છે. વેપારી તો પૂજારીના ઘરનું બારણું જોરથી ખખડાવતાં રહ્યાં થોડી ક્ષણો પછી પૂજારીની પત્નીએ બારણું ખોલીને કહ્યું, ‘તમે અંદર આવો, પૂજારીજીને તો બે દિવસથી સખત તાવ આવ્યો છે, એટલે પથારીમાંથી ઊઠી પણ શકતાં નથી. પરંતુ તમારા નામનો ઉચ્ચાર એમણે ચારથી પાંચવાર કર્યો હતો.’ તે સાંભળીને વેપારી આશ્ર્ચર્યચકિત થઈ ગયાં, કે આજે સવારે મને મળ્યાં, બપોરે મળ્યાં અને એમની પત્ની કહે છે કે તાવના લીધે બે દિવસથી પથારીમાં જ સૂતાં છે.!!

       વેપારીને પછી જાણવાની જિજ્ઞાસા થઈ કે આ કેવી રીતે શક્ય થયું. એટલે પૂજારીજીની પથારી પાસે જઈને ભાવપૂર્વક પ્રણામ કરી બેઠાં. થોડી ક્ષણો પછી પૂજારીજીએ સ્મિત કરતાં જણાવ્યું કે,‘હું તો પ્રભુ ભક્તિમાં લીન રહું છું. હું મંદિરમાં પૂજા કરું છું એવો વિચાર પણ મુજમાં સ્થાપિત થતો નથી. સ્વમય ચિંતનની અંતર ભક્તિની તલ્લીનતાના લીધે મારા દ્વારા જે પણ કાર્ય થાય છે, તે અકર્તાભાવથી થતાં રહે છે. ભક્તિની તલ્લીનતા રૂપી તાવના લીધે સંસારી વિચારોની આવનજાવન ઓછી રહે છે, એટલે કે ભક્તિભાવ રૂપી પથારીમાં અહમ્ વૃત્તિ સુષુપ્ત થઈને સૂતી રહે છે. તેથી પ્રભુની પ્રતીતિ સર્વત્ર થતી રહે છે. મુજમાં સમાયેલી પ્રભુની ચેતના મને માધ્યમ બનાવી, બીજા જિજ્ઞાસુઓનો ભક્તિભાવનો દીવો પ્રગટાવવા માટે પ્રકાશિત થયાં કરે છે. તે પ્રકાશિત ચેતનાનું દર્શન તમે મારા શરીરના આકારથી સવારે કર્યું, ત્યારે તમારો દીવો પ્રગટાવવા માટે પ્રભુ જ સ્વયંભૂ વાણી રૂપે પ્રગટ થઈને કહ્યું, કે સ્મશાનમાં ચિતા પર સૂવા જાઉં છું.

       ...એનો ભાવાર્થ એવો છે, કે મનની ચિતા જેવી સ્થિતિ થાય, તો અહમ્ કેન્દ્રિત વર્તન અથવા રાગ-દ્વેષાત્મક અજ્ઞાની વર્તનની આહુતિ અર્પણ થતી જાય. પછી સાત્ત્વિક વિચારોના ચિંતનથી મન ભાવભીની ભક્તિમાં સહજતાથી લીન થાય. એવાં મનમાં સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવનો અગ્નિ જાગે, જે જ્ઞાન-ભક્તિના સત્સંગથી પ્રજ્વલિત થાય, ત્યારે એકબીજાના દોષ જોવાનાં, કે વેરઝેર, કે ઈર્ષ્યાના વૃત્તિ-વિચારોને બાળી નાંખે એવાં પ્રેમભાવની આગને પ્રગટાવે છે. પ્રેમભાવની નિ:સ્વાર્થતામાં દુન્યવી વિચારોની છાપ મનમાં અંક્તિ થતી નથી. ભક્તિભાવની તલ્લીનતાનો તાવ, એટલે કે પ્રેમભાવની નિ:સ્વાર્થતા જ્યાં પ્રસરે, ત્યાં અજ્ઞાની અંધકારને મિટાવી દે. તમે ભાગ્યશાળી છો કે પ્રભુની વાણી જે મારા માધ્યમ થકી પ્રગટ થઈ, તેની સાથે સંવાદ કર્યો. તમારામાં જ્ઞાન-ભક્તિનો દીવો પ્રગટ થયો છે, તો સત્સંગ, અધ્યયન રૂપી ઘી ઉમેરતાં રહેજો. એક દિવસ તમારું મન પણ ભક્તિભાવની નિષ્ઠા રૂપી ચિતાની અગ્નિ જેવું બની જશે અને પ્રભુ આપને માધ્યમ બનાવી, બીજા માનવીઓમાં જિજ્ઞાસા જગાડી જ્ઞાન-ભક્તિનો દીવો પ્રગટાવશે. પરંતુ હું પ્રભુનું માધ્યમ છું એવાં વિચારોને ઓગાળી દેજો. હું ભક્ત છું અને બીજા અજ્ઞાની માનવીઓને જ્ઞાન-ભક્તિની યાત્રાનું માર્ગદર્શન ધરું છું, એવો એકબીજા સાથેની જુદાઈનો ભેદ નહિ રહે ત્યારે જ પ્રભુભાવની દિવ્ય ચેતના પ્રકાશિત થાય. અંતર ભક્તિમાં તમે તલ્લીન થાવ અને પ્રભુ કૃપાના અધિકારી પાત્ર બનો એ જ મારી પ્રાર્થના છે.”

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

Read More
book img
અણમોલ કૃપાનું દાન ધરો...

માતા-પિતાનો પ્રેમ એટલે બાળપણ રૂપી કળીનું સહજતાથી ખીલવું. બાળપણની કળીને ખીલવતો માતા-પિતાનો જે પ્રેમ છે તેનું સ્મરણ માનવીને મોટી ઉંમરે કરવું નથી પડતું. કારણ જે નિર્મળ પ્રેમની ધારા હોય, કે વહાલભર્યા સ્નેહની ધારા હોય, તેમાં જ્યારે જ્યારે મનનું સ્નાન થાય, ત્યારે થોડી ક્ષણો માટે મનનું વિચારવાનું સ્થગિત થાય છે, એટલે કે વિચારવાનું આપમેળે થંભી જાય છે. તેથી માતા-પિતાના પ્રેમનું, કે દાદા-દાદીના વહાલનું, કે મિત્રોના સ્નેહનું સ્મરણ મનના ઊંડાણમાં અંકિત રહે છે. દરેક માનવીના જીવનમાં માતા-પિતાની તથા શિક્ષકોની મહત્ત્વની ભૂમિકા હોય છે. તેઓની છત્રછાયામાં બાળમાનસનો સંભાળપૂર્વકનો ઉછેર થાય છે. માતાની વહાલભરી અમી દૃષ્ટિ બાળકની આસપાસ ફરતી રહે છે અને નાની નાની બાબતોનું, બાળકની એક એક ક્રિયાઓનું નિરીક્ષણ કરતી રહે છે. જેથી કોઈ ખોટી રીત કે ટેવ બાળક શીખે નહિ અને યોગ્ય વાણી-વર્તનથી બાળક શિક્ષિત થઈ શકે. આવી માતા-પિતાની તથા શિક્ષકની પ્રેમાળ હાજરી એટલે જ મનનો વિકાસ કરાવતી સીડી પર આરોહણ થવું.

       બાળપણમાં માતાના ખોળામાં જ્યારે બાળક સૂઈ જાય, ત્યારે માતાનો વહાલભર્યો હાથ ફરતો રહે, જેથી બાળક નચિંત થઈને સૂઈ જાય. માતાના તે હાથની અમૂલ્યતા દુનિયાની કોઈ પણ કિંમતી વસ્તુ સાથે સરખાવી શકાય એમ નથી. તેથી જ પ્રૌઢ ઉંમરે પણ માતાના ખોળાની હૂંફ ભુલાતી નથી અને તે વાહલભર્યા સ્પર્શનો, માતાના નિષ્કામ પ્રેમનો અનુભવ કરવા માટે મન ઝૂરતું રહે છે. મનનો એવો ઝુરાપો એટલે કે નિષ્કામ પ્રેમનો અનુભવ કરવાનો તલસાટ ત્યારે શાંત થાય, જ્યારે માનવી પોતેે માતા-પિતાની છત્રછાયા બની પોતાના બાળકનો ઉછેર કરે છે. આમ છતાં નિષ્કામ પ્રેમના અનુભવ રૂપે સહજ આનંદની સ્થિતિ તો ત્યારે જ અનુભવી શકાય, જ્યારે પ્રેમ અર્પણ કરવાની કે પ્રેમને ઝીલવાની આદાન-પ્રદાનની કોઈ વૃત્તિ-વિચાર ન હોય. એવાં નિ:સ્વાર્થ પ્રેમની અનુભૂતિ જ્ઞાન-ભક્તિની સરિતામાં તરતાં રહેવાથી થાય. અર્થાત્ ભક્ત ત્યારે પ્રેમને અનભુવે જ્યારે ભક્તિભાવ સ્વરૂપે એનું મન રાગ-દ્વેષના ભેદભાવથી, મારું-તારુંના સ્વાર્થી વિચાર-વર્તનથી મુક્ત થતું જાય. જ્ઞાન-ભક્તિની સરિતામાં તરવું એટલે સ્વયંના પરિચય રૂપે શ્રવણ, અધ્યયન, ચિંતનમાં મનનું ઓતપ્રોત થવું અને સદાચરણનો શણગાર ધારણ થવો.

       ભક્ત તો ભક્તિભાવ સ્વરૂપે અનુભવે, કે આ સૃષ્ટિનું સર્જન કરનારી પ્રભુની ઊર્જા શક્તિનો સ્વભાવ પણ એક માતા જેવો છે. ઊર્જા શક્તિની ચેતનાના વહેણ તો નિરપેક્ષભાવથી, કોઈ પણ ભેદભાવ વગર સતત વહેતાં રહે છે. સમર્પણભાવથી સતત અર્પણ કરવાનો પ્રભુની શક્તિનો દિવ્ય ભાવ છે. તે પૂજનીય શક્તિને કોઈ અપેક્ષા નથી, એટલે શ્રેયનું દાન અર્પણ કરતી તે શક્તિ જીવંત સ્વરૂપની કૃતિઓને સર્જાવતી રહે છે. જે પણ કૃતિઓ સર્જાય, તે મારી માલિકીની રહે અથવા મારા તાબામાં રહે એવી અપેક્ષા શક્તિમાં  ન હોવાંથી, દરેક કૃતિઓનો ઉછેર સ્વતંત્રતાથી થાય છે. સ્વતંત્રતા રૂપે દરેક જીવ પોતાની ઈચ્છા મુજબનું જીવન જીવી શકે છે. એવી સ્વતંત્રતા માણવા માટે પ્રભુની શક્તિને ઝીલી શકે એવું મનનું સાત્ત્વિકભાવનું આસન માનવીને અર્પણ થયું છે. તેથી માનવી પોતાની અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓને તૃપ્ત કરાવતું જીવન જીવી શકે છે અને પોતાની રીતે પોતાને ગમતી વસ્તુ, કે વ્યક્તિ, કે પરિસ્થિતિના સંગમાં જીવી શકે છે તથા પ્રેમને અનુભવવાનો પ્રયત્ન પણ કરી શકે છે.

       ભક્તિભાવ સ્વરૂપે સચ્ચિદાનંદ સ્વરૂપની પ્રભુની આત્મીય ચેતનાની પ્રતીતિમાં, ભક્તનું મન જેમ જેમ સ્થિત થતું જાય તેમ તેમ એનું મન વલોવાતું જાય. સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ થતો જાય અને નિ:સ્વાર્થ પ્રીતની સ્વાનુભૂતિમાં સ્થિત થવાની તરસ વધતી જાય. મનોમન સંવાદ થતો જાય અને ભક્તને પોતાની ભૂલોનું દર્શન થતાં એકરાર થતો જાય કે..,"હે પ્રભુ! મારા મનમાં આપના પ્રશુદ્ધ, નિરપેક્ષભાવનું પ્રતિબિંબ કેમ ઝીલાતું નથી. આપની દિવ્ય પ્રીતનું પ્રકાશિત પ્રતિબિંબ જો ક્ષણ માટે પણ ઝીલાય, તો મનનું સાત્ત્વિકભાવનું, એટલે કે સદાચરણનું કૌશલ્ય આપમેળે પ્રગટતું જાય. એવું કૌશલ્ય જ માનવતાથી દિવ્યતાની અંતરયાત્રાને વેગવંત કરાવી શકે છે. પરંતુ ભવોની મારી અતૃપ્ત ઈચ્છાઓ છે, જે કર્મસંસ્કારોના આવરણ રૂપે મારા મન પર પથરાયેલી છે, તે આપની સાથેની ઐક્યતા હોવાં છતાં આપણી વચ્ચે એક પડદો બનીને મને જુદાઈનો અનુભવ કરાવે છે. વાસ્તવમાં તું જ હું બનીને જીવે છે, જુદાઈ કે ભિન્નતા નથી તે સત્ય જ્ઞાન-ભક્તિના આચરણથી ગ્રહણ થયું. પરંતુ મને શરમ આવે છે કે આપની શક્તિના આધારે જીવું છું છતાં આપના જેવો નિ:સ્વાર્થભાવ મુજમાં સહજ જાગૃત થતો નથી!

       ..અક્ષર-શબ્દોનો આધાર લઈને આપણાં આત્મીય સંબંધથી પરિચિત થાઉં છું. સાત્ત્વિક ભાવાર્થ ગ્રહણ કરવાનો પુરુષાર્થ પણ કરું છું. જેથી મારા સ્વભાવનું પરિવર્તન થઈ શકે. સ્તુતિ-ભજનનું ગુંજન  કરતાં કરતાં ‘હું નથી આ તું જ છે’ એ સત્ય આત્મસાત થશે એવી શ્રદ્ધા છે. પરંતુ ભાવની નિર્મળતા, અહમ્ વૃત્તિની શરણાગતિ હજુ જોઈએ એટલાં પ્રમાણમાં જાગૃત નથી થઈ. કારણ ‘હું ભક્તિ કરું છું, હું પ્રભુની સ્તુતિ કરું છું, હું પ્રભુ સાથેની ઐક્યતાને જાણું છું.’ એવાં હું પદનું સમર્પણ થયું નથી. જ્યાં હું પદનો અહમભાવ રહે, ત્યાં આપની દિવ્ય શક્તિનું ગુણિયલ સામર્થ્ય સુષુપ્ત રહે છે. આપ એવી સુષુપ્તિને ભેદીને મુજને ભક્તિભાવથી જીવવાનું કૃપા બળ અર્પો છો. તે જાણીને મારા અહંકારી સ્વભાવની મને શરમ આવે છે, તેથી જ વારંવાર વિનવું છું કે,

 

ભક્તિભાવની ધ્યાનસ્થ સ્થિતિમાં સ્થિત રહેવાય,

એવી અણમોલ કૃપાનું દાન ધરો મુજને;

સર્વેમાં સમાયેલી આપની દિવ્ય ચેતનાના અણસારા ઝીલવાનો પ્રયત્ન કરતો રહું છું;

જેથી હું પદની ભૂલોનું દર્શન થાય

અને ભૂલોને ભુલાવતું આચરણ ભક્તિભાવથી જાગૃત થતું જાય;

મનની નિર્મળભાવની જાગૃતિની પારદર્શકતાને

આપની પ્રકાશિત ગતિમાં એકરૂપ કરાવજો.”

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

Read More
book img
સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવનો દીવો પ્રજ્વલિત થાય તો...

આપણે જે દુનિયામાં જીવીએ છીએ, જે પણ કાર્ય કે પ્રવૃત્તિ કરીએ છીએ, તે નામ-આકારવાળી આકૃતિઓની સંગમાં થાય છે. એટલે આંખોથી જોઈ શકાય એવી આકારિત કૃતિઓની સંગમાં રહેવાંથી, માનવી જેને આંખોથી જોઈ શકે છે તેને જ સાચું માને છે અને તેનાં જ વિચારો કે સ્મરણમાં રહે છે. પરંતુ માનવી એ સત્યને ભૂલી જાય છે, કે પ્રભુની આત્મીય ઊર્જા શક્તિને ભલે આંખોથી જોઈ શકાતી નથી, પણ તે છે તો હું છું અને આકારિત જગતની કૃતિઓ છે, તથા આકારિત જગતના કાર્યો થઈ શકે છે. જિજ્ઞાસુ ભક્ત આ સત્યના સ્વીકાર સાથે વંદનભાવથી જીવે છે અને પ્રભુની સાક્ષાત્ હાજરીનું સ્મરણ એને કરવું ન પડે એવાં સહજભાવથી સ્વમય ચિંતન સાથે તે અધ્યયન કરતો રહે છે. જેમ મારે મારા નામનું સ્મરણ કરવું પડતું નથી, અથવા માતા-પિતાનું કે અન્ય અંગત સંબંધીઓનું સ્મરણ વારંવાર કરવું પડતું નથી. કારણ તેઓની સંગમાં જીવન જિવાય છે, તેઓની હાજરી અનુભવાય છે તેથી તેઓનું સ્મરણ કરવું ન પડે, તેમ ભક્તને પણ પ્રભુનું સ્મરણ કરવું પડતું નથી.

       પ્રભુની સાક્ષાત્ હાજરીની પ્રતીતિના પ્રભાવથી ભક્ત જીવન જીવે છે. એટલે પ્રતીતિ રૂપે પ્રભુ સાથેની ઐક્યતાને તે જેમ જેમ અનુભવતો જાય, તેમ તેમ ‘હું શરીર નથી આત્મીય ચેતના છું, જેનું સચ્ચિદાનંદ સ્વરૂપ છે’ એવી સ્મૃતિ સ્વયંભૂ જાગૃત થતી જાય. સ્વયંની આવી સ્મૃતિ માત્ર શાસ્ત્રો વાંચવાથી જાગૃત ન થાય. થોડા વરસોના સત્સંગથી કે અધ્યયનથી સ્મૃતિ જાગૃત થશે, એવી સાબિતી પણ કોઈ આપી શકે એમ નથી. કારણ સ્વયંની સ્મૃતિમાં અવરોધક છે પોતાનું મન અને મનમાં વિવિધ પ્રકારના લૌકિક વૃત્તિ-વિચારોના તાર ગૂંથાતા રહે છે. જેનાં લીધે સાત્ત્વિક વિચારોના તાર મનમાં સરળતાથી ગૂંથાતા નથી, એટલે આધ્યાત્મિક ભાવાર્થ ગ્રહણ થતો નથી. તેથી આરંભમાં સાત્ત્વિક વિચારોનું અધ્યયન કરવાનો, પ્રભુનું સ્મરણ કરવાનો પુરુષાર્થ માનવીને કરવો પડે છે. રૂપિયાની કમાણી કરવાના કાર્યોમાં, કે પરિવારની જવાબદારીના કાર્યો કરવામાં સૌ માનવી વ્યસ્ત તો રહે, પણ એવી વ્યસ્તતામાંથી સમય કાઢીને સત્સંગ-અધ્યયન થાય, ત્યારે સમજવું કે સ્વયંની સ્મૃતિ કરાવતાં, જ્ઞાન-ભક્તિની યાત્રા કરાવતાં સંસ્કારો જાગૃત થયાં છે. જેમ શરીરનો ઉછેર વારસાગત સંસ્કારોની છાપ(જીન્સ) મુજબ થાય છે, તેમ મનની સ્વમય જાગૃતિના ઉછેર માટેના સંસ્કારો પણ મનમાં સમાયેલા હોય છે. જે કરેલાં સત્કર્મોના પરિણામ રૂપે તથા માતા-પિતાએ કરેલા સાત્ત્વિક આચરણના સિંચનથી જાગૃત થાય છે.

       સ્વયંને જાણવાનો જિજ્ઞાસુભાવનો દીવો જો પ્રભુ કૃપા રૂપે મનોમન પ્રજ્વલિત થાય, તો પ્રભુએ અર્પણ કરેલાં તન-મનના જીવંત જીવનની મહત્તા સમજાય. દેહની ગુણિયલ મહત્તા સમજાય, તો પ્રભુ સાથેની ઐક્યતાની, એટલે કે આત્મીય અસ્તિત્વની મહત્તાનો સ્વીકાર સહજતાથી થાય. પછી હું દેહ નથી, પ્રભુની આત્મીય ચેતનાનો જ અભિન્ન અંશ છું એ સત્યનો સ્વીકાર થાય. સ્વીકાર રૂપે ભક્તિભાવની નિર્મળતાથી અધ્યયનમાં મન તરબોળ થાય, ત્યારે પ્રભુની દિવ્ય પ્રીતની ચેતનાના સ્પંદનોને ઝીલવાની તૃષ્ણા જાગે પછી પ્રભુ મિલન રૂપે એકરૂપ થવાની ખરી તડપ જાગે. એવું નથી કે ભક્તના જીવનમાં મુશ્કેલી કે વીટંબણાઓ ન હોય. પરંતુ ભક્તિભાવની નિષ્ઠાના લીધે, ચિંતાજનક સ્થિતિમાં એનું મન ચિંતનમાં સ્નાન કરતું રહે છે અને સાત્ત્વિકભાવની જાગૃતિના અંતર પથ પર તે દૃઢતાથી પ્રયાણ કરતો રહે છે અને પ્રભુનો દિવ્ય ભાવ જાગૃત થાય એવી પ્રાર્થના કરતો રહે છે.

      

હે નાથ! આપની દિવ્ય પ્રીતની ચેતનામાં આપ મુજને ગતિમાન રાખો છો;

આપની પ્રકાશિત પ્રીતની ગતિના લીધે જ

અંતર પ્રયાણનું સ્વમય ચિંતન થયાં કરે છે;

આપના અનામી ચૈતન્યમાં સમાઈ જાઉં, એવી સ્વમય ભક્તિનું દાન ધરજો;

તથા ભક્તની હું ધારા છું એનું પણ વિસ્મરણ કરાવી આપનામાં સમાવી દેજો.

 

       આવી સ્વમય ભક્તિનું જીવન માનવી જીવી શકે, તે માટે જ મન-બુદ્ધિ-ચિત્ત સ્વરૂપનું અંત:કરણ પ્રભુએ દરેક માનવીને અર્પણ કર્યું છે. પરંતુ મનમાં રાગ, દ્વેષ, ઈર્ષ્યા, મારું-તારુંની સરખામણી કરવાના વિચારો જ્યાં સુધી રહે, ત્યાં સુધી સાત્ત્વિક વિચારોના ચિંતનમાં મન લીન થઈ શકતું નથી. અર્ધ જાગૃત મનમાં જે વિચારો સંગ્રહિત રહે છે, તે મુજબના વિચાર-વર્તનમાં મન બંધાયેલું રહે છે. તેથી મનને ખાલી કરવું પડે. આપણે નાના હતાં ત્યારે બધું જ મમ્મીને પૂછીને કરતાં હતાં. નિશાળમાં મસ્તી કરી હોય કે સારું કાર્ય કર્યું હોય, ઘરે આવીને મમ્મીને બધું જ કહી દેતાં હતાં. સારી-નરસી બધી વાતો મમ્મીને કહેવાથી આપણું મન ખાલી થઈ જતું અને ભણતરના નવાં વિચારો કરી શકતું હતું. ભક્ત એ જ રીતે પ્રભુની મૂર્તિ(છબી) સમક્ષ કરેલાં કર્મોની નિખાલસભાવથી કબૂલાત કરે છે. કોઈને માટે ઈર્ષ્યા થઈ હોય, દ્વેષ જાગ્યો હોય તો એવી ભૂલોની ક્ષમા માંગતા, ખુલ્લા દિલથી એકરાર થાય, પસ્તાવો થાય ત્યારે એવી ભૂલોનું પુનરાવર્તન ન થાય એવું મનોબળ પ્રભુ કૃપા રૂપે જાગૃત થતું જાય.

       મોટેભાગે માનવીના મનમાં રાગ-દ્વેષાત્મક વિચારોની આવનજાવનના લીધે, સાત્ત્વિક વિચારોના ચિંતનનું સ્મરણ મનમાં સ્થપાતું નથી. તેથી અંતર પ્રયાણ કરાવતું મનનું સામર્થ્ય જાગૃત થાય, મનની વિશાળતાનો, સૂક્ષ્મતાનો પ્રભાવ જાગૃત થાય એવી પ્રાર્થના નિખાલસભાવથી પ્રભુને કરતાં રહીશું તો કર્તાભાવનો અહંકાર ઓગળતો જશે અને પ્રભુ કૃપા સ્વરૂપે અકારણ નિર્મળ પ્રેમ અનુભવાશે. નકારાત્મક ભેદભાવના વિચારોની અશાંતિ ઓછી થતાં મન આપમેળે અંતરધ્યાનમાં એકાગ્ર થતું જશે. પ્રભુ મારી સાથે જ છે એવી ભાવના દૃઢ થતાં ચિંતા, કે અસુરક્ષાનો ભય નહિ રહે. મેં કરેલા કર્મોના પરિણામ રૂપે જીવનની સુખદ કે દુ:ખદ ઘટનાઓ ઉદ્ભવતી રહે છે, એ વાસ્તવિકતાનો પછી સરળતાથી સ્વીકાર થશે. તેથી જિજ્ઞાસુ ભક્તની જેમ પ્રભુ મારી સાથે છે અને મારા મનને અંતર પ્રયાણ કરાવતાં સાત્ત્વિકભાવમાં તરબોળ રાખે છે, એવી શરણભાવની નિષ્ઠાથી જીવન જીવવું જોઈએ. જેમ એક માતા પોતાના બાળકને ખવડાવે ત્યારે પોતાનું વહાલ વરસાવે છે અને તે વહાલથી જ બાળકનો વિકાસ થાય છે, તેમ પ્રભુની ચેતનાના વહાલથી આપણાં તન-મનના જીવનનો વિકાસ થાય છે અને ભક્તોને અંતરયાત્રાનું સાત્ત્વિક બળ મળે છે.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

Read More
book img
પ્રેમભાવ એ અનુભવનો વિષય છે

જિજ્ઞાસુ ભક્ત જીવંત જીવનનો મહિમા જાણે છે, કે દરેક દેહધારી જીવને શ્ર્વાસનું ધન પ્રભુ વિના મૂલ્યે અર્પણ કરતાં રહે છે. તે ધનના આધારે તન મનનો વિકાસ થતો રહે છે. તેથી તે અવિનાશી ધનને ધારણ કરનારા દરેક માનવીની જવાબદારી છે, કે તે ધનની ગુણિયલ સાત્ત્વિક પ્રતિભા તન-મનની ક્રિયા રૂપે પ્રગટ થવી જોઈએ. જવાબદારી એટલે જ ધાર્મિક આચરણનું વર્તન. અર્થાત્ જે ધન ક્ષણે ક્ષણે ધારણ થાય છે, તે ધારણ કરેલાં ધનનો સાત્ત્વિકભાવનો મર્મ જે કર્મ રૂપે પ્રગટે, તે છે ધાર્મિક ફરજ રૂપ કર્તવ્ય. તેથી જ જિજ્ઞાસુ ભક્ત ધાર્મિક આચરણ અર્થે સ્વયંના સ્વ સ્વરૂપથી પરિચિત થવાનો પુરુષાર્થ કરતો રહે છે. પરિચિત થવામાં સમજાતું જાય કે તન-મનને જીવંત રાખતાં પ્રભુના ધનની સાત્ત્વિક પ્રતિભા રાગ-દ્વેષાત્મક અહંકારી વર્તનનાં લીધે પ્રગટ થતી નથી. અજ્ઞાની, અહંકારી વર્તનની અશુદ્ધતાને ઓગાળવા માટે જિજ્ઞાસુ ભક્ત જ્ઞાન-ભક્તિની સરિતામાં તરાવતી આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો સહારો લે છે. એવી પ્રવૃત્તિ રૂપે શ્રવણ, અધ્યયન, ચિંતન થાય અને અહંકારી મનની અજ્ઞાનતા વિલીન થાય, ત્યારે ધાર્મિક આચરણનાં કર્તવ્ય થાય.

       ધાર્મિક આચરણ રૂપે ભક્તિભાવની નિખાલસતાથી જીવન જિવાય અને ભક્તનું મન શરણભાવથી પ્રભુને વિનંતિ કરતું રહે કે,"હે કૃપા નિધાન! મારા તન-મનને પ્રભુ નામનાં સ્મરણમાં, પ્રભુ નામના અધ્યયનમાં, પ્રભુ નામની સ્તુતિમાં, પ્રભુ નામના ભજનોમાં સાત્ત્વિકભાવની જાગૃતિથી ઓતપ્રોત રાખજો. જેથી આપનું જે અનામી ચૈતન્ય છે, આપનું જે અનંત તત્ત્વગુણોનું પ્રભુત્વ છે, તે મનની ભીતરમાં સુષુપ્ત ન રહે. પરંતુ જાગૃતિની ઊર્ધ્વગતિ સ્વરૂપે તે સ્વયંભૂ પ્રકાશિત થાય. તેથી મને એવા સદાચરણમાં સ્થિત રાખો, જે આપની સાથેની ઐક્યતાની પ્રતીતિ કરાવે અને સ્વાનુભૂતિ રૂપે પ્રકાશિત ચેતનાની અભિન્નતામાં એકરૂપ કરાવે. જ્ઞાન-ભક્તિની સરિતામાં તરાવતું આપનું અણમોલ દાન મળ્યું અને માનવ જન્મની સિદ્ધિને સાર્થક કરવાનો મોકો મળ્યો. ભક્તિભાવની સાત્ત્વિકતાથી વિચાર-વર્તનની સહજ ક્રિયા થાય છે અને મનોદૃષ્ટિ વિશાળ થતી જાય છે. હવે મહાભૂતોની પ્રકૃતિની રચનાનો હિતકારી આશય ગ્રહણ થાય છે અને આકાર-નિરાકારના જોડાણનો ભેદ સમજાય છે.

       ..હે નાથ, હવે કર્મ કે કાર્ય થાય છે, ત્યારે આકારમાં સમાયેલી નિરાકારિત ઊર્જાની ચેતનાનો સ્વીકાર પ્રથમ થાય છે. પછી કર્મની ક્રિયા થાય છે અને આપની પ્રત્યક્ષ હાજરીની પ્રતીતિ થાય છે. આપની પ્રતીતિ રૂપે નિરાકારિત, અમૂર્ત ચેતનાની અમૂલ્યતા પરખાય છે. જીવંત જીવનનો મહિમા અને આકાર-નિરાકારના જોડાણની મહત્તા હવે સરળતાથી ગ્રહણ થાય છે. આકારિત જગતને સર્જાવીને નિરાકારિત ચેતનાની સુંદરતાનો, એટલે કે આપની અપૂર્વ, અનંત ગુણિયલતાનો અણસારો ધર્યો છે. એવા અણસારાથી મનોદૃષ્ટિની વિશાળતા સ્વયંની અનુભૂતિ કરાવતી અંતર ભક્તિમાં એકરૂપ થાય છે. અંતર ભક્તિના પ્રભાવથી એકમની યાત્રા થતી રહે એવી અનન્ય કૃપા વરસાવતાં રહેજો.” ભક્તની આવી વિનંતિના સૂરમાં સાત્ત્વિકભાવનું સંવેદન પ્રગટતું જાય અને સંવેદનના નિવેદન રૂપે એના વિચારો શાંત થતાં ભાવની નિ:સ્વાર્થતાનો ઉજાગર આપમેળે થતો જાય.

      

અંતર ભક્તિની શાંતિ ધરે અંતર ભોગની સૂક્ષ્મતા, જે અર્પે સ્વાનુભૂતિની વિશેષતા;

અંતર ભોગનો યોગ થાય, ત્યારે અનુભવાય જગતની કૃતિઓમાં પ્રભુની આવૃત્તિ;

આવૃત્તિના વાણાંતાણાં જોડાય અને વણાય, પ્રભુ ભાવના અનન્ય તાર;

ભક્તનું અસ્તિત્વ બને પછી ભક્તિનું ધામ, જે પ્રસરાવે પ્રભુભાવની દિવ્ય પ્રીત.

 

       ભક્તિની આવી અંતર યાત્રા દરેક જિજ્ઞાસુ કરી શકે છે. પરંતુ જિજ્ઞાસુ માનવી મોટેભાગે સાત્ત્વિક વિચારોના સત્સંગથી માત્ર જાણકાર થાય છે. સ્વયંથી જાણકાર થયા પછી જ્ઞાન-ભક્તિની સરિતામાં સ્વાનુભૂતિ સ્વરૂપે તરતાં રહેવાનું હોય અને અંતરની સૂક્ષ્મતામાં ભક્તિભાવથી એકરૂપ થવાનું હોય. અજ્ઞાની અહંકારી વર્તનની અશુદ્ધિ ભક્તિભાવથી જ વિલીન થઈ શકે. હું અને પ્રભુ જુદાં છે એવી ભેદ દૃષ્ટિ પછી ઓગળતી જાય અને અંતર ભક્તિમાં ધ્યાનસ્થ થવાય. જિજ્ઞાસુ ભક્તને અંતર ભક્તિની સૂક્ષ્મતા સરળ ન લાગે. કારણ અંતર ભક્તિમાં સાત્ત્વિક વિચારોનું અધ્યયન ન હોય. આધ્યાત્મિક સમજણની ચર્ચા ન હોય, પણ ભાવનું સંવેદન હોય જેનું સ્વયંભૂ સ્ફુરણ થાય. જેમ સવારે અજવાળું થાય પછી રાત્રિના અંધકારને વાગોળવાનું ન હોય, તેમ જે વિચારોનાં અધ્યયનથી અહંકારી, અજ્ઞાની મનનો અંધકાર વિલીન થયો તે વિચારોને પછી વાગોળવાનું ન હોય, પરંતુ તેના ભાવાર્થને ગ્રહણ કરાવતાં ભક્તિભાવમાં ધ્યાનસ્થ રહેવાનું હોય. ભક્તિભાવમાં ધ્યાનસ્થ રહેવું એટલે પ્રેમભાવની નિર્મળતાથી જીવવું.

       પ્રેમભાવ એ અનુભવનો વિષય છે, એને શબ્દોથી જણાવી ન શકાય. તે પ્રેમભાવ છે પ્રભુની દિવ્ય ચેતનાનો સ્વભાવ. દિવ્ય પ્રેમની ખોટમાં માનવી જીવે છે. તેથી મનગમતી વ્યક્તિના સંગમાં, કે ભોગ્ય પદાર્થોના સંગમાં પ્રેમના સંતોષને અને તૃપ્તિને અનુભવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તૃપ્તિનો અનુભવ થતો નથી. કારણ જે મનને અનુભવ કરવો છે તે રાગ-દ્વેષાત્મક નકારાત્મક વિચારોથી ડહોળાયેલું રહે છે. મનની નકારાત્મક સ્વભાવની ડહોળાયેલી સ્થિતિમાં, નિર્મળ પ્રેમના અનુભવનું પ્રતિબિંબ ઝીલવાની સમર્થતા ન હોવાંથી, પ્રેમાળ સંબંધોમાં ખોટ, ઉણપની અતૃપ્તિ જ અનુભવાય છે. એવું મન જો દૃઢતાપૂર્વક નકારાત્મક વિચારોથી છૂટાછેડા લેવાનો નિર્ણય કરે તો પ્રભુ કૃપા સ્વરૂપે ભક્તિભાવથી મન રંગાતુ જાય. તે માટે છૂટાછેડા લેવાના નિર્ણયને એક કાગળ પર લખી, તે કાગળ દિવસ દરમિયાન વારંવાર નજર સમક્ષ આવે એ રીતે રાખવો. જેથી કરેલાં નિર્ણયનો સંકલ્પ પૂરો કરવાનું સ્મરણમાં રહે અને પ્રેમભાવની તૃપ્તિના અંતર પથ પર પ્રયાણ થઈ શકે. એવાં શુભ સંકલ્પમાં કોઈ નકારાત્મક વિચારોની અથડામણ ન આવે એવી પ્રભુને પ્રાર્થના કરતાં રહીએ.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

Read More
book img
મારા સારથિ બની અંતર સ્થિત કરો

આપણાં સૌનાં જીવનમાં કે પ્રકૃતિ જગતમાં અકારણ કંઈ પણ થતું નથી. જે પણ કાર્ય રૂપે પ્રવૃત્તિ થાય છે. તેની પાછળ કારણભૂત સ્થિતિ જવાબદાર હોય છે. જગતમાં થતી કોઈ પણ પ્રવૃત્તિઓ કારણ-કાર્યની ક્રિયાથી થતી રહે છે. તેથી અકારણ કંઈ થતું નથી અને થશે પણ નહિ એવી સ્પષ્ટ સમજ સાથે ભક્ત જીવે છે. ભક્તના મનમાં કર્મ-ફળના સિદ્ધાંતની એટલે કારણ-કાર્ય રૂપે થતી ક્રિયાઓની સ્પષ્ટ સમજ અંકિત રહે છે. તેથી કરેલા કર્મોના પરિણામ રૂપે વર્તમાન સમયમાં વર્તન રૂપે જે ક્રિયા થાય, તેને ભક્તિભાવની નિષ્ઠાથી ભક્ત કરતો રહે છે. જેથી મનની અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓને તૃપ્તિનો રાહ મળે અને મન શાંત ચિત્તે સ્વયંને જાણવાની અંતર યાત્રા કરી શકે. ભક્તિભાવની નિષ્ઠાથી કર્મ કરવું એટલે પ્રેમભાવ, અર્પણભાવ, આદરભાવ, સહકારભાવ વગેરે ભાવની સાત્ત્વિકતાથી કર્મ થાય, તો અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનો સામાન ઘટતો જાય અને કરેલાં કર્મોના હિસાબ પૂરા થતાં જાય.

       અતૃપ્ત વૃત્તિઓ રૂપી કારણભૂત સ્થિતિના લીધે વિચાર-વર્તન રૂપે કાર્ય પ્રગટે છે. તે કારણભૂત સ્થિતિ જ્યારે ભક્તિભાવની નિષ્ઠાથી સાત્ત્વિક વિચાર-વર્તનના કાર્યને પ્રગટાવે, ત્યારે મનનો અતૃપ્તિનો સ્વભાવ બદલાતો જાય અને સાત્ત્વિક પરમાર્થી સ્વભાવની ગુણિયલતા પ્રગટતી જાય. પરમાર્થી ગુણિયલતા છે મનની ભક્ત સ્વરૂપની સમર્થતા. એવી સમર્થતા દરેક માનવીના મનમાં સમાયેલી છે. પરંતુ અતૃપ્ત મનની અજ્ઞાનતાના લીધે સ્વયંની સમર્થતા મનોમન ઢંકાયેલી રહે છે. અજ્ઞાનતાના લીધે માનવી પોતાને જન્મ લેનારો અને મૃત્યુ પામનારો શરીરનો આકાર માને છે. પોતે આકારિત શરીર છે એવી માન્યતાના લીધે માનવી પોતાના સ્વ સ્વરૂપથી અજાણ રહે છે અને પ્રભુ સાથેના આત્મીય સંબંધની સાત્ત્વિકતાને અનુભવી શકતો નથી. પ્રભુ સાથેની ઐક્યતાના લીધે કારણ-કાર્યની ક્રિયાઓનું જીવન જીવી શકાય છે એવી સૂક્ષ્મ સમજનું કૌશલ્ય જો જાગે, તો પ્રભુની ગુણિયલતાને ભક્તિભાવની નિષ્ઠા રૂપે અનુભવી શકાય.

       દૂધમાં જેમ ઘી સમાયેલું છે પણ ઘીનું પ્રત્યક્ષ દર્શન કરવું હોય તો દૂધને ગરમ કરીને ઠંડુ કરવું પડે, પછી મલાઈના પડને કાઢીને વલોવવું પડે. સારી રીતે વલોવાયાં પછી માખણ છૂટું પડે અને તે માખણને ગરમ કરવામાં આવે ત્યારે ઘીનું પ્રત્યક્ષ દર્શન થઈ શકે. એ જ રીતે માનવી મનમાં પ્રભુની આત્મીય ચેતના સમાયેલી છે. તે દિવ્ય ચેતનાની ગુણિયલ પ્રતિભા વિચાર-વર્તન રૂપે ત્યારે અનુભવાય, જ્યારે શ્રવણ, અધ્યયન, ચિંતન વગેરે સત્સંગની પ્રવૃત્તિઓથી મન રૂપી દૂધ ગરમ થાય. મનનું ગરમ થવું એટલે જ સ્વયંને જાણવાનો તીવ્ર જિજ્ઞાસુભાવ જાગૃત થવો. જિજ્ઞાસુ મન જેમ જેમ મહાભૂતોની પ્રકૃતિ સાથેના પરસ્પર સંબંધને તથા પ્રભુની દિવ્ય ચેતના સાથેના આત્મીય સંબંધને જાણતું જાય, તેમ તેમ મનનો રાગ-દ્વેષાત્મક અહંકારી સ્વભાવનો કોલાહલ શાંત થતો જાય. અદેખાઈ, વેરઝેર, મારું-તારું એવાં વૃત્તિ-વિચારોનો કોલાહલ ઓછો થવો એટલે જિજ્ઞાસુ મન રૂપી દૂધનું ઠંડુ થવું. જિજ્ઞાસુ મન ઠંડુ થાય એટલે પ્રતિકૂળ ઘટનાથી ઉશ્કેરાઈ ન જાય અને અનુકૂળ ઘટનાથી આકર્ષાઈને એમાં જ ઘેરાઈને ન રહે.

       મોટેભાગે માનવી મન કોઈ પણ પ્રકારની ઘટનાને પ્રતિક્રિયાથી સ્વીકારે છે. મન સહજ નથી સ્વીકારતું, કે પોતે કરેલાં કર્મોના પરિણામ રૂપે જીવનની ઘટનાઓ ઘડાતી રહે છે. પ્રતિક્રિયાના ઉશ્કેરાટથી જ્યારે વિચાર-વર્તનની ક્રિયાઓ થાય, ત્યારે માનસિક તાણ વધતી જાય અને પોતાની અપેક્ષા મુજબ કાર્ય ન થાય તો ગુસ્સાનો ધુમાડો પ્રગટ થયાં કરે. એવો ધુમાડો મનના સાત્ત્વિક સ્વભાવને પ્રગટવા ન દે, એટલે તાણની તંગ સ્થિતિ મન પર પથરાયેલી રહેતાં, ગુસ્સો, કપટ, દંભ વગેરે નકારાત્મક વિચાર-વર્તનમાં મન ગૂંથાતું રહે છે. જિજ્ઞાસુ ભક્તના મનનો ઉશ્કેરાટ પ્રમાણમાં ઓછો રહે છે. કારણ તે સ્વયંની ઓળખ રૂપે મનની ભક્તિભાવની સાત્ત્વિકતા જાગૃત થાય એવાં પુરુષાર્થથી જીવે છે. એવો પુરુષાર્થ એટલે જ મનને સદ્વિચારોના ચિંતનથી કેળવવું. જેમ દૂધની મલાઈને ખૂબ વલોવીએ અને માખણ છૂટું પડે, તેમ સદ્વિચારોના ચિંતનથી મન વલોવાતું જાય અને સાત્ત્વિક ભાવાર્થ રૂપી માખણ છૂટું પડતાં, ભક્તિભાવની સાત્ત્વિકતા ધારણ થતી જાય.

              મનનો તાણભર્યો પ્રતિક્રિયા કરતાં રહેવાનો ઉશ્કેરાટ જેમ જેમ અધ્યયન, ચિંતનથી ઓછો થતો જાય, તેમ તેમ ભાવની સાત્ત્વિકતા જાગૃત થતી જાય. જિજ્ઞાસુ ભક્ત પોતાની ભૂલોથી જાણકાર થઈને સ્વમય ચિંતનથી મનને વલોવતો રહે અને એકરાર કરતો રહે કે," હે પ્રભુ! સાચો નિ:સ્વાર્થ પ્રેમ મેં અનુભવ્યો તારા સ્મરણમાં, તારી ભક્તિભાવના અંતરધ્યાનમાં. એવો પ્રેમ કંઈ વાર તહેવારે યાદ કરવાથી કે ઉપવાસ કરવાથી, કે જપ મંત્ર લખવાથી અનુભવાતો નથી. કારણ જ્યાં સુધી ચિંતનથી મન વલોવાતું નથી, ત્યાં સુધી સાત્ત્વિકભાવ રૂપી માખણ જેવી પ્રેમની સહજતા અનુભવાતી નથી. આપની કૃપાથી સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ થાય છે અને સરખામણી કરવાના વિચારો શાંત થતાં જાય છે. હવે ભક્તિભાવની માખણ જેવી કોમળતા આપમેળે પ્રસરે છે અને દરેક પ્રવૃત્તિમાં આપની પ્રતીતિ અનુભવાય છે. આ જીવનમાં અંતરયાત્રા કરાવવા માટે જ તમે મારામાં વસીને, મારા સારથિ બનીને અંતર સ્થિત કરો છો.”

       એકરાર સાથેનાં ચિંતનથી મનની સાત્ત્વિક પ્રતિભા જાગૃત થાય, ત્યારે વિચારો ઓછા થતાં જાય અને ભાવનું સંવેદન અનુભવાય. વિચારો રૂપી પગથિયાં જ્યાં હોય, ત્યાં ભાવ રૂપી વહેણની ધારા ન વહે. જેમ નદી કિનારે ઘાટના પગથિયાં ઊતરીએ પછી નદીના પાણીનો સ્પર્શ થાય. ઘાટના પગથિયાં નદીના પાણીથી ભીના થતાં રહે છે. પણ જ્યાં પગથિયાં નથી, ત્યાં પાણીના વહેણની અખંડ ધારા વહે છે, તેમ સાત્ત્વિક વિચારોનાં ચિંતન રૂપી પગથિયાં પરથી પસાર થઈને અંતરધ્યાનની ભાવ ધારામાં મનનું સ્નાન થતું જાય, પછી સ્વાનુભૂતિના દિવ્ય પ્રકાશથી મન બની જાય ભાવની ચેતના, તેને કહેવાય મન રૂપી દૂધમાં સમાયેલ ઘીનું પ્રત્યક્ષ દર્શન થવું. મનનું ભાવ સ્વરૂપનું ચૈતન્ય પ્રગટાવવા માટે શ્રીકૃષ્ણ પરમાત્મા આપણાં મનને વલોવવા પ્રેમભાવની જાગૃતિનું દાન ધરે, ત્યારે જ્ઞાન-ભક્તિના વહેણમાં મન ઝબોળાઈ જાય. પ્રભુને વિનંતિ કરતાં રહીએ કે ગોપીની જેમ આપણું મન વલોવાતું રહે અને અંતર જ્યોતના પ્રકાશમાં પ્રકાશિત થતું રહે.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

આપણાં સૌનાં જીવનમાં કે પ્રકૃતિ જગતમાં અકારણ કંઈ પણ થતું નથી. જે પણ કાર્ય રૂપે પ્રવૃત્તિ થાય છે. તેની પાછળ કારણભૂત સ્થિતિ જવાબદાર હોય છે. જગતમાં થતી કોઈ પણ પ્રવૃત્તિઓ કારણ-કાર્યની ક્રિયાથી થતી રહે છે. તેથી અકારણ કંઈ થતું નથી અને થશે પણ નહિ એવી સ્પષ્ટ સમજ સાથે ભક્ત જીવે છે. ભક્તના મનમાં કર્મ-ફળના સિદ્ધાંતની એટલે કારણ-કાર્ય રૂપે થતી ક્રિયાઓની સ્પષ્ટ સમજ અંકિત રહે છે. તેથી કરેલા કર્મોના પરિણામ રૂપે વર્તમાન સમયમાં વર્તન રૂપે જે ક્રિયા થાય, તેને ભક્તિભાવની નિષ્ઠાથી ભક્ત કરતો રહે છે. જેથી મનની અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓને તૃપ્તિનો રાહ મળે અને મન શાંત ચિત્તે સ્વયંને જાણવાની અંતર યાત્રા કરી શકે. ભક્તિભાવની નિષ્ઠાથી કર્મ કરવું એટલે પ્રેમભાવ, અર્પણભાવ, આદરભાવ, સહકારભાવ વગેરે ભાવની સાત્ત્વિકતાથી કર્મ થાય, તો અતૃપ્ત ઈચ્છા વૃત્તિઓનો સામાન ઘટતો જાય અને કરેલાં કર્મોના હિસાબ પૂરા થતાં જાય.

       અતૃપ્ત વૃત્તિઓ રૂપી કારણભૂત સ્થિતિના લીધે વિચાર-વર્તન રૂપે કાર્ય પ્રગટે છે. તે કારણભૂત સ્થિતિ જ્યારે ભક્તિભાવની નિષ્ઠાથી સાત્ત્વિક વિચાર-વર્તનના કાર્યને પ્રગટાવે, ત્યારે મનનો અતૃપ્તિનો સ્વભાવ બદલાતો જાય અને સાત્ત્વિક પરમાર્થી સ્વભાવની ગુણિયલતા પ્રગટતી જાય. પરમાર્થી ગુણિયલતા છે મનની ભક્ત સ્વરૂપની સમર્થતા. એવી સમર્થતા દરેક માનવીના મનમાં સમાયેલી છે. પરંતુ અતૃપ્ત મનની અજ્ઞાનતાના લીધે સ્વયંની સમર્થતા મનોમન ઢંકાયેલી રહે છે. અજ્ઞાનતાના લીધે માનવી પોતાને જન્મ લેનારો અને મૃત્યુ પામનારો શરીરનો આકાર માને છે. પોતે આકારિત શરીર છે એવી માન્યતાના લીધે માનવી પોતાના સ્વ સ્વરૂપથી અજાણ રહે છે અને પ્રભુ સાથેના આત્મીય સંબંધની સાત્ત્વિકતાને અનુભવી શકતો નથી. પ્રભુ સાથેની ઐક્યતાના લીધે કારણ-કાર્યની ક્રિયાઓનું જીવન જીવી શકાય છે એવી સૂક્ષ્મ સમજનું કૌશલ્ય જો જાગે, તો પ્રભુની ગુણિયલતાને ભક્તિભાવની નિષ્ઠા રૂપે અનુભવી શકાય.

       દૂધમાં જેમ ઘી સમાયેલું છે પણ ઘીનું પ્રત્યક્ષ દર્શન કરવું હોય તો દૂધને ગરમ કરીને ઠંડુ કરવું પડે, પછી મલાઈના પડને કાઢીને વલોવવું પડે. સારી રીતે વલોવાયાં પછી માખણ છૂટું પડે અને તે માખણને ગરમ કરવામાં આવે ત્યારે ઘીનું પ્રત્યક્ષ દર્શન થઈ શકે. એ જ રીતે માનવી મનમાં પ્રભુની આત્મીય ચેતના સમાયેલી છે. તે દિવ્ય ચેતનાની ગુણિયલ પ્રતિભા વિચાર-વર્તન રૂપે ત્યારે અનુભવાય, જ્યારે શ્રવણ, અધ્યયન, ચિંતન વગેરે સત્સંગની પ્રવૃત્તિઓથી મન રૂપી દૂધ ગરમ થાય. મનનું ગરમ થવું એટલે જ સ્વયંને જાણવાનો તીવ્ર જિજ્ઞાસુભાવ જાગૃત થવો. જિજ્ઞાસુ મન જેમ જેમ મહાભૂતોની પ્રકૃતિ સાથેના પરસ્પર સંબંધને તથા પ્રભુની દિવ્ય ચેતના સાથેના આત્મીય સંબંધને જાણતું જાય, તેમ તેમ મનનો રાગ-દ્વેષાત્મક અહંકારી સ્વભાવનો કોલાહલ શાંત થતો જાય. અદેખાઈ, વેરઝેર, મારું-તારું એવાં વૃત્તિ-વિચારોનો કોલાહલ ઓછો થવો એટલે જિજ્ઞાસુ મન રૂપી દૂધનું ઠંડુ થવું. જિજ્ઞાસુ મન ઠંડુ થાય એટલે પ્રતિકૂળ ઘટનાથી ઉશ્કેરાઈ ન જાય અને અનુકૂળ ઘટનાથી આકર્ષાઈને એમાં જ ઘેરાઈને ન રહે.

       મોટેભાગે માનવી મન કોઈ પણ પ્રકારની ઘટનાને પ્રતિક્રિયાથી સ્વીકારે છે. મન સહજ નથી સ્વીકારતું, કે પોતે કરેલાં કર્મોના પરિણામ રૂપે જીવનની ઘટનાઓ ઘડાતી રહે છે. પ્રતિક્રિયાના ઉશ્કેરાટથી જ્યારે વિચાર-વર્તનની ક્રિયાઓ થાય, ત્યારે માનસિક તાણ વધતી જાય અને પોતાની અપેક્ષા મુજબ કાર્ય ન થાય તો ગુસ્સાનો ધુમાડો પ્રગટ થયાં કરે. એવો ધુમાડો મનના સાત્ત્વિક સ્વભાવને પ્રગટવા ન દે, એટલે તાણની તંગ સ્થિતિ મન પર પથરાયેલી રહેતાં, ગુસ્સો, કપટ, દંભ વગેરે નકારાત્મક વિચાર-વર્તનમાં મન ગૂંથાતું રહે છે. જિજ્ઞાસુ ભક્તના મનનો ઉશ્કેરાટ પ્રમાણમાં ઓછો રહે છે. કારણ તે સ્વયંની ઓળખ રૂપે મનની ભક્તિભાવની સાત્ત્વિકતા જાગૃત થાય એવાં પુરુષાર્થથી જીવે છે. એવો પુરુષાર્થ એટલે જ મનને સદ્વિચારોના ચિંતનથી કેળવવું. જેમ દૂધની મલાઈને ખૂબ વલોવીએ અને માખણ છૂટું પડે, તેમ સદ્વિચારોના ચિંતનથી મન વલોવાતું જાય અને સાત્ત્વિક ભાવાર્થ રૂપી માખણ છૂટું પડતાં, ભક્તિભાવની સાત્ત્વિકતા ધારણ થતી જાય.

              મનનો તાણભર્યો પ્રતિક્રિયા કરતાં રહેવાનો ઉશ્કેરાટ જેમ જેમ અધ્યયન, ચિંતનથી ઓછો થતો જાય, તેમ તેમ ભાવની સાત્ત્વિકતા જાગૃત થતી જાય. જિજ્ઞાસુ ભક્ત પોતાની ભૂલોથી જાણકાર થઈને સ્વમય ચિંતનથી મનને વલોવતો રહે અને એકરાર કરતો રહે કે," હે પ્રભુ! સાચો નિ:સ્વાર્થ પ્રેમ મેં અનુભવ્યો તારા સ્મરણમાં, તારી ભક્તિભાવના અંતરધ્યાનમાં. એવો પ્રેમ કંઈ વાર તહેવારે યાદ કરવાથી કે ઉપવાસ કરવાથી, કે જપ મંત્ર લખવાથી અનુભવાતો નથી. કારણ જ્યાં સુધી ચિંતનથી મન વલોવાતું નથી, ત્યાં સુધી સાત્ત્વિકભાવ રૂપી માખણ જેવી પ્રેમની સહજતા અનુભવાતી નથી. આપની કૃપાથી સાત્ત્વિક વિચારોનો ભાવાર્થ ગ્રહણ થાય છે અને સરખામણી કરવાના વિચારો શાંત થતાં જાય છે. હવે ભક્તિભાવની માખણ જેવી કોમળતા આપમેળે પ્રસરે છે અને દરેક પ્રવૃત્તિમાં આપની પ્રતીતિ અનુભવાય છે. આ જીવનમાં અંતરયાત્રા કરાવવા માટે જ તમે મારામાં વસીને, મારા સારથિ બનીને અંતર સ્થિત કરો છો.”

       એકરાર સાથેનાં ચિંતનથી મનની સાત્ત્વિક પ્રતિભા જાગૃત થાય, ત્યારે વિચારો ઓછા થતાં જાય અને ભાવનું સંવેદન અનુભવાય. વિચારો રૂપી પગથિયાં જ્યાં હોય, ત્યાં ભાવ રૂપી વહેણની ધારા ન વહે. જેમ નદી કિનારે ઘાટના પગથિયાં ઊતરીએ પછી નદીના પાણીનો સ્પર્શ થાય. ઘાટના પગથિયાં નદીના પાણીથી ભીના થતાં રહે છે. પણ જ્યાં પગથિયાં નથી, ત્યાં પાણીના વહેણની અખંડ ધારા વહે છે, તેમ સાત્ત્વિક વિચારોનાં ચિંતન રૂપી પગથિયાં પરથી પસાર થઈને અંતરધ્યાનની ભાવ ધારામાં મનનું સ્નાન થતું જાય, પછી સ્વાનુભૂતિના દિવ્ય પ્રકાશથી મન બની જાય ભાવની ચેતના, તેને કહેવાય મન રૂપી દૂધમાં સમાયેલ ઘીનું પ્રત્યક્ષ દર્શન થવું. મનનું ભાવ સ્વરૂપનું ચૈતન્ય પ્રગટાવવા માટે શ્રીકૃષ્ણ પરમાત્મા આપણાં મનને વલોવવા પ્રેમભાવની જાગૃતિનું દાન ધરે, ત્યારે જ્ઞાન-ભક્તિના વહેણમાં મન ઝબોળાઈ જાય. પ્રભુને વિનંતિ કરતાં રહીએ કે ગોપીની જેમ આપણું મન વલોવાતું રહે અને અંતર જ્યોતના પ્રકાશમાં પ્રકાશિત થતું રહે.

 

સંકલનકર્તા - મનસ્વિની કોટવાલા

 

Read More